Breaking News

બર્થ ડે મનાવવા અમેરિકા ફરવા ગયેલા પરિવાર માથે આભ ફાટ્યું, ફોટો પાડવા જતા જ માં-બાપ -30 ડીગ્રીમાં બરફ બની ગયા.. દીકરીઓ અનાથ બની ઓમ શાંતિ..!

જ્યારે પરિવારના લોકો પોતાની મોજ મસ્તી માટે બહાર ફરવા નીકળે છે, ત્યારે પરિવારના લોકોને ખબર નથી હોતી કે તેમની સાથે ક્યારેય કઈ ઘટના બની જશે. તેઓ પોતાની ખુશીઓથી મોજ મસ્તી કરી રહ્યા હોય છે. આવી જ એક પરિવાર સાથે એવી ઘટના બની હતી કે જે જોઈને દરેક લોકોને પીગળી ગયા હતા.

આ ઘટના અમેરિકાના એરિઝોના રાજ્યમાં કોકોનિનો કાઉન્ટીમાં વુડ્સ કેન્યોનના બરફથી થીજી ગયેલા તળાવમાં બની હતી. તળાવમાં ત્રણ ભારતીય પરિવાર તેમનો જન્મદિવસ ઉજવવા માટે ગયા હતા. ભારતીયના ત્રણ પરિવારોમાં એક વ્યક્તિનો જન્મદિવસ હતો. પરિવારમાં નારાયણ મુદ્દા તેમની ઉંમર 49 વર્ષની હતી.

અને તેમની પત્ની હરિતા મુદ્દા રહેતા હતા. તેમને બે દીકરીઓ હતી. જેમાં એક દીકરીનું નામ હર્ષિતા અને બીજી દીકરીનું નામ પૂજાતા હતું. હરિતાની ઉંમર 7 વર્ષની હતી અને બીજીની ઉંમર 11 વર્ષની હતી. બંને દીકરીઓ તેમને માતા-પિતા સાથે ખૂબ જ ખુશી ખુશીથી રહેતી હતી. નારાયણના મિત્ર ગોકુલ મેડિસિટી તેમની ઉંમર 47 વર્ષની હતી.

તેઓ પણ પોતાની પરિવારના લોકો સાથે બરફથી થીજેલા તળાવ પાસે જન્મદિવસ ઉજવવા માટે ગયા હતા. કોકોની પાસે તેઓ જન્મદિવસની ઉજવણી માટે ફોટા પાડવા માટે ગયા તે સમયે હરિતાના જન્મદિવસ હોવાને કારણે તેઓ ખુબ ખુશ હતા જેથી દરેક મિત્રો અને તેમના બાળકો તળાવમાં ફોટા પાડવા માટે ગયા હતા.

આ તળાવને બરફના જાડા સ્તરે ઢાંકી દીધું હતું. જેના કારણે દરેક લોકો ત્યાં ચાલી શકતા હતા પરંતુ એક સાથે 6 યુવક-યુવતીઓ અને તેમના 5 બાળકો ગયા હતા. તે સમયે અચાનક જ ત્યાંનો બરફ તૂટી ગયો હતો. દરેક લોકો ફોટોગ્રાફી કરી રહ્યા હતા. ફોટોગ્રાફી કરવા માટે તેઓ તળાવ પર ચડ્યા અને એક સાથે દરેક લોકો બરફ તૂટતા પાણીમાં નીચે જતા રહ્યા હતા.

બાળકો દૂર હોવાને કારણે તેઓ બચી ગયા પરંતુ નારાયણ મુદા તેમની પત્ની હરિતા મુદા અને તેમનો મિત્ર ગોકુલ આ તળાવમાં માઇનસ 30 ડિગ્રીના તાપમાનના પાણીમાં ડૂબી ગયા હતા. બરફનું પડ તૂટવાને કારણે નીચે 30 ડિગ્રી તાપમાનનું પાણી રહેલું હતું. જેમાં અચાનક જ તેઓ થીજી ગયા હતા.

ત્રણેય વ્યક્તિઓ નીચે પાણીમાં જતા રહેવાને કારણે તરત જ બચાવવા માટે રેસ્ક્યુ ટીમ બોલાવવામાં આવી અને આસપાસના લોકો બુમા બુમ કરી રહ્યા હતા. ત્યારબાદ તરત ટીમના લોકોએ આવીને મહિલાને બહાર કાઢી પરંતુ તેમનું શરીર થીજી જવાને કારણે તેમનો જીવ બચાવી શક્યો નહીં, તળાવમાં તપાસ કરતા સમયે બે યુવકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.

બંને જણાની બંને દીકરીઓ હર્ષિતા અને પૂજાતાએ તેમની આંખો સામે પોતાના માતા-પિતાને ગુમાવ્યા હોવાને કારણે તેઓ આઘાત સહન કરી શકયા નહીં જેના કારણે કોકો કાઉન્ટી સરીફ ઓફિસરોએ દીકરીઓની કાળજી લીધી હતી અને તેમને સુરક્ષિત રાખવામાં આવી હતી. દીકરીઓને પોતાના માત પિતાના ગુમાવ્યા હોવાને કારણે અનાથ થઈ ગઈ હતી.

જેના કારણે દીકરીને પાંચ લાખથી વધુ સહાય કરવામાં આવી હતી અને અનાથ દીકરીઓને શિક્ષણમાં પણ મફત શિક્ષણ આપવામાં આવશે. તેની સહાય આપવામાં આવી હતી. ત્રણ વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવવાને કારણે પરિવારના લોકો આઘાત સહન કરી શકયા નહીં અને પરિવારના લોકો નિરાધાર થઈ ગયા હતા. માતા-પિતાના મૃત્યુ અચાનક થઈ જતા બંને દીકરીઓ અનાથ બની હતી. ક્યારે લોકોની ખુશીઓ દુખમાં ફેરવાઈ જાય તે કહી શકાતું નથી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *