Breaking News

કેનેડામાં ભયંકર અકસ્માત સર્જાતા જ 5 ભારતીય લોકોના મોત, કાળજું કંપાવતો અકસ્માત

હમણાં થોડા સમય પેહલા ખુબ જ ચકચાર મચાવી દેનારો મામલો સામે આવ્યો તો તેના વિષે તમે કદાચ જાણતા જ હશો જેની વિસ્તારમાં વાત કરવામાં આવે તો ઘટના એવી બનવા પામી હતી કે જેમાં ભારતીય એ પરિવાર જે કેનેડા માં વસવાટ કરી રહ્યું હતું ને જેને બાળકો પણ હતા જેઓ ખોટી રીતે કેનેડા અને અમેરિકા વચ્ચે ની બોર્ડર ને,

ગેરકાયદેસર રીતે પાર કરવા માટે જઈ રહ્યા હતા ને જેના બરફના થરો વચ્ચે દબાઈ જવાથી દર્દનાક મૃત્યુ નિપજ્યા હતા ને આ ઘટનાની સાથે ગુજરાતભરમાં શોકનો માહોલ સર્જાયો હતો જેના વિષે નીતિન પટેલ વગેરે મોટા નેતાઓ એ પણ ટિપ્પણી કરી હતી એટલે ભારત થી દૂર જેઓ ભારતીયતા સાથે રાખી પોતાનું ગુજરાન અનેક સ્થાનો,

દેશ-વિદેશો માં કરતા આપણને જોવામાં મળે છે અને હાલ તો વિધાર્થીઓમાં પણ ખુબ જ મોટા પાયે વિદેશ અભ્યાસ નો ચસકો લાગ્યો જણાઈ આવે છે પરંતુ આ તમામ વચ્ચે બહાર બનતી અમુક ઘટનાઓ આપણને ખરેખર ક્યારેક ચોંકાવી જ દેતી હોય છે હાલ માં એવી જ એક ઘટના બનાવ પામી છે જેના વિષે તમારે પણ જાણવું જ જોઈએ.

હાલમાં બનેલ ઘટના કેનાડા દેશ માં બનવા પામી છે ઉલ્લેખનીય છે છેલ્લા કેટલાક સમય થી કેનેડા તરફ ઘણા બધા ભારતીયો જતા જોવા મળે છે કેનેડાના ટોરોન્ટોમાં થયેલા એક રોડ એક્સિડન્ટમાં 5 ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે. જ્યારે અન્ય 2 ગંભીર રીતે ઘાયલ વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સ્થાનિક મીડિયાના જણાવ્યા પ્રમાણે વાત કરવામાં આવે તો એક વાન અને ટ્રેક્ટર ટ્રેલર વચ્ચે ખુબ ગંભીર અકસ્માત થયો હતો જેમાં થયેલા એક્સિડન્ટમાં આ પાંચ વિદ્યાર્થીઓના મોત થયા છે. કેનેડાના ભારતીય રાજદૂતે જણાવ્યું કે આ એક્સિડન્ટ એ શનિવારે વહેલી સવારે અંદાજે 3.45 વાગે હાઈવે 401 પર થયો હતો.

ભારતીય રાજદૂતે આ બનેલ ઘટના અંગે ખુબ કાળજીપૂર્વક ચોકસાઈ થી માહિતી મેળવી છે અને તેમણે ટ્વિટ કરીને મૃતક વિદ્યાર્થીઓના પરિવાર પ્રતિ સંવેદના વ્યક્ત કરી છે અને સાથે સાથે કહ્યું છે કે, અમે ઘાયલ વિદ્યાર્થીઓના સંપર્કમાં છે અને તેમને શક્ય તેટલી તમામ મદદ આપવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છે.

ક્વિંટ વેસ્ટ ઓંટારિયો પોલીસના જણાવ્યા પ્રમાણે, આ એક્સિડન્ટમાં મૃતકોની ઓળખ કરી લેવામાં આવી છે. તેમના નામ હરપ્રીત સિંહ(21) , જસપિંદર સિંહ (21), કરનપાલ સિંહ (22), મોહિત ચૌહાણ (23) અને પવન કુમાર (23) તરીકે થઈ છે. હાલ તો પાંચેય મૃતકોના મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.

રિપોર્ટ આવ્યા પછી આગળની બીજી કાયદેસરની થતી તમામ કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, એક્સિડન્ટની તપાસ કરવામાં આવી રહી છે. આ દરેક વિદ્યાર્થી ગ્રેટર ટોરોન્ટો અને મોંટ્રેયલના હોવાનું જાણવા મળ્યું છે. વિદેશ મંત્રી જયશંકરે પણ ટ્વિટ કરી દુ:ખ વ્યક્ત કર્યું

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *