આ વાત છે અમદાવાદ ના એસ.જી હાઇવે પર આવેલા સાણંદ સર્કલ નજીક ગેલોપ્સ શો રૂમના ચાર BMW કાર અને એક મિનિકૂપર જેવી મોંઘીદાટ ગાડીઓના કાચ તેમજ કારોનો ખુરદો બોલાવી દેતા કંપનીના સીઇઓ તેમજ અધિકારીઓ અચાનક દોડતા થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના બનવા પાછળ નું કારણ ખરેખર જાણવા જેવું છે.
ઘટના દરમિયાન બન્યું એવું હતું કે ગેલોપ્સની સિક્યુરિટી કંપનીમાં જ કામ કરતાં બે સિક્યુરિટી ગાર્ડ અંદરો-અંદર ઝઘડીને મારા-મારી કરતાં આખી ઘટના બની હોવાનું સામે આવી રહ્યું છે અને આ અંગેની ફરિયાદ સરખેજ પોલીસ સ્ટેશનમાં પણ નોંધાઇ ચુકી છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે સમગ્ર ઘટના ને જોવામાં આવે તો આ ઘટના શક્ય બની શકે છે.
મળતી માહિતી અનુસાર બંન્ને સિકયુરિટી ગાર્ડ દારૃના નશામાં ચકનાચુર હતા અને એ દરમિયાન જ બન્ને વચ્ચે કોઈ કારણોસર અચાનક જ ઝઘડો થયો હોવાનું જાણવા મળ્યું છે. સરખેજ પોલીસે હાલ બંને આરોપીઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આખી ઘટનાના સીસીટીવી ફુટેજ પણ કબ્જે કર્યા છે. જેથી બનેલી સમગ્ર ઘટના પર વધુ તાગ મેળવી શકાય,
આ ઘટના બન્તાની સાથે જ અમદાવાદ બાપુનગરના કેદાર એપાર્ટમેન્ટમાં રહેતા ૩૬ વર્ષીય સંદીપ રોહિતભાઇ ભંડેરી સરખેજ એસ.જી હાઇવે પર આવેલા સાણંદ સર્કલની નજીકના મ્સ્ઉ કારના ગેલોપ્સ નામના શો રૃમમાં નોકરી કરે છે. શુક્રવારે રાત્રે બે વાગ્યે તેમના ઉપર સિક્યોરિટીના સુપરવાઇઝર વિમલેશ અનુરાગીનો ફોન આવ્યો અને જણાવ્યું હતું કે,
આપણા બે સિક્યોરિટી ગાર્ડ કૃષ્ણમોહનસિંહ વિજયપાલસિંહ અને રામકિશોર યાદવ અંદરોઅંદર કોઇ કારણોસર ઝઘડયા છે અને શો રૃમના ર્પાિંકગમાં પડેલી પાંચ મ્સ્ઉ કાર અને એક મિનિકૂપર કાર તેમજ છોટાહાથી ટેમ્પોના કાચ અને અન્ય જગ્યાએ તોડફોડ કરી છે. આ અંગે સંદીપભાઇએ કંપનીના સીઇઓ સતિક ચેટર્જીને ફોન કરીને જાણ કરી હતી.
સવારે ૯.૩૦ વાગ્યે સંદીપભાઇ ગેલોપ્સ શો રૃમ પર ગયા હતા અને બે સિક્યોરિટી ગાર્ડને ગાડીઓના તોડફોડ અંગે પૂછતા બંને જણાંએ ઉશ્કેરાઇ જઇને ગાળો બોલ્યા હતા. જેના કારણે તેઓ શો રૃમની ઓફિસમાં જતા રહ્યા હતા. આ અંગે સંદીપભાઇએ સરખેજ પોલીસ સ્ટેશનમાં સાડા નવ લાખ રૃપિયાનું સિક્યોરિટી ગાર્ડે નુકસાન કર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે. એક નશાની લતને કારણે ઘણું મોટું નુકશાન થવા પામ્યું છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]