અત્યારના આધુનિક યુગમાં હજુ પણ કેટલાક લોકો ખોટા વહેમ રાખીને જીવન જીવી રહ્યા છે. પછી તે મધ્યમ વર્ગીય પરિવાર હોઈ કે કરોડપતિ પરિવાર જે લોકોના મનમાં વહેમ ઘુસી જાય છે તેઓને બરબાદીની રાહ જ દેખાઈ છે. અત્યારે એક કરોડપતિ ઘરમાં ખોટટા વહેમની વિધિઓ કરાવવાના બહાને ખુબ જ ખોટું થયું છે.
આ બનાવ જયપુરના ભાંકરોટાથી સામે આવ્યો છે. જ્યાં કરોડપતિ પરિવાર કે જવેલરીના વ્યવસાય સાથે જોડાયેલો છે તેમના પરિવારની સાસુએ પોલીસ સ્ટેશનમાં .દુ.ષ્ક.ર્મ.નો કેસ દાખલ કરાવ્યો છે. 50 વર્ષની આ મહિલાએ રિપોર્ટમાં જણાવ્યું કે લગભગ 4 વર્ષ પહેલા તેની તબિયત બગડી હતી. એટલે તે ભાંકરોટાના મેડિકલ સ્ટોર પર દવાઓ લેવા જતી હતી.
જ્યાં તેની મુલાકાત જયેન્દ્ર નામના યુવક સાથે મેડિકલ સ્ટોર પર થઈ હતી. જયેન્દ્ર સાથે વાત શરૂ કરી અને થોડા દિવસો પછી વાતચીત દરમિયાન જયેન્દ્રએ તેને કહ્યું કે તારા ઘરમાં કાળો પડછાયો છે. તમારે તેની વિધિઓ કરાવવી પડશે. ઘરમાં કાળો સાયો હોવાની વાત સાંભળીને તે મહિલા ખુબ જ ડરી ગઈ હતી.
જયેન્દ્રએ કહ્યું કે ‘હું તાંત્રિક છું. હું માતાનો ભક્ત છું. હું બધું બરાબર કરી દઈશ. જયેન્દ્રએ તાંત્રિક પૂજાના બહાને આ મહિલાના ઘરે આવવા લાગ્યો હતો. તાંત્રિક પૂજા કરવા માટે પૂજા સામગ્રી અને ઘી મંગાવીને રાખવાનું કહ્યું હતું. તે ઘરે એકલી હતી ત્યારે જયેન્દ્ર તાંત્રિક પૂજા કરવા ઘરે આવ્યો હતો.
પૂજાની તૈયારી કરીને કહ્યું કે માતાનો આદેશ છે કે. પૂજા માટે કપડા કાઢવા પડશે. મહિલાએ ના પાડી તો તેણે કહ્યું કે જો તમે આ પદ્ધતિથી પૂજા નહીં કરો તો તમારો નાનો પુત્ર મરી જશે. કાળા પડછાયા અને આ મોત વિષે સાંભળીને તે ડરી ગઈ ડરના કારણે, તે તાંત્રિકના કહેવા પ્રમાણે પૂજામાં બેસી ગઈ હતી.
પૂજામાં બેઠા પછી આંખો બંધ કરવાનું કહ્યું અને જ્યાં સુધી બોલે નહીં ત્યાં સુધી ખોલવાની ના પાડી. માતાનો આદેશ હોવાનું કહી તેની સાથે ન કરવાનું કરવા જઈ રહ્યો હતો. મહિલાએ વિરોધ કર્યો તો તેણે મોબાઈલમાં પાડેલા ફોટો અને વિડિયો બતાવીને તેને ચૂપ કરાવી દીધી હતી. તેણે ડરના કારણે તેણે કોઈને પણ કશું જ કહ્યું નહીં.
જે બાદ જયેન્દ્ર સતત ઘરે આવવા લાગ્યો હતો. કાળા સાયાનો ડર બતાવીને તે વારંવાર પૂજા કરવા લાગ્યો. તે દરેક પૂજા માટે 10 હજાર રૂપિયા પણ લેતો હતો. તેમજ મોબાઈલમાં ફોટો અને વિડીયો બનાવી મજબુરી વશ કરીને તેમના પર .દુ.ષ્ક.ર્મ. પણ ગુજારતો હતો. આ ખરાબ ફોટો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને પૈસાની માંગણી કરી હતી.
ઈજ્જત બચાવવા મહિલાએ દીકરાની જ્વેલરીની દુકાનમાંથી 4 લાખ અને નોકરને પૂછીને 2 લાખ આપ્યા. ત્યાર બાદ પણ તેને અનેક વખત ધમકીઓ મારીને 4.20 લાખ રોકડા અને સોના-ચાંદીના દાગીનાની પચાવી પાડ્યા હતા. તાંત્રિક પૂજા માટે ઘરે જતી વખતે 25 વર્ષની પુત્રવધૂ પર પણ જ્ય્રેન્દ્ર ઈરાદો બગડી બેઠો હતો.
ઘરમાં તાંત્રિક પૂજા દરમિયાન પુત્રવધૂને બેસાડવામાં આવી હતી. પૂજામાં પુત્રવધૂને પીવા માટે કંઈક આપ્યું અને એ પીણાની અંદરઘેની પદાર્થ હોવાના કારણે તે બેહોશ થઈ ગઈ હતી. જ્યારે તે બેભાન હતો ત્યારે જયેન્દ્રએ તેની સાથે .દુ.ષ્ક.ર્મ. ગુજાર્યું હતું. એક જ ઘરની સાસુ અને વહુ બંનેને ખોટા વહેમના કારણે ખુબ જ મોટું પરિણામ ભોગવવાનો વારો આવ્યો હતો.
તેઓએ એક પણ વાર તેમના ઘરના પુરુષોને આ વાતની જાણ ન કરી અને ચુપચાપ બધું સહન કરતા ગયા પરિણામે આરોપી તેમનો ફાયદો ઉઠાવીને તેમને ખંખેરવા લાગ્યા હતા. આ બનાવ બાદ સૌ કોઈ લોકોના મોઢા ફાટેલા ને ફાટેલા જ રહી ગયા છે. ભાંકરોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આવતા જ પોલીસે રિપોર્ટ નોંધીને મહીલાનું નિવેદન લીધું અને તેની તપાસ શરૂ કરી હતી. આ ઠગીયાએ સાસુ વહુ બંને પાસેથી 20 લાખની રોકડ અને દાગીના પણ ખંખેરી લીધા છે. પોલીસે બંનેનું મેડિકલ કરાવીને કેસની તપાસ શરૂ કરી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]