Breaking News

‘બિલ્ડીંગના 12માં માળે ભૂત થાય છે’ એવી ખબર પડતા જ રહીશોને માથે તાવ ચડી ગયો, રાત્રે 12માં માળે જઈને જોવા ગયેલા યુવકને તો…

જો કોઈ વિચિત્ર કે ચોંકાવનારી ઘટના આપણે કોઈ અન્ય વ્યક્તિના મોઢેથી સાંભળીએ છીએ તો આપણને વિશ્વાસ થતો નથી, પરંતુ જો એવી જ ચીજ વસ્તુઓને આપણે પોતાની નજરથી જોઈએ અથવા તો પોતાના કાનથી સાંભળી હોય તો આપણા પણ હોશ ઉડી જતા હોય છે, અત્યારે એક બિલ્ડીંગની અંદર ખૂબ જ મોટી ઘટના બની જવા પામી છે..

આ ઘટના વિશે જ્યારે લોકોને ખબર પડી ત્યારે બિલ્ડીંગની અંદર રહેતા રહીશોને તો માથે તાવ ચડી ગયો હતો અને રાત્રે સૌ કોઈ લોકોના ઘરમાં ડરનો માહોલ સર્જાઈ જતો હતો. આ ઘટનાને લઈને ચારેકોર મચી જવા પામ્યો છે, બિલ્ડીંગના દરેક લોકો બિલ્ડીંગ નીચે ઉતરી ગયા હતા તેમજ નાના બાળકોમાં પણ ડરનો માહોલ સર્જાઈ ગયો હતો..

આ હચમચાવી દેતો બનાવ પેરેડાઇઝ એપાર્ટમેન્ટ માંથી સામે આવ્યો છે, આ એપાર્ટમેન્ટમાં બારમા માળે ખૂબ જ વિચિત્ર ઘટનાઓ બની ગઈ હતી, પરંતુ જ્યારે હકીકત સામે આવી ત્યારે લોકો જોતા ને જોતા જ રહી ગયા હતા. બારમા માળે આવેલા બે ફ્લેટમાં થી એક પ્લેટની અંદર અશોકભાઈ નામના વ્યક્તિ વસવાટ કરતા હતા..

જ્યારે બીજો ફ્લેટ છેલ્લા ઘણા વર્ષોથી ખાલી પડ્યો હતો, અશોકભાઈ એક દિવસ રાતના બાર વાગ્યા આસપાસ અચાનક જ બિલ્ડિંગમાં બુમા બુમ મચાવી દીધી હતી અને કહેવા લાગ્યા કે, બિલ્ડીંગના બારમાં માળે ભૂત થાય છે. અશોકભાઈ તેમના પરિવારને સાથે લઈને બિલ્ડીંગમાં નીચે ઉતરી ગયા હતા..

બિલ્ડીંગમાં રહેતા અન્ય રહીશોને પણ માથે તાવ ચડવા લાગ્યો કે, જો બિલ્ડીંગના બારમાં માળે ભૂત થતું હોય તો તેમને પણ ડર રહેલો છે, કોઈપણ વ્યક્તિએ આ ઘટના પાછળની સત્ય ઘટના શું છે તેને જાણવાની કોશિશ કરી નહીં અને અશોકભાઈની વાતમાં આવી જઈને તેઓ પણ ડરવા લાગ્યા હતા..

અશોકભાઈ કહ્યું કે, તેઓ જ્યારે પાણી પીવા માટે ઊભા થયા ત્યારે તેઓએ તેમના સામેના ખાલી પડેલા ફ્લેટની અંદર કોઈ વ્યક્તિને સફેદ કલરની અંદર આમથી આમટા ફેરા મારતા જોઈ લીધા છે. આ ઉપરાંત અંદરથી ખૂબ જ ડરામણાં અવાજો પણ આવી રહ્યા છે, કોઈક વખત કોઈ નાનો બાળક રડી રહ્યો હોય તો કોઈ વખત મહિલાની ચીખો પણ સંભળાઈ રહી છે..

નક્કી આ ફ્લેટ ની અંદર ભૂત પ્રેત રહેલું છે, આ ઘટનાને લઈને તેઓના ઘરની અંદર પણ ભય રહેલો છે. એટલા માટે તેઓ તેમના પરિવારને સાથે લઈને છઠ્ઠા મળે રહેતા તેમના મિત્રના ઘર પાસે આવી પહોંચ્યા હતા, બિલ્ડીંગની અંદર હોબાળો મચી જવા પામ્યો કે, એવું તો શું થયું છે કે દરેક લોકોમાં ભયનો માહોલ સર્જાઈ ગયો છે..

કોઈપણ વ્યક્તિએ 12 માં માળે ખાલી પડેલા આ ફ્લેટની પાસે જવાની કોશિશ કરી નહીં અને અંતે સોસાયટીમાં વોચમેનને બારમાં માળ પાસે મોકલવામાં આવ્યો અને શું છે તેને જાણકારી મેળવવાનું કહ્યું હતું, જ્યારે સોસાયટીનો વોચમેન ત્યાં પહોંચીયો ત્યારે તેને પણ આ અવાજ સંભળાયો હતો તે આ અવાજ સાંભળતાની સાથે જ પરસેવે રેબઝેબ થઈ ગયો અને તાબડતો નીચે ઉતરી આવ્યો હતો..

અને દરેક લોકોને જણાવ્યું કે, નક્કી આ ફ્લેટની અંદર ભૂત પ્રેત કે આત્મા રહેલી છે. આ ફ્લેટના માલિકો વિદેશમાં વસવાટ કરતા હતા, આ વાતની જાણકારી જ્યારે તેઓને ખબર પડી ત્યારે તેઓએ કહ્યું કે, તેઓ આ ફ્લેટને હવે વેચી દેવા માંગે છે. કારણ કે, આ ફલેટની અંદર જો કોઈ ભૂત પ્રેત કે આત્મા રહેલા હોય તો અન્ય કોઈ વ્યક્તિ ક્યારેય પણ આ ફ્લેટને ખરીદશે નહીં..

એટલા માટે જો અત્યારે કોઈ વ્યક્તિ તેને ખરીદવા માંગતા હોય તો તેઓ આ ફ્લેટને વેચી દેવા માંગતા હતા, આ વાત જ્યારે અશોકભાઈ સુધી પહોંચી ત્યારે તેઓએ જણાવી દીધું કે, આ ફ્લેટની અંદરથી તેઓ ભુત ભગાડી દેશે અને તેઓ આ ફ્લેટને પણ ખરીદી લેશે જ્યારે સોસાયટીના લોકોએ જાણ્યું કે અત્યાર સુધી તો અશોકભાઈ તેમના સામે રહેલા ફ્લેટને ખરીદવાની ઘણી બધી કોશિશ કરતા હતા..

પરંતુ વિદેશ રહેલા ફ્લેટના મૂળ માલિક આ પ્લેટને વેચવા માંગતા હતા નહીં, પરંતુ જ્યારે આ ભૂતપ્રેતની વાત આવી ત્યારે તેઓ અચાનક જ આ ફ્લેટને વેચવા માટે તૈયાર થઈ ગયા છે, તો બીજી બાજુ અશોકભાઈ પણ આ ફ્લેટની અંદર ભૂત પ્રેત રહેલું છે. છતાં પણ તેને ખરીદવા માંગી રહ્યા છે..

આ બાબત કોઇ પણ વ્યક્તિને હજમ થઈ નહીં એટલા માટે તેઓએ તપાસ શરૂ કરાવી ત્યારે ખબર પડી કે, આ ફ્લેટની અંદર અશોકભાઈએ એક મ્યુઝિક સિસ્ટમ મૂકી દીધી હતી. જેના થકી અંદરથી કોઈ મહિલાનો રડવાનો અવાજ તેમજ બાળકોના હસવાનો અવાજ પણ આવી રહ્યો હતો..

કોઈક વખત આ વિચિત્ર અવાજ પણ સંભળાતો હતો, જેથી કરીને બિલ્ડીંગના લોકોને લાગે કે અહીં ભૂત થાય છે અને ફ્લેટનો ભાવ ઓછો થઈ જાય તેમ જ ફ્લેટ નો મૂળ માલિક તેને વેચી પણ નાખે, એક ફ્લેટને ખરીદવા માટે અશોકભાઈ નામના આ વ્યક્તિએ એવું મોટું કારનામું રચી નાખ્યું હતું કે, બિલ્ડીંગમાં લોકોમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો..

આ ઘટનાને લઈને જ્યારે બિલ્ડીંગના રહીશોને ખબર પડી ત્યારે તેઓએ અશોકભાઈને ખખડાવી નાખ્યા હતા અને તેમની સામે ફરિયાદ નોંધાવવા માટે તેઓ પોલીસ સ્ટેશનને પણ પહોંચી ગયા હતા કે, પોતાના ફાયદાના કારણે આ વ્યક્તિએ ઘણા બધા વ્યક્તિઓને ડરના માહોલમાં ધકેલી દીધા હતા..

આગળ પણ આ પ્રકારના ઘણા બધા બનાવો સામે આવી ચૂક્યા છે, જેમાં અંતે સત્ય ઘટના સુધી પહોંચે ત્યારે કંઈક જુદી જ ઘટના સામે આવી જતી હોય છે. જ્યારે પણ આવી ભૂત પ્રેત કે આત્માની કહાનીઓ સાંભળીએ છીએ ત્યારે સામાન્ય વ્યક્તિને તો મોતિયા મરી જતા હોય છે, પરંતુ જ્યારે સત્ય હકીકત જાણવામાં આવે ત્યારે હાશકારો અનુભવો પડે છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *