Breaking News

ખતરનાક વાવાઝોડું ‘બિપોરજોય’ આ વિસ્તારોને ધમરોળી નાખશે, જાણી લ્યો હવામાન વિભાવની સચોટ આગાહી..!

અરબ સાગરની અંદર બિપોરજોય નામનું એક મહાકાય વાવાઝોડું ધીમે ધીમે ગુજરાત તરફ નજીક આવી રહ્યું છે, આ વાવાઝોડું જેટલી ગતિ આગળ વધી રહ્યું છે, તેટલી જ ગતિથી ગુજરાતના મોટાભાગના લોકોના શ્વાસ અધ્ધર ચડી ગયા છે, કારણ કે આ વાવાઝોડાની ગતિ એટલી બધી વધારે છે કે, તે જમીન સાથે ટકરાતાની સાથે જ ઘણી બધી તબાહી મચાવી શકે છે..

આ વાવાઝોડાને લઈને હવામાન વિભાગે ઘણી બધી આગાહીઓ આપી છે, આ ઉપરાંત વાવાઝોડાની અંદર કેવી રીતે આત્મરક્ષણ કરી શકાય તેમજ અન્ય બાબતોનું પણ કેવી રીતે ધ્યાન રાખી શકાય તેની પણ ગાઇડલાઇન્સ રજૂ કરવામાં આવી છે, હાલ આ વાવાઝોડુ પોરબંદર થી અંદાજે 340 km દૂર છે..

તેમજ દ્વારકા થી 380 કિ.મીની દુરી ઉપર મહાકાય સ્વરૂપ ધારણ કરીને ધીમે ધીમે આગળ આવી રહ્યું છે, હવામાન વિભાગે જણાવેલી આગાહી મુજબ આ વાવાઝોડું 15 તારીખના રોજ કચ્છના માંડવી તેમજ પાકિસ્તાનના કરાચી વિસ્તારની વચ્ચે અતિશય વેગ સાથે ત્રાટકી શકે છે. આ ઘટનાને લઈને દરિયાકાંઠાના તમામ જિલ્લાઓમાં એલર્ટ આપી દેવામાં આવ્યા છે..

તેમજ તમામ બંદરો ઉપર પણ અતિશય ભયસુચક સિગ્નલો લગાવી દેવામાં આવ્યા છે, આ વાવાઝોડાને લઈ વહીવટી તંત્ર પણ એકાએક એલર્ટ થયું છે, અને પોરબંદર, જામનગર, ઓખા, મુન્દ્રા, જખો, સલાયા સહિતના પોર્ટ ઉપર નવ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જ્યારે માંડવી ઉપર 10 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે..

ભયંકર વાવાઝોડાને લઈને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ પણ વિવિધ મંત્રીઓને જુદા-જુદા જિલ્લાઓની જવાબદારી સોંપી છે. આ મહાકાય વાવાઝોડાની અસરને પગલે અત્યારે મોટાભાગના દરિયાકિનારે અંદાજે 10 ફૂટ થી લઇ 15 ફૂટ સુધીના મોજા ઉછળવા લાગ્યા છે, અને દરિયામાં કરંટ પણ જોવા મળી રહ્યો છે..

વાવાઝોડાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે, તેમજ દરેક બોટને પણ લંગર કરી દેવામાં આવે તેવા આદેશો આપી દેવામાં આવ્યા છે, બિપોરજોય વાવાઝોડું આટલું બધું ખતરનાક છે કે, જેની અસર અત્યારથી જ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં દેખાઈ રહી છે..

જેમાં વલસાડ જિલ્લાની અંદર અચાનક જ વાતાવરણમાં પલટો થયો છે, તેમજ દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં અતિશય પવન ફૂંકાઈ રહ્યો છે. વાવાઝોડામાં કોઈપણ મોટી હોનારતને ટાળી શકાય એટલા માટે ઘણી બધી એનડીઆરએફની ટીમને પણ જુદા જુદા જિલ્લાઓની અંદર સ્ટેન્ડ બાય પર રાખી દેવામાં આવી છે..

આ ઉપરાંત વાવાઝોડું જ્યાં ટકરાવાની સંભાવના રહેલી છે, ત્યાં દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા લોકોનું પણ સ્થળાંતર શરૂ કરવામાં આવ્યું છે. આ વાવાઝોડું આજથી એક દિવસ પહેલા પાકિસ્તાન તરફની દિશા પર આગળ વધી રહ્યું હતું. પરંતુ વાવાઝોડાઈ અચાનક જ પોતાની દિશા બદલી નાખતા હવે આ વાવાઝોડું કચ્છના અમુક વિસ્તારોમાં તેમજ પાકિસ્તાનના અમુક ભાગોમાં ટકરાશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે..

જો આ વાવાઝોડું થોડા સમયની અંદર હજુ પણ પોતાની દિશા બદલશે તો ગુજરાત તરફથી ખતરો ટળી શકે છે. વાવાઝોડાને પહોંચી વળવા માટે દરેક લોકો હવામાન વિભાગે આપેલી ગાઈડલાઇન્સને ખૂબ જ ચોક્કસતાથી પાલન કરે તેવા પણ આદેશો આપવામાં આવ્યા છે. આ વાવાઝોડાને પગલે આવનારા ત્રણ દિવસમાં ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ભારતીય અતિ ભારે વરસાદ વરસી શકે છે..

તેમજ વાવાઝોડાના અતિ ભારે પવન પણ ફૂંકાવાની શક્યતાઓ રહેલી છે, દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, તાપી, ડાંગ, સુરત, સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ જ્યારે અમરેલી, જુનાગઢ, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર તેમજ કચ્છના દરિયા કિનારાના વિસ્તારો પાસે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *