તાજેતરના સમયમાં ગુનાખોરીનું પ્રમાણ ખૂબ જ વધવા લાગ્યું છે. સવાર થતાની સાથે સરકારી ચોપડે ઘણા બધા ગુનાખોરીના કિસ્સાઓ નોંધાઈ જતા હોય છે. જેમાંથી કેટલાક કિસ્સાઓ તો સામાન્ય વ્યક્તિના મગજમાં બેસે તેવા હોતા નથી. અત્યારે સામાન્ય લોકોને હચમચાવી દે તે પ્રકારનો એક કિસ્સો સામે આવ્યો છે..
આ ઘટના કોડીપુર પાસેથી પસાર થતાં હાઈવેની છે. હાઇવે ઉપરથી રોજના ઘણા બધા વાહનો પસાર થાય છે. જેમાંથી પ્રહલાદભાઈ તેમની પત્ની નિમિષાબેન અને તેમના બંને બાળકો કિસાન અને વૈદેહી સાથે આ હાઇવે ઉપરથી પોતાની કાર લઈને પસાર થતા હતા. અડધા રસ્તે જ પ્રહલાદ ભાઈને પેશાબ જવાની ફરજ પડી હતી..
અને તેઓએ પોતાનીકાર હાઇવેના સડક કાંઠે ઉભી રાખી અને ત્યાં નજીક રહેલી જાડી જાખરા પાસે પેશાબ કરવા માટે ચાલ્યા ગયા હતા. એ વખતે તેઓએ ત્યાં એવું દ્રશ્ય જોઈ લીધું છે કે, તેમને ધોળે દિવસે પણ આંખે અંધારા આવી ગયા હતા. આ ઉપરાંત ઘટનાની જાણકારી આસપાસના લોકો સુધી પહોંચતા ત્યાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ છે..
અને પોલીસને પણ જાણકારી આપવામાં આવી છે. પ્રહલાદભાઈ જ્યારે પેશાબ કરવા માટે આ જાડી ઝાંખરામાં ઉતર્યા ત્યારે ત્યાં તેઓએ જ્યાં ઉભા હતા. ત્યાં નીચે સોનાની બંગડી મળી આવી હતી. આ બંગડી લેવા માટે તેઓ નીચે ઝૂક્યા ત્યારે તેઓએ જોયું કે, આ કાંટાવાળી વાડની નીચે એક મહિલાનું મૃતદેહ છે..
આ મહિલાને મૃત હાલતમાં જોઈને તેમના હોશ ઉડી ગયા હતા અને પેશાબ કર્યા વગર જ તેઓ ફરી પાછા તાબડતોબ દોડીને સડક ઉપર ચડી ગયા હતા. જે હાઇવે ઉપર તેઓએ મદદ માંગીને કેટલાક વાહનોને થોભાવ્યા અને જણાવ્યું કે, અહીંથી એક મહિલાની લાશ મળી આવી છે. અને હવે શું કરવું જોઈએ..
તેની તેઓને કોઈ પણ જાણકારી નથી. ત્યાંથી પસાર થતાં વાહનો ત્યાં ઊભા રહ્યા હતા. જેમાંથી એક જાગૃત વ્યક્તિએ તરત જ પોલીસને ફોન કરીને જાણકારી આપી હતી કે, હાઈવેની સડક કાંઠે આવેલી જાડી ઝાકરામાંથી એક મહિલાનું મૃતદેહ મળી આવ્યો છે. અને આ મૃતદેહને જોનાર વ્યક્તિ પ્રહલાદભાઈની હાલત પણ બગડી ગઈ છે..
તરત જ પોલીસનો કાફલો અહીં દોડી આવ્યો હતો અને તપાસ કરતા જોયું તો હકીકતમાં ત્યાં મહિલાનું મૃતદેહ મળી આવ્યો હતો. આ મહિલાના તાજેતરમાં જ લગ્ન થયા હોય તેવું જણાવ્યું હતું. તરત જ પોલીસે આસપાસના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ખબરની જાણકારી પહોંચાડી દીધી હતી અને જો આ સ્ટેશન વિસ્તારની અંદર કોઈ તાજા જ લગ્ન થયેલી મહિલા ગુમ થઈ ગઈ હોય તેવી માહિતી મળી હોય તો તરત જ સંપર્ક કરવા માટે જણાવ્યું હતું..
થોડી જ વારમાં પોલીસ સુધી માહિતી પહોંચી કે, આ હાઈવેથી માત્ર 15 km દૂર આવેલા એક ગામડાની અંદર લગ્ન પ્રસંગમાં દુલ્હન અચાનક જ ગાયબ થઈ ગઈ છે. તેને શોધવા માટે તેના પરિવારજનો આમથી આમ રખડપટ્ટી કરી હતી અને ત્યારબાદ તેઓ પોલીસ સ્ટેશનએ ફરિયાદ નોંધાવવા માટે પહોંચીયા હતા..
પરંતુ પોલીસ પાસે માહિતી હોવાથી તેઓ તરત જ દુલ્હનના પરિવારજનોને આ હાઇવે પાસે લઈ આવ્યા હતા. જ્યાં દુલ્હનના માતા-પિતાએ દુલ્હનની ઓળખાણ કરી લીધી હતી કે, આ તેમની દીકરી છે. પરંતુ તેમની દીકરી જીવિત નહીં. પરંતુ મૃત હાલતમાં મળી આવી હતી. આ યુવતીનું નામ કરિશ્મા હોવાનું સામે આવ્યું છે..
કરિશ્માના પિતાએ પોલીસને જણાવ્યું કે, કરિશ્માને તેના જ ગામમાં રહેતો એક યુવક પ્રેમ કરતો હતો. પરંતુ અમે લોકોએ કરિશ્માના લગ્ન સારા ઘરના છોકરા સાથે નક્કી કર્યા હતા. કરિશ્મા આ લગ્ન પ્રસંગથી ખુશ હતી નહીં. આ ઉપરાંત તેમના ગામમાં રહેતો યુવક વારંવાર ધાક ધમકી આપવા માટે પહોંચી જતો હતો..
અને હેરાનગતિ પણ પહોંચાડતો હતો, નક્કી કરિશ્માને મોતને ઘાટ ઉતારવામાં તેમના ગામમાં રહેલો આ લુચ્ચા લફંગા યુવકનો હાથ હોવો જોઈએ. કરિશ્માના પિતાના નિવેદનો ઉપરથી પોલીસે તપાસ શરૂ કરી હતી અને આ યુવકને પણ પકડી પાડવામાં આવ્યો છે. હાલ આ મામલાને લઈ જરૂરી કાર્યવાહીઓ શરૂ કરી દેવામાં આવી છે..
પરંતુ આ મૃતક મહિલાને સૌપ્રથમવાર જોનાર વ્યક્તિ પ્રહલાદભાઈ અને તેમનો પરિવાર ખૂબ જ ડરી ગયો છે. કારણ કે તેઓએ આજથી પહેલા ક્યારેય પણ કોઈ વ્યક્તિનું મૃતદેહ જોયો નથી અને અચાનક જ ખૂબ ખરાબ હાલતમાં આ મૃત દેહને જોઈ લેતા તેમની ઊંઘ ઉડી ગઈ છે અને સૂખ ચેન છીનવાઇ ગયા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]