Breaking News

બીમાર પત્નીને ચેકિંગ કરાવીને વેપારી ઘરે પહોચ્યો ત્યાં તો આવી પડી એવી આફત કે બિચારો ચોધાર આંસુએ રડવા લાગ્યો, કઠણાઈઓ હાવી થઈ ગઈ..!

અત્યારના સમયમાં કોઈના પર વિશ્વાસ કરવો ખૂબ જ અઘરો બની ગયો છે. દરેક લોકો વિશ્વાસઘાત કરી રહ્યા હોય છે અને છેતરપિંડી તેમજ ચોરી, લૂંટફાટના બનાવો પણ વધી રહ્યા છે. હાલમાં એક વેપારી સાથે એવી ઘટના બની છે કે, જે સાંભળીને દરેક લોકો પોતાના ઘરનું ધ્યાન રાખતા થઈ ગયા છે.

આ ઘટના જોધપુર જિલ્લામાં આવેલા બાલાસર શહેરના ઉતંબરામાં રહેતા કાપડના વેપારી સાથે બની છે. ઉતંબરામાં રહેતા વેપારી સત્યનારાયણ રાઠી પોતાના પરિવાર સાથે રહે છે. તેઓ પોતાના પરિવારમાં તેમની પત્ની તેમજ દીકરો અને દીકરાની વહુ સાથે રહે છે. સત્યનારાયણના દીકરાનું નામ પ્રભુલાલ રાઠી છે.

અને પ્રભુલાલની પત્નીનું નામ રોશન રાઠી છે. સત્યનારાયણ ઘણા સમયથી કાપડનો વ્યવસાય કરી રહ્યા છે. સત્યનારાયણ બે ભાઈઓમાં મોટા છે, તેમના નાના ભાઈ પુખરાજ રાઠી તેઓ સુરતમાં રહે છે. સુરતમાં રહીને કાપડનો વ્યવસાય કરી રહ્યા છે. સત્યનારાયણને ખટંબર ગામમાં કાપડનો ખૂબ જ મોટો વ્યવસાય છે.

જેના કારણે પિતા પુત્ર આ વ્યવસાય સંભાળી રહ્યા હતા પરંતુ સત્યનારાયણની પત્ની ઘણા સમયથી બીમાર રહેતી હતી. તે કોઈ બીમારીને કારણે પોતાની જિંદગી સારી રીતે પસાર કરી શકતી ન હતી. જેના કારણે સત્યનારાયણ એક દિવસ તેમની બીમાર પત્નીને લઈને તેમના નાના ભાઈ પુખરાજના ઘરે સુરત જવા માટે નીકળ્યા હતા.

ત્યારે તેમની સાથે તેમનો દીકરો પ્રભુલાલ અને તેમની પત્ની રોશન રાઠી પણ સુરત આવ્યા હતા. પરિવારના લોકો પોતાના ઘરને બંધ કરીને સુરત આવવા માટે નીકળ્યા હતા. ત્યારે સત્યનારાયણ તેમના પાડોશીને ઘરનું ધ્યાન રાખવાનું કહ્યું હતું અને ઘરને જોવાનું કહીને નીકળી ગયા હતા. પરિવારના લોકો સુરત પહોંચ્યા હતા.

ત્યારબાદ સત્યનારાયણ તેમની પત્નીને સારવાર કરાવીને ફરી સુરતથી ખટંબરા ગામ પરત ફરવા માટે નીકળી ગયા હતા. તેઓ પોતાના ઘરે ગયા હતા ત્યારે તેઓએ ઘરનું તાળું ખુલ્યું હતું. દીકરાની પુત્ર વધુએ ઘરનું તાળું ખોલ્યું હતું અને તે પોતાનું બેગ લઈને ઘરમાં પ્રવેશી હતી. ત્યારે તેમણે જોયું તો તેમના ઘરના અંદરનો દરવાજો ખુલ્લો હતો.

અને રૂમોના તાળા પણ તૂટેલા હતા. પાછળનો દરવાજો પણ તૂટેલો હતો. આ જોઈને જ દીકરાની વહુ રોશન ચિંતામાં આવી ગઈ હતી અને તે ગભરાઈને બૂમ પાડી બેઠી હતી. જેના કારણે પરિવારના લોકો તેની પાછળ ઘરમાં આવ્યા હતા અને દરેક લોકોએ જોયું તો ઘરનો દરેક સમાન વેરવિખેર પડેલો જોવા મળ્યો હતો.

સાથે જ ઘરના પાછળનો દરવાજો જે બાંભોર ઘોડીયાળા રોડ પર ખુલતો હતો. તે તૂટેલો જોવા મળ્યો હતો. ઘરના બે દરવાજા હતાં જેમાં એક મુખ્ય દરવાજો અને પાછળનો દરવાજો તૂટેલો જોવા મળ્યો હતો. જે જોઈને દરેક લોકો ગભરાઈ ગયા હતા અને પોતાની ઘરના કબાટમાં રહેલી તિજોરીઓના તાળા તૂટેલા જોવા મળ્યા હતા.

આ જોઈને સત્યનારાયણ ચોકી ઉઠ્યા હતા. સાથે જ પરિવારના લોકો રડવા લાગ્યા હતા. તેઓના ઘરમાં ખૂબ જ મોટી ચોરી થઈ હોય તેવી શંકા દેખાઈ રહી હતી. જેના કારણે પોલીસને આ વાતની જાણ કરવામાં આવી હતી અને પાડોશીના લોકો પણ સત્યનારાયણના ઘરે ભેગા થઈ ગયા હતા. પોલીસે ઘટના સ્થળે આવીને દરેક વસ્તુઓની તપાસ કરી હતી.

તે સમયે પાછળના ઘરના દરવાજેથી કોઈ અંદર આવ્યું હોય તેના પગના નિશાન પણ જોવા મળ્યા હતા. જેના કારણે ચોર લુટેરાઓ આ દરવાજેથી અંદર પ્રવેશ્યા હોવાનું જાણવા મળ્યું હતું અને વેપારીએ પોલીસની પૂછપરછ સમય જણાવ્યું હતું કે, તેમના ઘરે 1.5 કિલો સોનું છે 90 લાખની કિંમતનું હતું અને 13લાખની કિંમતનું 20 કિલો ચાંદી તેમજ 14 લાખ રૂપિયા રોકડા સાથે અન્ય વસ્તુઓ લુટેરાઓ લૂંટી ગયા છે.

આ ચોરીની જાણ થતા પોલીસ પણ ચોકી ગઈ હતી. આ વિસ્તારમાં પ્રથમવાર આટલી મોટી કિંમતની ચોરી થઇ હોવાને કારણે ચોરી પોલીસે પોતાની તપાસ ઝડપી શરૂ કરી હતી અને લુટેરાઓની શોધવાની કામગીરી હાથ ધરી હતી. આ ઘટના બનતા આ જ વેપારી માથે હાથ મૂકીને રડવા લાગ્યા હતા. તેમની આખી જિંદગીની કમાણી લૂંટાઈ ગઈ હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *