જે ઘરમાં ખુશીનો પ્રસંગ હોય એ ઘરની અંદર જ મોટાભાગે દુઃખની ઘડી પણ સૌ પ્રથમ બને તેવા યોગ શુભ પ્રસંગની ઘડી ઉપર બની જાય છે. આપણે એવી ઘણી બધી ઘટનાઓ જોઈ છે કે, જેમાં પરિવારજનો શુભ પ્રસંગનો આનંદ માણી રહ્યા હોય પરંતુ અચાનક જ કોઈ એવી દુઃખની ઘરે આવી જાય કે શુભ પ્રસંગ માતમ માં ફેરવાઈ જતો હોય છે..
અત્યારે કંઈક એવી જ ઘટના ઉત્તર પ્રદેશના હરદોઈમાંથી સામે આવી છે. અહીં જાન લઈને જતી એક બોલેરો કાર ટ્રક સાથે અથડાઈ જતા બોલેરો કારની અંદર બેઠેલા વરરાજાની સાથે સાથે અન્ય ચાર વ્યક્તિઓના પણ કચરઘાણ બોલી ગયા હતા. આ અકસ્માતમાં કુલ પાંચ વ્યક્તિના મૃત્યુ થઈ જતા આંખો હાઇવે મરણ ચીખોથી ગુંજી ઉઠ્યો છે..
આ ઘટના આટલી બધી ચોંકાવનારી છે કે, કોઈ પણ વ્યક્તિ માટે આ દુઃખને સહન કરવું સહેલું બન્યું નથી. હરપાલના ગુડહા ગામની અંદર 21 વર્ષના દિવેશ નામના યુવકના લગ્ન લેવાયા હતા. તમામ મહેમાનો અને સંબંધીઓ કારમાં બેસીને શાહજહાપુરના અભિયાન ગામની અંદર દીવેશની જાન લઈને જતા હતા..
એ દરમિયાન દિવેશ બોલેરો કારની અંદર તેના પિતા તેના જીજાજી અને અન્ય છ વ્યક્તિઓની સાથે બેઠો હતો. અચાનક જ હાઈવે ઉપર દરિયાબાદ ગામની પાસે સામેથી શેરડી ભરેલો એક ટ્રક ખૂબ જ વધારે ગતિથી બેકાબુ બનીને તેમની સામે આવી ગયો અને આ બોલેરો કારને ટક્કર મારી દેતા બોલેરો કારના ટાયર ફાટી ગયા..
અને નજીકમાં રહેલી નહેરની અંદર આકાર બેકાબુ થઈને નીચે ફટકાઈ હતી. તેના તમામ કુરચે કુરચા ઊડી ગયા હતા. આ અકસ્માત એટલો બધો ભયંકર હતો કે, વરરાજાના જીજાજી તેમજ વરરાજાના દુરના ભાઈનું તો ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. જ્યારે વરરાજો દેવેશ, બાર વરસનો રુદ્ર, વરરાજાના પિતા અને ડ્રાઇવર સહિતના લોકો ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થતાં..
તેને ફરુખાબાદના એક હોસ્પિટલની અંદર સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની નજરે જોનારા લોકોની તો હોશ ઉડી ગયા છે. વરરાજાના ભાઈ અનીકેતે જણાવ્યું કે, તેના મોટાભાઈ ના લગ્ન હોવાથી દરેક લોકોમાં ખૂબ જ વધારે ખુશી હતી. છેલ્લા ત્રણ દિવસથી તેમના ઘરમાં જુદી જુદી વિધિઓ પણ ચાલતી હતી..
અને દરેક રસમની અંદર સૌ કોઈ લોકો ખૂબ જ વધારે ખુશીથી ડાન્સ કરી રહ્યા હતા. પરંતુ આ બનાવ ક્યારે બની ગયો તેની કોઈ વ્યક્તિને જાણ રહી નહીં અને આ ઘટનાની અંદર તેમના જ પરિવારના કુલ પાંચ વ્યક્તિના મૃત્યુ થયા છે. જેમાં વરરાજો પણ મૃત્યુ પામતા તે લગ્નના સાત ફેરા ફરે એ પહેલા તો દુલ્હન પણ વિધવા બની ગઈ છે..
બોલેરો ગાડીના કચરઘાણ ઉડી જતા અંદર બેઠેલા આઠ લોકોમાંથી પાંચ વ્યક્તિના મૃત્યુ થયા છે. જ્યારે બાકીના વ્યક્તિની હાલત હજુ પણ ખૂબ જ ગંભીર છે. આ અકસ્માતનો બનાવો એટલો બધો હાથ મચાવી દેતો હતો કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ટ્વિટ કરીને અકસ્માતનો ભોગ બનેલા લોકોના પરિવારજનોને હિંમત આપવાની કોશિશ કરી છે..
તેઓએ આ અકસ્માતની અંદર મૃત્યુ પામેલા તમામ લોકો ને શ્રદ્ધાંજલિ પાઠવી છે. આ અગાઉ પણ એક અઠવાડિયાની અંદર ત્રણ બનાવ્યા એવા બની ચૂક્યા છે કે, જેમાં ભયંકર અકસ્માતને કારણે એક સાથે ચારથી સાત વ્યક્તિ સુધીના મૃત્યુ થયા છે. દિન પ્રતિ દિન હાઇવે ઉપર અકસ્માતના બનાવ ખૂબ જ વધી જવાને કારણે ચકચાર મચી જવા પામ્યો છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]