હાલના સમયમાં ડગલેને પગલે લોકોના આકસ્મિક મૃત્યુ થઈ રહ્યા છે. લોકોએ ક્યારેય વિચાર્યું ન હોય તેવી લોકો સાથે ચોકાવનારી ઘટનાઓ બની રહી છે. વ્યક્તિઓ પોતાના મિત્ર અને સગા સંબંધીઓ સાથે ખુશ હોય છે પરંતુ ક્યારેય તેની સાથે જીવલેણ ઘટના બની જાય તે કહી શકાતું નથી. આવી જ એક ચોકાવનારી ઘટના હાલમાં ઉત્તર પ્રદેશમાં બની હતી.
મેરઠમાં રહેતા યુવક તેમના મિત્રો સાથે સાંજના સમયે ફરવા બહાર નીકળ્યો હતો. યુવકની ઉંમર 25 વર્ષની હતી. યુવક દરરોજ તેમના મિત્રો સાથે સાંજના સમયે ઘરની બહાર રસ્તે ચાલવા માટે નીકળતા હતા. મિત્રો તેઓની વાતમાં મશગુલ હતા. ત્રણ મિત્રો સાથે યુવક ફરવા નીકળ્યો હતો. જેના કારણે તેઓ કોઈ વાતને લઈને ખૂબ જ હસી રહ્યા હતા.
અને રમત કરતા હતા. તે સમયે અચાનક જ બે યુવકને છીંક આવી હતી. છીંક ખાતા યુવક વાંકો વળી ગયો હતો અને તે જમીન પર પડી ગયો. જેના કારણે તેમના મિત્રોને લાગ્યું કે તે મસ્તી કરી રહ્યો છે. મિત્રો તેને ઊભું થવાનું કહી રહ્યા હતા પરંતુ યુવક ઉભો થયો નહિ, જેના કારણે મિત્રોને લાગ્યું કે તે નાટક કરે છે.
તેમ સમજીને તેઓ થોડી વાર ચાલવા લાગ્યા પરંતુ યુવક જે સ્થિતિમાં પડ્યો, તેમ જ પડી રહ્યો હતો અને કોઈપણ હલનચલન થઈ રહી નહોતી. જેના કારણે મિત્રો યુવક પાસે દોડી આવ્યા અને યુવકને સીધો કરીને જોયું તો યુવકના શ્વાસ અટકી ગયા હતા. તરત જ ત્રણે મિત્રો મળીને યુવકને હોસ્પિટલ લઈ ગયા હતા. અને ત્યાં ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો.
તે સમયે યુવકના પરિવારના લોકોને તેમના મિત્રોએ યુવકના મૃત્યુની જાણ કરી હતી. પરિવારના લોકો તરત જ હોસ્પિટલ આવ્યા અને તેઓના દીકરાનું આવું કરુણ મૃત્યુ અચાનક થઈ જતા પરિવારના લોકો વિશ્વાસ કરી રહ્યા ન હતા અને તેઓ ખૂબ જ આઘાતમાં આવી ગયા હતા. ડોક્ટરોએ જણાવ્યું હતું કે ઘણીવાર યુવક બીમાર રહે છે.
જેના કારણે જ તેનું મૃત્યુ થયું છે. પરિવારના લોકોને આ ઘટનાની જાણ થતા તેઓ આઘાતમાં આવી ગયા હતા. દીકરો હસતો ઘરની બહાર નીકળ્યો હતો અને અચાનક તેમના મૃત્યુના સમાચાર મળતા જ તેમની માતા આઘાતમાં ઢળી પડી હતી. અને યુવક સાથે ચાલવા ગયેલા મિત્રો પણ ખૂબ જ રડી રહ્યા હતા. બે સેકન્ડમાં યુવક સાથે એક છીક આવતા મૃત્યુ થઈ ગયું હતું.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]