દિવસ રાત મહેનત કરવા છતાં પણ જો માણસને ધારેલું કામ યોગ્ય મહેનત ઉપર ન મળી આવે તો તે ખૂબ જ નાખુશ થઈ જતો હોય છે. તે હંમેશા વિચારવા લાગે છે કે, તેની સાથે એવું તો શું થયું હશે કે તેનું ધારેલું કામ પાર પડવામાં આટલી બધી વાર લાગી રહી છે. અત્યારે એક બિલ્ડરને ધારેલું કામ પાર ન કરતા તે તાંત્રિકની વિધિઓમાં ફસાઈ ગયો હતો..
તેમણે તેમના એક સંબંધીને જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા કેટલાક સમયથી ઘણી બધી મથામણ કરી રહ્યા છે. પરંતુ તેમનું ધારેલું કામ પાર પાડવામાં કોઈને કોઈ અડચાણો આવી પડે છે. ત્યારે તેમના સંબંધીએ જણાવ્યું કે, તેઓ એક તાંત્રિકને ઓળખે છે. આ તાંત્રિક પાસે એવી શક્તિ છે કે તે કોઈ પણ વ્યક્તિના મગજને ઓળખી જાય છે અને તેના કામમાં કઈ અડચાણો આવેલી છે, તેની પણ જાણકારી આપી દે છે..
અને આ કાર્ય માટે તેઓ મામાદેવની વિધિ કરવાનું કહેશે અને એ વિધિ કરતાની સાથે જ તમારા પરિવારનો બેડો પાર થઈ જશે. આ ઘટના બીપીનભાઈ નામના વ્યક્તિ સાથે બની હતી. તેઓ તેમના સંબંધી જયસુખભાઈની વાતોમાં આવી ગયા હતા અને તાંત્રિક પાસે મામાદેવની વિધિ કરાવવાનું નક્કી કરાવી નાખ્યું હતું..
આ બાબત ઉપર તેઓ તાંત્રિક પૂર્ણેશ ભાઈને મળ્યા હતા. પૂર્ણેશભાઈએ તાંત્રિક વિધિ કરવા માટે તેમના ઘરે આવવું પડશે તેવું જણાવ્યું હતું અને આ વિધિ દરમ્યાન તેઓએ એક શ્રીફળમાંથી સોનાનું મંગળસૂત્ર પણ કાઢી બતાવ્યું હતું. જ્યારે પરિવારજનો આ દ્રશ્ય જોયું ત્યારે તેમનું મગજ કામ કરતું બંધ થઈ ગયું કે, આખરે એવું તો શું થયું હશે કે શ્રીફળ માંથી સોનાનું મંગળસૂત્ર નીકળી ગયું છે.
તેવો વિચારમાં મુકાઈ ગયા હતા, તેઓને લાગ્યું કે, નક્કી આ તાંત્રિક ખૂબ જ જ્ઞાની છે. અને તે કોઈ પણ વ્યક્તિના મનને ઓળખી કાઢે છે. એટલા માટે તેઓએ વિધિ કરાવવાની શરૂ કરી હતી. ત્યારે તાંત્રિકે જણાવ્યું કે, તમારા ઘરની અંદર જ્યાં-જ્યાં કીમતી સામાન પડેલો છે. તે તમામ ચીજ વસ્તુ લઈને આવો અને આ લાલ કલરની પોટલી ની અંદર બાંધ્યા બાદ હું કહું ત્યાં તમારે મૂકવું પડશે અને થોડા સમય માટે તમારે દૂર થવું પડશે..
હું આ ધન સંપત્તિમાંથી ખરાબ નજરોને દૂર કરી નાખીશ અને ત્યારબાદ તમારા પરિવારમાં સુખ સંપત્તિ આવી જશે. આ તાંત્રિકના કહ્યા પ્રમાણે પરિવારજનો તેમના ઘરમાં રહેલી તમામ સોના ચાંદીની ચીજ વસ્તુઓની સાથે સાથે રોકડ રૂપિયા પણ લઈ આવ્યા હતા અને તેને લાલ કલરની એક પોટલીની અંદર બાંધ્યા બાદ કબાટની અંદર મૂકી દીધી હતી..
અને ત્યારબાદ પરિવારના સૌ સભ્યો એક બીજી રૂમમાં ચાલ્યા ગયા હતા. જ્યારે પૂર્ણ કર્યા બાદ આ તાંત્રિકે જણાવ્યું કે, આ લાલ પોટલીને તેઓએ કબાટના અંદરના લોકરમાં મૂકી દીધી છે. અને 21 દિવસ સુધી આ પોટલીને ખોલવાની નથી, હું તમને ફોન કરીશ ત્યારબાદ જ તમારે આ પોટલીને ખોલવાની છે..
પરંતુ બીપીનભાઈનો પરિવાર તાંત્રિકના ફોનની રાહ જોઈને બેઠો રહ્યો, પરંતુ તેમનો ફોન ન આવતા અંતે તેઓએ આ પોટલી કબાટમાં કઈ જગ્યાએ છે. તેની ભાળ મેળવવા લાગ્યા હતા. એ વખતે તેમને ખબર પડી કે, તેમના કબાટની અંદરથી આ પોટલી ગાયબ થઈ ગઈ છે. અને નક્કી એ વખતે વિધિ કરાવવા માટે આવેલા તાંત્રિકે આ તમામ ચીજ વસ્તુ ચોરી લઈને ત્યાંથી રફુચક્કર થઈ ગયો છે..
હવે આ તાંત્રિક ક્યાં ગયો હશે અને તેણે ચોરી કરેલી આ અમનતને ક્યાં સાચવી રાખી હશે, વગેરે જેવા પ્રશ્નોને લઈને પરિવારજનો મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. આ બધી બાબતોમાંથી પસાર થયા બાદ અંતે તેઓ પોલીસના શરણે પણ આવી પહોંચ્યા હતા. દીન પ્રતિ દિન કોઈ વ્યક્તિની વાતોમાં ફસાઈ જઈને ઘણા બધા લોકો આવી મુશ્કેલીઓનો સામનો કરતા હોય છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]