આપણી આસપાસ ઘણા બધા ગંભીર બનાવ બનતા આપણે જોઈ રહ્યા છીએ, ક્યારેય કોની સાથે કઈ ઘટના બની જાય તે કહી શકાતું નથી. આજકાલ એક જ પરિવારના સભ્યો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. જેને કારણે પરિવારના બીજા સભ્યો મુશ્કેલીમાં મુકાઈ જાય છે આવી જે ઘટના હાલમાં સામે આવી હતી.
આ ઘટના હરિયાણાના રોહતકના બલિયાણા ગામમાં બની હતી. આ ગામમાં એક પરિવાર ઘણા સમયથી રહેતું હતું. પરિવારમાં માતા દીકરો રહેતા હતા. માતાનું નામ રાજ બાલા અને તેમના દીકરાનું નામ પ્રશાંત હતું. માતાની ઉંમર 50 વર્ષ અને તેમના દીકરા પ્રશાંતની ઉંમર 21 વર્ષની હતી. તેઓ બલિયાણા ગામમાં ઘણા સમયથી રહેતા હતા.
જેના કારણે ગામમાં દરેક લોકો રાજબાલા માતાના પરિવારથી પરિચિત હતા. પ્રશાંતના પિતાનું નામ સુનિલભાઈ હતું. તેઓનું અવસાન ઘણા સમય પહેલા થઈ ગયું હતું. રાજબાલા માતાને સંતાનમાં બે બાળકો હતા. જેમાં એક દીકરો અને દીકરી હતી. દીકરીના લગ્ન થોડા સમય પહેલા કરાવી નાખ્યા હતા.
જેના કારણે દીકરી તેમના સાસરીયા સાથે રહેતી હતી. ત્યારબાદ રાજબાલા માતા અને પ્રશાંત બંને પરિવારમાં એકલા જ રહેતા હતા. પ્રશાંત પણ અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હોવાને કારણે તેના પરિવારના લોકોએ તેને આગળના અભ્યાસ માટે વિદેશ કેનેડા મોકલ્યો હતો. પ્રશાંત કેનેડા ગયા બાદ તે ઘણા સમય પછી કેનેડાથી પોતાના ઘરે પરત આવ્યો હતો.
અને તેમની માતાને મળ્યો માતા દીકરા ને જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ અને ત્યારબાદ બંને માતા દીકરો પોતાના ઘરે એકલા જ રહેતા હતા. અચાનક તેમની સાથે એક દિવસ ગંભીર ઘટના બની ગઈ હતી જે જોઈને દરેક લોકોના હોશ ઉડી ગયા હતા. ગામના લોકો એક દિવસ પોતાના ખેતરમાં ગયા હતા. ત્યારે તેઓ ખેતરના ફરતે રોડ તરફ જઈ રહ્યા હતા.
તે સમયે ગામના લોકોને પોતાના ખેતરમાં એક યુવક જમીન પર પડેલો દેખાયો હતો જેના કારણે તેઓ યુવક પાસે પહોંચ્યા ત્યારે તેમની ઓળખ પ્રશાંત હોવાની થઈ હતી અને આ જ ખેતરની ઓરડીમાં તેમની માતાનો મૃતદેહ મળી આવ્યો હતો. બંને માતા-દીકરા અચાનક ખેતરમાં મળી આવ્યા હતા. જેને કારણે તરત પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.
અને પ્રશાંત પરિવારજનોને આ ઘટનાની જાણ કરાઈ હતી પ્રશાંતના કાકા યશપાલ તરત જ ખેતરે પહોંચ્યા હતા બંનેના મૃતદેહ ની પાસે એક ઝેરી પદાર્થની ડબ્બી મળી આવી હતી જેના કારણે ગામના લોકોને બંને માતા દીકરાએ આપઘાત કર્યો હોવાનું શંકા હતી. ત્યારબાદ પોલીસે પોસ્ટમોર્ટમ માટે બંનેના મૃતદેહ માટે હોસ્પિટલ મોકલી દીધા હતા.
અને આગળની તપાસ કરી રહ્યા હતા. ગામના લોકો આ ઘટના જોઈને શોકમાં આવી ગયા હતા અને તેમના પરિવારજનોમાં દીકરીને આ ઘટનાની જાણ દીકરીને કરવામાં આવી હતી અને તેમના માતા અને ભાઈના મૃત્યુથી તે ખૂબ જ આઘાતમાં આવી ગઈ હતી. આજકાલ ક્યારે કોની સાથે કઈ ઘટના બની જાય તે કહી શકાતું નથી અને પરિવારના લોકો પોતાના જેવી ગુમાવી રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]