હાલ નાની મોટી દુર્ઘટના પ્રમાણ ખૂબ વધી રહ્યા છે. કોઈપણ બાબતની નાની અમથી ચૂક ખૂબ મોટી દુર્ઘટના માં પરિવર્તન થઈ જતી હોય છે. એવો જ એક કિસ્સો મહારાષ્ટ્રના પૂણેમાં સામે આવ્યો છે. પુણેના યરવાડા શાસ્ત્રીનગરમાં એક મોટી દુર્ઘટના બની છે. જેમાં અંદાજે 7 થી 8 લોકોના મોત થવાની માહિતી મળી છે.
યરવાડા વિસ્તારમાં એક ઈમારતનું બાંધકામ ચાલતું હતું. એ દરમિયાન બિલ્ડિંગમાં લોખંડ ની જાળી તૂટી જતા બિલ્ડીંગ ધરાશાયી થઈ હતી. જેના પગલે બિલ્ડિંગના ભોયરામાં રહેલા મજુરો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. આ ઘટના બન્યા પછી આજુબાજુના વિસ્તારના લોકો તરત જ ત્યાં દોડી આવ્યા હતા..
અને કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે મથી રહ્યા હતા. તેમજ તેઓએ તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડને જાણ કરી દીધી હતી. તેમજ પોલીસ કર્મચારીઓને પણ કામે લગાડી દીધા હતા. તપાસમાં જણાયું છે કે આ ઘટના ત્યારે બની હતી ત્યારે મજૂરો બિલ્ડિંગના ભોયરામાં કામ કરી રહ્યા હતા..
અચાનક જ ઉપરથી બિલ્ડિંગ ધરાશાયી થતાં. તેઓ નીચે દટાઈ ગયા હતા. ઘાયલ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે. જેમાં કેટલાક મજૂરો ખૂબ ગંભીર રીતે ઘાયલ થયા છે. જ્યારે કેટલાક મજૂરો અને નજીવો માર વાગયો છે. તેમજ આ ઘટનામાં સાત મજુરોના કરૂણ મોત નિપજ્યા છે..
જ્યારે ત્રણ મજૂરો હજુ પણ સારવાર હેઠળ છે. આ ઘટના બન્યા પછી તરત જ રાત્રે આ કાટમાળને હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. આ બાબતની જાણ પીએમ મોદીને થતા તેઓએ પણ ટ્વિટ કરીને અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. આ ઘટનામાં મૃત્યુ પામેલ તમામ મજૂરો બિહાર રાજ્યના નિવાસી છે…
તેઓ મજુરી કામ અર્થે પુણેની યરવડા વિસ્તારમાં આવ્યા હતા. પુણે વિસ્તારના ડીસીપીએ જણાવ્યું છે કે, અહીં એક મોલ બનાવવામાં આવી રહ્યો હતો. તેનું સ્ટીલનું સ્ટ્રક્ચર ઉભૂ હતું. એ દરમિયાન તે અચાનક જ તૂટી પડતાં લોખંડ ની જાળી ધરાશાયી થતા સાથે સાથે બિલ્ડીંગ પણ નીચે પડી ગઈ હતી.
પીએમએ ટ્વીટ કરી ને જણાવ્યું છે કે બિલ્ડિંગ ના આ અકસ્માતથી હું ખૂબ જ દુઃખી છું. મૃત્યુ પામેલા લોકોના પરિવાર પ્રત્યે હું ખૂબ સંવેદના પાઠવું છું. તેમજ આશા રાખું છું કે ઘાયલ થયેલા તમામ લોકો ખૂબ જ જલ્દી જ સ્વસ્થ થઈ જાય. આ અકસ્માતને જોનારા લોકોનું કહેવું છે કે લોકોની ચીસો સાંભળીને અમારા રુવાડા બેઠા થઇ ગયા હતા. ખરેખર આ અકસ્માત કાળજું કંપાવે તેવો હતો.
Pained by the mishap at an under-construction building in Pune. Condolences to the bereaved families. I hope that all those injured in this mishap recover at the earliest: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 4, 2022
An under-construction building collapsed in the Yerwada Shastri Nagar area of Pune. At least 3 people have died, many feared trapped, the fire brigade has reached the spot: Pune Fire Brigade
Further details awaited— ANI (@ANI) February 3, 2022
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]