કોઈપણ પરિવાર પોતાની પાસે રહેલી સંપત્તિથી નહીં પરંતુ પોતાના પરિવારના સભ્યોના સંસ્કાર અને ગુણો અને કારણે મહાન બનતો હોય છે, રૂપિયા તો આજે છે ને આવતીકાલે નથી, પરંતુ જુઓ પરિવારમાં નીતિ નિયમો અને સંસ્કાર હોય તો તેઓ પરિવાર ક્યારે પણ મુશ્કેલી ની અંદર મુકાતો નથી..
અને હંમેશા સફળતાના પગલાંઓ ચડતા રહેતા હોય છે, ઘર પરિવાર સંસારને સારી રીતે ચલાવવા માટે ઘરના મોભીની અંદર સારી સમજણ અને આવડત હોવી ખૂબ જ જરૂરી છે, અત્યારે એક કરોડપતિ પરિવારની અંદર એવી ઘટના બની ચૂકી હતી કે, પરિવારની ઈજ્જત આબરૂના તો ધજાગરા ઉડી ગયા હતા..
તો બીજી બાજુ માત્ર એક જ રાતની અંદર સમગ્ર પરિવાર બરબાદ થઈ જવા પામ્યો હતો, કહેવાય છે કે ગમે એટલા રૂપિયા વાળો પરિવાર હોય પરંતુ જો પરિવારના સભ્યોમાં સંસ્કારના ગુણો ન હોય તો પરિવારને બરબાદ થઈ જવામાં એક સેકન્ડની પણ વાર લાગતી નથી, કરોડપતિ પરિવારના મોભી વ્યક્તિ પૈસા કમાવાની રેસમાં ખૂબ જ આગળ હતા..
પરંતુ તેઓ તેમના પરિવારને બરાબર સાચવી શક્યા નહીં અને હાલ તેમનો પરિવાર ભાંગી જવા પામ્યો છે, આ ચોંકાવનારી ઘટના ગિરધર શેઠના ઘરેથી સામે આવી છે. ગિરધર શેઠ ખૂબ જ મોટો વ્યવસાય ચલાવે છે, તેમનો એકનો એક દીકરો પણ ગીરધર શેઠની સાથે જ તેમની ફેક્ટરીની અંદર કામકાજ કરવા માટે જતો હતો..
ત્યાં તે દેખરેખ રાખવાનું કામકાજ કરતો ગિરધરશેઠે દિવસ રાત મહેનત કરીને કરોડો રૂપિયાનો વ્યવસાય ઉભો કરી દીધો હતો, પરંતુ તેઓ તેમના દીકરા અને તેમની પત્નીની અંદર સારા સંસ્કારોના ગુણોનું વાવેતર કરી શક્યા નહીં, જેનું પરિણામ આજે તેમને ભોગવવું પડ્યું હતું. તેમનો દીકરો વ્યવસ્થિત રીતે વ્યવસાય સાંભળવાને બદલે મન ફાવે તેવા રૂપિયાની મોજ શોખ કરી નાખતો હતો..
જ્યારે ગિરધર શેઠની પત્ની પણ કોઈ પણ પ્રકારના મેનેજમેન્ટ વગર જીવન જીવતી હતી, જ્યારે ગિરધર શેઠના દીકરા વિશાલના વેવિશાળનો સમય આવ્યો ત્યારે ગિરધર શેઠે તેના દીકરા માટે ગુણવાન અને સંસ્કારી સુકન્યા શોધવાનું શરૂ કર્યું હતું. પરંતુ એ વખતે વિશાલે તેના પિતાને જણાવ્યું કે તે તેની કોલેજની એક યુવતીને પ્રેમ કરી રહ્યો છે..
અને તેની સાથે લગ્નજીવન શરૂ કરવા માંગે છે, ગિરધર શેઠ તેના દીકરાની જીદ સામે જુકી ગયા અને તેના દીકરાની મરજી પ્રમાણે તેના જ કોલેજમાં ભણતી રીંકલ નામની યુવતી સાથે વિશાલના લગ્ન કરાવી આપ્યા હતા. રિંકલ પહેલેથી જ ખૂબ જ જીદ્દીલા સ્વભાવની હતી, તે પરિવારના દરેક સભ્યોને સાથે લડાઈ ઝઘડો કરીને ખખડાવી નાખતી..
સવારમાં 10:00 વાગે ઊઠતી અને ઘરમાં કોઈ પણ પ્રકારનું કામકાજ કરવાની ઈચ્છા ધરાવતી હતી નહીં. ઘણી બધી વાતો ગિરધર શેઠને ભૂખ્યા પેટે જ પોતાના નોકરી ધંધે જવું પડતું હતું, કરોડપતિ પરિવારના દીકરા વિશાલ ની વહુ લગ્ન કરીને ઘરની અંદર તો આવી ચૂકી હતી પરંતુ આ ઘરની અંદર તે લાંબો સમય સુધી જીવન જીવી શકી નહીં અને એક દિવસ સવારના સમયે તે ઘરના નોકર સાથે ભાગી ચૂકી હતી..
જ્યારે વિશાલ અને ગીરધર શેઠને ખબર પડી કે તેમના દીકરાની વહુ રીંકલ ઘરની અંદર સફાઈ કરવા માટે આવતા નોકર સાથે ભાગી ગઈ છે અને તે તેને પ્રેમ કરી રહી હતી ત્યારે આ વાત સાંભળીને દરેક લોકોને ખૂબ જ ઊંડો આંચકો લાગ્યો હતો, ગિરધરશેઠે તેમના દીકરાની બહુને કોઈપણ સુવિધામાં કચાશ રહેવા દીધી નહીં છતાં પણ રીંકલે વિશાલ ને પ્રેમ કરવાને બદલે ઘરના નોકરને પ્રેમ કરવાનું શરૂ કર્યું હતું..
અને કરોડો રૂપિયાની સંપત્તિ ની અંદર જીવન જીવવાને બદલે નકર સાથે ભાગી ચૂકી હતી. આ વાતના સમાચાર ધીમે ધીમે દરેક જગ્યાએ ફેલાઈ ચૂક્યા હતા, મોટાભાગના વ્યવસાયિક લોકો ગિરધર શેઠને ફોન કરીને આ બાબત વિશે પૂછપરછ કરવા લાગ્યા હતા કે, શું આ વાત સાચી છે કે નહીં..?
ગિરધર શેઠ પોતાના મોઢામાંથી એક પણ શબ્દનો જવાબ આપી શકતા નહીં કારણ કે, તેમનો દીકરો વિશાલ તેની પત્નીને બરાબર સાચવી શક્યો નહીં, કોઈ પણ પ્રકારનું ધ્યાન પણ રાખી શક્યો નહીં. જેના કારણે તેની પત્ની ઘરની અંદર જ રહેતા નોકર અને પ્રેમ કરી બેઠી હતી, રીંકલ ઘરની અંદર સાફ-સફાઈ કરતા મુકુલ નામના નોકર સાથે પ્રેમ સંબંધમાં જોડાઈને તેની સાથે ભાગી તો ગઈ હતી..
પરંતુ તેણે જતા જતા એવડો મોટો કાંડ કરી નાખ્યો હતો કે પરિવાર બરબાદ થઈ જવા પામ્યો હતો. રીન્કલે ઘરની તમામ સંપત્તિ અને ફેક્ટરીના કાગળિયા ઉપર પોતાના સસરાની સહી કરાવીને તમામ સંપત્તિને મુકુલના નામે કરાવી દીધી હતી અને ત્યારબાદ તે ઘર મૂકીને ભાગી ચૂકી હતી..
ઘરની અંદર પડેલા દસ લાખ રૂપિયા રોકડા અને પાંચ લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીના પણ તે સફાયો કરીને જતી રહી હતી, માત્ર પ્રેમી સાથે ભાગવાથી માંડીને તેણે ચોરી જેવી મોટી ઘટનાને પણ અંજામ આપી દીધો હતો. આ પરિવાર તેના દીકરાની વહુને કારણે એક જ રાતની અંદર બરબાદ થઈ જવા પામ્યો હતો..
ગિરધર શેઠે તેમના દીકરાની વહુની સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી હતી કે, તેમના દીકરાની વહુ ઘર મૂકીને ભાગી ચુકી છે અને તેની સાથે તમામ સંપત્તિનો પણ સફાયો કરીને જતી રહી છે, તેમના દીકરાની વહુએ તેમની સાથે ખૂબ જ મોટી છેતરપિંડી કરી હોવાના આરોપો પણ ગિરધરશે તેમના દીકરાની વહુ ઉપર નાખી દીધા હતા..
અને આ ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી તેઓ ચલાવવા માંગતા હતા, તેમના દીકરાની વહુ રીંકલ ઘરના નોકરની સાથે ભાગીને ક્યાં રહે છે અને કેવી રીતે આ તમામ કાવતરું રચ્યું હતું, તેના વિશે પણ તેઓ માહિતી મેળવવા માંગતા હતા. જ્યારે જ્યારે આપણે આવા બનાવો સાંભળીએ છીએ ત્યારે આપણું મગજ પણ બે ઘડી કામ કરતું બંધ થઈ જતું હોય છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]