જ્યારે પણ આપણે બહાર કોઈ રેસ્ટોરન્ટ કે હોટેલ ની અંદર જમવા માટે જઈએ છીએ ત્યારે તમામ ચીજ વસ્તુઓ ગુણવત્તાવાળી છે કે નહીં..? આ ઉપરાંત તેને બનાવવામાં આવતી જગ્યા ઉપર સ્વાસ્થ્ય અને સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે છે કે નહીં..? વગેરે જેવી બાબતોની તપાસણી કરવી જોઈએ..
કારણ કે અત્યારના સમયમાં ઘણી બધી હોટેલ અને રેસ્ટોરન્ટમાં નાગરિકોના સ્વાસ્થયને અનુલક્ષીને કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. અને ગમે તેવી ચીજ વસ્તુઓ વાપરીને ખાવાનું બનાવવામાં આવે છે અને કસ્ટમર સુધી પરોસી દેવામાં પણ આવતું હોય છે. જેને ખાવાને કારણે વ્યક્તિની તબિયત પણ બગડવા લાગતી હોય છે..
અત્યારે એક એવી ઘટના સામે આવી છે કે, જે ખૂબ જ મોટો હોબાળો ઉભો કરી દીધો છે. આ ઘટના ઈન્દોરની છે. અહીં શાલીમાર ટાઉનશીપની અંદર આકાશકુમાર દુબે તેમના પરિવાર સાથે રહે છે. તેઓ બપોરના સમયે લંચ કરવા માટે નજીક આવેલા અલબા રેસ્ટોરન્ટ ની અંદર આવ્યા હતા..
જ્યાં તેઓએ વેજ પુલાવ ઓર્ડર કર્યો હતો, પરંતુ જ્યારે તેમને પુલાવ પીરસવામાં આવ્યો ત્યારે તેઓએ નજર ફેરવીને જોયું તો અંદરથી એવી ચીજ વસ્તુઓ મળી આવી હતી કે, તે જોતાની સાથે તેઓનો મગજ તપી ગયો હતો. અને ખૂબ જ મોટો હોબાળો ઉભો થઈ ગયો છે. તેઓએ નજર ફેરવી તો તેમને દેખાયું કે, આ પુલાવની અંદર નોનવેજ હડ્ડી મળી આવી છે..
આ હડ્ડી જોતાની સાથે જ તેણે હોટલના મેનેજરને પોતાની પાસે બોલાવ્યો હતો અને જણાવ્યું કે તેઓએ વેજ પુલાવનો ઓર્ડર કર્યો છે, તેવો બ્રાહ્મણ છે. તેઓએ આજ સુધી ક્યારેય પણ નોનવેજ ચીજ વસ્તુઓને અડકી નથી અને અચાનક જ તેમને જે પુલાવ પીરસવામાં આવ્યો છે. તેની અંદરથી નોનવેજ વસ્તુઓ મળી આવી છે..
જેને લઈ તેઓ ભારે ગુસ્સામાં આવી ગયા હતા. પરંતુ હોટલના મેનેજરે તેમને સહયોગ કરવાની મનાઈ કરી દેતા અંતે તેઓ હોટલના સંચાલક સામે કાર્યવાહી કરવા મજબૂર બન્યા હતા, તેઓએ તરત જ હોટલના મેનેજર તેમજ સંચાલકો સામે ફરિયાદ નોંધાવી દીધી હતી. આ ઉપરાંત તેઓએ આ ઘટનાનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરી દીધો છે..
જેમાં તેણે જણાવ્યું કે, આ હોટલની અંદર મેનેજમેન્ટની વાપરવાહીને કારણે તેમની સાથે ખૂબ જ મોટી હરકતો થઈ ગઈ છે. આ ઉપરાંત હોટલના મેનેજર અને સંચાલકો પણ એવી રીતે વ્યવહાર કરે છે કે જાણે તેમની કોઈ ભૂલ ન હોય, આકાશ કુમારે અલબા મિસ્તો હોટલના મેનેજર અને સંચાલકો સામે ફરિયાદ નોંધાવી છે..
અને જણાવ્યું છે કે તેઓએ તેમની ધાર્મિક ભાવનાને છિન્નભિન્ન કરી નાખી છે. આ ઘટનાને લઈ હોટલના માલિકો સામે એક વર્ષ જેલ તેમજ આર્થિક રૂપિયાના દંડની પણ સજા થઈ શકે છે. આ હોટેલની અંદર વેજ અને નોનવેજ બંને પ્રકારનું ખાવાનું મળે છે. આકાશભાઈએ વેજ પુલાવ ઓર્ડર કર્યો હતો..
પરંતુ તેમને ચિકન બિરયાની પીરસી દેવામાં આવી હતી. હોટલ મેનેજમેન્ટની આટલી મોટી ભૂલને કારણે હાલ તેઓને ખૂબ જ ખરાબ અનુભવ સહન કરવાનો વારો આવ્યો છે. જો તમે પણ કોઈ જગ્યાએ ખાવા માટે જતા હોવ તો સ્વાસ્થ્ય તેમજ સ્વચ્છતાને લઈને જરૂર ચકાસણી કરવી જોઈએ અને ત્યારબાદ જ મોઢામાં અન્નનો કોળીયો મૂકવો જોઈએ..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]