આજકાલ નાના બાળકોને સાચવવા ખૂબ જ મુશ્કેલ બની ગયા છે. અને એમાં પણ અજાણતા તેઓની સાથે કોઈપણ બનાવ બની જતા પસ્તાવાનો વારો મા-બાપને આવતો હોય છે. અત્યારે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં ગુંદાળા ગામે એક કરૃણ ઘટના બની છે. જેમાં બે માસૂમ બાળકોએ જીવ ગુમાવી દીધો છે.
ગઢડા તાલુકાના ગુંદાળા ગામ માં ઓળકીયા પરિવાર વર્ષોથી વસવાટ કરે છે. આ પરિવારના બે કાકા દાદા ના ભાઈઓ જેમાં ચિરાગ હિંમતભાઈ ઓળકીયા કે જેની ઉંમર ૧૭ વર્ષની છે. અને વિવાન વિપુલભાઈ ઓળકીયા જેની ઉંમર 6 વરસની છે. આ બંને પિતરાઈ ભાઈઓ વાડીએ રમતા હતા.
રમતા રમતા બન્નેને તરસ લાગી હતી. તેથી તેઓ પાણી પીવાની ઇલેક્ટ્રિક મોટરને શરૂ કરવા જઈ રહ્યા હતા. એવામાં તેમને કરંટ લાગ્યો હતો. કરંટ લાગતાં જ તેઓ ઢળી પડ્યા હતા. મોઢામાંથી એક પણ ચીખનો અવાજ પણ ન નીકળ્યો હતો. આ કરંટ એટલું ભયંકર હતું કે જેની ન પૂછો વાત….
ખૂબ હાઇવોલ્ટેજ ના કરંટના પગલે બન્ને ભાઈઓ ઘટનાસ્થળે મૃત્યુ પામ્યા હતા. આ ઘટના ત્યારે બની ત્યારે આસપાસના લોકો ની નજર ત્યાં હતી. એટલા માટે તેઓએ બૂમાબૂમ કરીને પરિવારના અન્ય સભ્યોને પણ જાણ કરી હતી. પરિવારના સભ્યોએ નજીક આવીને જોયું તો તેઓને આંખે અંધારા આવી ગયા હતા.
કારણ કે તેમના જ પરિવારના બે કુલદીપ આપો કરંટ લાગવાથી મૃત્યુ પામ્યા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતાં ગઢડા પોલીસ ગુંદાળા ગામ ની વાડીએ દોડી આવી હતી. તેમજ અકસ્માતે મોત થયું હોવાનો ગુનો નોંધ્યો હતો. અને ત્યારબાદ બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ ખાતે ગઢડાની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ બનતા ગુંદાળા ગામમાં અરેરાટી મચી ગઇ છે. સાવ નાની ઉંમરના બે બાળકના મૃત્યુ થતા આખું ગામ હિબકે પડ્યું હતું, સૌ કોઈ લોકોએ અશ્રુભીની આંખે આ બંને બાળકોને શ્રધ્ધાંજલિ આપી હતી. આ બાળકના મૃત્યુના સમાચાર સોશિયલ મીડિયા પર મળતા જ સૌ કોઈ લોકોમાં શોક પ્રસરી ગયો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]