અમુક વખત જ્યારે માણસ ઉપર કાળ ત્રાટકે ત્યારે બધી બાજુથી મુશ્કેલીઓ જ સહન કરવી પડે છે. આ ઉપરાંત જ્યારે એવી ખરાબ પરિસ્થિતિ ઓ પેદા થાય છે, ત્યારે બધી બાજુથી દુઃખ સામું ચાલ્યું આવતો હોય છે. અને માણસ મનોમન મૂંઝાઈ જતો હોય છે. અત્યારે કંઈક આવા પ્રકારની જે ઘટના બની જવા પામી છે..
સરોજ નગર વિસ્તારમાં રહેતા સવિતાબેન નામની મહિલા સાંજના સમયે બસની અંદર મુસાફરી કરતી હતી. તે શહેરમાંથી પોતાને પીયર ગામડે જવા માટે નીકળી હતી. કારણકે તેના પિતા હવે માત્ર અંતિમ શ્વાસ લઈ રહ્યા હતા અને ટૂંક સમયમાં જ તેમનો જીવ જતો રહેશે, તેવું ડોક્ટરે જણાવી દીધું હતું. એટલા માટે અંતિમ વાર તેના બીમાર પિતાની ખબર પૂછવા માટે તે બસમાં બેસીને ગામડે જતી હતી..
ત્યારે અડધી રસ્તે તેની સાથે એવું થયું છે કે, બસ પાછી વાળીને શહેરમાં લાવવી પડી હતી. સાંજના 08:00 વાગે આસપાસ સવિતાબેન બસની અંદર બેસી ગયા હતા. જ્યારે રાતના 1:00 વાગ્યા આસપાસ હાઈવે ઉપરની એક હોટલ પાસે સવિતાબેનને બસના ડ્રાઈવરને બસ ઉભી રાખવા માટે જણાવ્યું હતું. કારણ કે તેઓને અચાનક જ પેશાબ કરવા માટે જવું પડે તેમ હતું..
તેઓએ તાત્કાલિક ધોરણે બસ ઉભી રખાવી અને પેશાબ કરવા માટે બસની નીચે ઉતર્યા કે, પાછળથી મોતની ગતિએ દોડીને આવતા એક ડમ્પરે તેમને અડફેટે લઈ લીધા અને કચડી નાખ્યા હતા. તેમની હાલત એટલી બધી ખરાબ હતી કે, તેમને નજરે જોનારા વ્યક્તિ પણ હલબલી ગયા છે..
તેઓને એવી તો શી ખબર કે તેમને બસની નીચે ઉતરીને એક પગલું માંડતાની સાથે જ તેમનું મોત આવી જશે, એક બાજુ તેમના બીમાર પિતા અંતિમ શ્વાસ લઈ રહ્યા હતા અને તેઓ ક્યારે તેમની દીકરીનું મોઢું જોવે તેની રાહ જોઈને બેઠા હતા. તો બીજી બાજુ સવિતાબેન ને એક ગમ્ખ્વાર અકસ્માત નડી ગયો હતો.
બસની ટિકિટમાં લખેલા મોબાઈલ નંબર ઉપરથી સવિતાબેનના પતિ નો કોન્ટેક્ટ કરવામાં આવ્યો અને તેમને ફોન કરીને જાણકારી આપી દેવામાં આવી કે, સવિતાબેનનું કાળમુખા અકસ્માતની અંદર મૃત્યુ થયું છે. ત્યારે તેઓએ જણાવી દીધું કે, તમે બસને પાછી વાળીને ફટાફટ સવિતાબેન ને પોતાને ઘરે પહોંચાડી દો..
બસના ડ્રાઇવર અને કંડક્ટરે તાત્કાલિક ધોરણે સવિતાબેનની લાશને બસની અંદર નાખી શહેરમાં આવવા માટે નીકળી ગયા હતા અને અડધી રાત્રે તેઓ શહેરે પરત પાછા આવી ગયા, જ્યાં સવિતાબેનના પરિવારજનોને આ લાશ સોંપી દેવામાં આવી હતી અને ત્યારબાદ બસ ત્યાંથી રવાના થઈ ગઈ હતી..
પરંતુ આ ઘટના દરમિયાન ડ્રાઇવર કંડક્ટર સહિત અંદર બેઠેલા મુસાફરોના પણ કાળજા ધમધમી ગયા હતા. તો બીજી બાજુ ગામડે રહેલા તેમના બીમાર પિતાનું પણ બીજા દિવસે તરત જ અવસાન થઈ ગયું હતું. તેઓને જ્યારે અંતિમ સમાચાર આપવામાં આવ્યા કે સવિતાબેન નું મૃત્યુ થઈ ગયું છે, બસ આ સમાચાર સાંભળતાની સાથે જ તેઓને આંખમાંથી આંસુ નીકળી પડ્યા અને માત્ર પાંચ મિનિટની અંદરથી તેમના પિતાનું અવસાન થઈ ગયું હતું..
એક સાથે બે લોકોના અવસાન થઈ જતા પરિવારજનોમાં મોતનો માતમ છવાઈ ગયો હતો. ચારેકોર રોકવાકળ મચી ગઈ હતી, કારણ કે સગા બાપ દીકરી માત્ર એક જ દિવસમાં તેમની વચ્ચેથી જતા રહ્યા છે. જેનું દુઃખ સૌ કોઈ લોકોને હતું. ગામડે રહેલા સૌ કોઈ લોકોએ સવિતાબેન ના પિતાને અશ્રુભીની આંખે અંતિમ શ્રદ્ધાંજલિ આપીને તેમના અંતિમ સંસ્કારની કામગીરી કરી નાખી હતી..
અને ત્યારબાદ તેઓ શહેરમાં પરત આવી ગયા અને ત્યારે સવિતાબેનની અંતિમ સંસ્કારની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હતી. જ્યારે જ્યારે આવા બનાવો બને છે, ત્યારે સૌ કોઈ લોકો કહી બેસે છે કે માથે કાળ ત્રાટકયો હોય ત્યારે બધી બાજુથી મુશ્કેલીઓ સહન કરવી પડે છે. એક પણ રસ્તો આપણા માટે ખાલી રહેતો નથી કે જેમાંથી પસાર થઈને આપણે બચી શકીએ..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]