Breaking News

કારમાં વરરાજાને બેસારી જાન લઈને જતી વખતે જોકું આવી જતા કાર 15 ઉછળીને પલટી ખાઈ ગઈ, ઘોડીએ ચડે એ પહેલા જ મોત થતા માતમ છવાયો…!

હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે, લોકો ધૂમધામથી તેમના સગા સંબંધીઓના અથવા પોતાના ઘરે લગ્નનો માહોલ હોય તો આનંદમાં જોવા મળે છે. ઘરમાં લગ્નનો માહોલ રહેતા લોકો ખૂબ ખુશ જોવા મળે છે અને પરીવારને પોતાની ખુશીનો પાર નથી હોતો. અને આવી ખુશીમાં તેઓ સાથે ક્યારેય કઈ ઘટના બની જાય તે કહી શકાતું નથી.

આવા કિસ્સાઓ બનતા લોકો પોતાના જીવ જોખમમાં મૂકી રહ્યા છે આવી જ એક ઘટના હાલમાં બની હતી. આ ઘટના ખૂબ જ કરુણ બની હતી. એક ઘરમાં પરિવારના દીકરાના લગ્ન હોવાને કારણે પરિવાર ખૂબ જ ધૂમધામથી લગ્ન કરી રહ્યું હતું. પરિવારના તમામ લોકો ખુશ હતા અને દીકરાની બહુ પણ પોતાના વરરાજાની રાહ જોઈ રહી હતી.

આ ઘટના ઈન્દોર અમદાવાદ ના ફોર લાઇન રોડ પર બની અને મધ્યપ્રદેશમાં ધારમાં રહેતા પરિવારના દીકરાના લગ્ન લાબરીયા ગામની દીકરી સાથે નક્કી કરવામાં આવ્યા હતા. દીકરાનું નામ રિતેશ હતું અને રિતેશ ના લગ્ન જ્યોતિ નામની યુવતી સાથે નક્કી કરવામાં આવ્યા બંનેના લગ્ન હોવાને કારણે બંને ખૂબ જ ખુશ હતા.

લગ્નની બધી જ વિધિઓ થઈ ગઈ હતી અને રિતેશના પરિવારના લોકોને રિતેશની જાન લઈને જ્યોતિના લાબરીયા ગામે જઈ રહ્યા હતા. તેમાં એક કારમાં રીતેશ સહિત પાંચ બીજા લોકો બેઠા હતા. લગ્ન લાબરીયા ગામમાં હોવાને કારણે 28 કિલોમીટર લાબરીયા ગામ થી દૂર હતી અને ઇન્દોર-અમદાવાદના ફોરલાઈન હાઈવે પર ફુલગાંવડી ગામ પાસે પહોંચી હતી.

તે સમયે અચાનક જ ડ્રાઇવરે પોતાનું કાબુ ગુમાવ્યું હતું જેના કારણે ડિવાઈડર સાથે અથડાઈને કાર 15 ફૂટ ઉછળીને સીધી પલટી મારી ગઈ અને તે બાજુમાં ખેતર હોવાને કારણે ઉછળીને ખેતરમાં પડી હતી. કારમાં વરરાજા સહિત પાંચ લોકો બેઠા હતા. જેને કારણે તેઓને નાની મોટી ઈજા થઈ હતી. રિતેશની સાથે તેના કાકાનો દીકરો પણ બેઠો હતો.

જેના કારણે બંનેની હાલત ખૂબ જ ગંભીર હતી. અકસ્માત સર્જાતા હાઇવે પરના લોકો ભેગા થઈ ગયા અને કારમાંથી ઈજાગ્રસ્ત લોકોને બહાર કાઢી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા તે સમયે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ રસ્તામાં હિતેશનું મૃત્યુ થઈ ગયું હતું. જેના કારણે તેમના પરિવારજનોને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.

પરિવારના લોકો ખૂબ જ ખુશ હતા અને તેમના દીકરા સાથે આવી ઘટના બની જતા અચાનક તેઓ આઘાતમાં આવી ગયા હતા રિતેશના લગ્ન જ્યોતિ સાથે થવા ના હોવાને કારણે જ્યોતિના પરિવારના લોકોને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. આ વાતની જાણ થતા તે આઘાતમાં ઢળી પડી હતી.

જ્યોતિ પોતાના વરરાજાના આવવાની રાહ જોઈ રહી હતી પરંતુ તેની બદલે તેને વરરાજાના આવા સામાચાર સાંભળવા મળ્યા હતા આ ઘટના ખૂબ જ કરુણ બની હતી. જેના કારણે પોલીસને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસ અકસ્માતની જગ્યાએ પહોંચી અને તમામ તપાસને હાથ ધરી હતી. આજકાલ લોકો સાથે આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *