માતા પિતા તેમના બાળકોને લઈને ખૂબ જ ચિંતા હોય છે, નાની ઉંમરમાં તેમને ઉછેર કરવાની બાબત નથી માંડીને જ્યાં સુધી તેમના બાળકો ભણી ગણીને કોઈ સારા વ્યવસાયના માલિક ન બની જાય ત્યાં સુધી દરેક માતા પિતાને તેમના બાળકોની ચિંતા સતાવતી હોય છે. પરંતુ અત્યારે એક બે વર્ષનો માસુમ બાળકો અન્ય કોઈ જિંદગી જુવે એ પહેલા તો એવી ઘટનાનો ભોગ બની ગયો હતો કે..
માતા-પિતાને પછતાવાનો વારો આવી ગયો હતો, આ બનાવ મધ્ય પ્રદેશના છતરપુરમાંથી સામે આવ્યો છે, અહીં રાતેપુર ગામની અંદર બે વર્ષનો આરંસ નામનો દીકરો તેના પિતા પુષ્પેન્દ્ર તેમજ અન્ય પરિવારના સભ્યો સાથે રાજી ખુશીથી જીવન વિતાવતો હતો, બે વર્ષનો આ દીકરો તેના ઘરના આંગણામાં બનેલી પાણીની ટાંકી પાસે આસપાસના વિસ્તારમાં રહેતા અન્ય બાળકોની સાથે નાહી રહ્યો હતો..
એવામાં તે ખૂબ જ ઊંડા પાણીમાં ચાલ્યો ગયો અને પાણીમાં ડૂબી જવાને કારણે તેનું મૃત્યુ થઈ ગયું હતું, જ્યારે પરિવારને ખબર પડી કે આરંસ પાણીની અંદર ડૂબી ગયો છે, અને તેનો જીવ ચાલ્યો ગયો છે ત્યારે તાબડતો તેને જિલ્લાની એક સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવા માતા-પિતા દોડવા લાગ્યા હતા..
હોસ્પિટલમાં પહોંચ્યા બાદ જ્યારે ડોક્ટરે સારવાર શરૂ કરી ત્યારે ડોક્ટરે જણાવી દીધું કે, તમારા દીકરાનું મૃત્યુ થઈ ચૂક્યું છે અને અત્યારે આ જિલ્લા હોસ્પિટલમાં આ રચના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પણ મોકલી દેવામાં આવ્યો છે અને ત્યારબાદ પરિવારજનોને પણ પરત સોંપી દેવામાં આવ્યું છે..
માત્ર બે વર્ષના દીકરાનું મૃત્યુ થઈ જતા પરિવારમાં મોતનો માતમ છવાઈ ગયો હતો. આરંશની માતા તો દુઃખની આ ઘડીને સહન કરી શકી નહીં, તે વારંવાર તેના દીકરાના મૃત્યુને લઈને ખૂબ જ ઊંડા આકાતમાં ચાલી જતી હતી તેને પણ સારવાર લેવાની ફરજ આવવી પડી, કારણ કે તે તેના દીકરા ના મૃત્યુના સમાચાર સહન કરી શકે નહીં..
નાના બાળકો સાથે ખૂબ જ માઠા બનાવવો ખૂબ જ વધારે પ્રમાણમાં બની રહ્યા છે, આ પાછળ માતા પિતા તેમના બાળકોની સાર સંભાળ માટે ક્યાંક ને ક્યાંક કચાશ રાખી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પાણીની ટાંકીની અંદર નહાતી વખતે આરંસ નામનો આ દીકરો એટલા બધા ઊંડા પાણીમાં ચાલ્યો ગયો કે તેનો જીવ પણ જતો રહ્યો હતો..
તેની સાથે અન્ય બાળકો પણ નાહતા હતા, તેમણે જ્યારે આરેન્સને ડૂબતો જોયો ત્યારે તરત જ આનંદના માતા-પિતાને બૂમ લગાવી હતી આરેન્સના માતા-પિતા આ ટાંકી પાસે આવી પહોંચે એ પહેલા તો આરંશનું રિબાઈ રિબાઈને મૃત્યુ થઈ ગયું હતું. આ ઘટનાને લઈ આખા ગામમાં શોકનો મહોલ્ક છવાઈ ગયો છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]