રોજબરોજ આપણી આસપાસના વિસ્તારમાંથી ગંભીર બનતા બનાવો સામે આવી રહ્યા છે. એક જ પરિવારમાં રહેતા લોકોના એકસાથે મૃત્યુ થઈ જતા કેવો માહોલ સર્જાઈ જાય છે તે આપણે જાણી શકીએ છીએ. હાલમાં આવી જ એક કરુણ ઘટના હાલમાં સામે આવી છે. આ ઘટના પાલીના રાહત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સાંઝી ગામમાં રહેતા પરિવારમાં બની હતી.
પરિવારમાં રહેતા મોટા વ્યક્તિ ભલારામ મેઘાવાલ તેમની પત્ની અને બાળકો સાથે રહેતા હતા. ભલારામની ઉંમર 30 વર્ષની હતી. ભલારામની પત્નીનું નામ મીરા હતું. મીરાની ઉંમર 23 વર્ષની હતી. ભલારામ અને મીરાને 3 બાળકો હતા, જેમાં સૌથી મોટી દીકરી અને તેનાથી 2 નાના ભાઈ-બહેન હતા. સૌથી મોટી દીકરીની ઉંમર 8 વર્ષની છે.
અને દીકરીથી નાની એક બીજી દીકરી હતી. આ દીકરીનું નામ નગીના હતું. તેમની ઉંમર 4 વર્ષની હતી. અને તેનાથી એક નાનો ભાઈ હતો. તેમની ઉંમર 3 વર્ષની હતી. ત્રણ વર્ષના દીકરાનું નામ ભીમારામ હતું. પરિવાર ખૂબ જ રાજી ખુશીથી રહેતું અને ભલારામને ગામમાં જમીન હોવાને કારણે તેઓ જમીન વાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
તેઓ સારા ખેડૂત હતા અને ગામમાં પણ દરેક લોકો સાથે તેઓ ખૂબ જ સારી રીતે રહેતા અને ઘણા સમયથી તેમના 3 વર્ષના દીકરાની તબિયત સારી ન હતી. તે ખૂબ જ બીમાર રહેતો જેના કારણે ભલારામની પત્ની મીરા અને તેમની 4 વર્ષની દીકરીને સાથે લઈને ડોક્ટર પાસે રોહત ગામમાં ગયા હતા. ડોકટરે દીકરાની તપાસ કરીને દવાઓ આપી હતી.
ત્યારબાદ પત્ની અને તેમના બંને બાળકોને લઈને પોતાના ગામ પરત આવી રહી હતી, તે સમયે અચાનક જ રસ્તામાં દીકરાની તબિયત બગડી ગઈ હતી અને દીકરો ખૂબ જ ઉલટી કરવા લાગ્યો હતો. રસ્તા પર સતત ઉલટી કરવાને કારણે દીકરો થોડીવારમાં ઢળી પડ્યો હતો. માતાને લાગ્યું કે તે બેભાન થઈ ગયો છે. જેના કારણે તરત જ તેના પતિને મીરાએ જાણ કરી હતી.
ભલારામ દીકરા અને તેમની પત્ની પાસે ઘટના સ્થળે પહોંચી ગયા, તે સમયે પિતાએ જોયું તો દીકરાનું મૃત્યુ થઈ ગયું હતું. જેના કારણે પતિ-પત્ની ખૂબ જ આઘાતમાં આવી ગયા રસ્તા પર તેણે પોતાના દીકરાને આંખની સામે મૃત્યુ પામતા જોયો હોવાને કારણે માતા ખૂબ જ રડી રહી હતી અને નાની દીકરી પણ તેમનો ભાઈ જાગ્યો નહીં જેના કારણે રડી રહી હતી.
માતા-પિતા રડીને ખૂબ જ ચિંતિત થઈ ગયા અને તેઓ શું કરી રહ્યા છે? તેનું તેને ભાન રહ્યું નહીં. જે તેઓ પોતાના દીકરાને હાથમાં ઉપાડીને ગામ તરફ આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં એક ખેતરમાં તેમણે કૂવો જોયો, આ કૂવો પોતાના જ ગામના એક ખેડૂતના ખેતરમાં હતો. માતા-પિતા તેમના દીકરાને લઈને કુવા પાસે પહોંચ્યા હતા.
અને માતા પિતાએ તેમના મૃત દીકરાને અને તેની સાથે રહેલી 4 વર્ષની દીકરીને લઈને કુવામાં અચાનક કૂદી ગયા હતા. ત્યારે કુવામાં કૂદી જતા તેઓએ ડૂબીને પોતાના જીવ ગુમાવ્યા હતા. આસપાસ કોઈ પણ પસાર થઈ રહ્યું નહોતું પરંતુ ગામના ખેતરના માલિક જ્યારે ખેતરે ગયા ત્યારે તેમણે તેમના કુવામાં જોયું હતું. ચાર મૃતદેહને તરતા જોયા હતા.
આ જોઈને તરત જ ગામના લોકોને આ ઘટનાની જાણ કરી અને ગામના લોકો તરત જ ખેતરમાં પહોંચ્યા હતા અને પોલીસને પણ આ ઘટનાની જાણ કરી દેવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચીને ચારેય મૃતદેહને બહાર કાઢ્યા ત્યારબાદ પરિવારમાં રહેલી મોટી દીકરીને તેમના માતા-પિતા પાસે લઈ જવામાં આવી હતી.
દીકરી તેમના એકસાથે પરિવારના ચાર સભ્યોને આ હાલતમાં જોઈને ત્યારે ત્યાં જ બેભાન થઈ ગઈ હતી. ત્યારબાદ ગામના લોકો પતિ-પત્ની અને તેમના બાળકોના મૃતદેહને લઈને ગામમાં પહોંચ્યા હતા અને એકસાથે ગામમાં ચારેયની અર્થીઓ એકસાથે ઉઠી હતી. આ જોઈને ગામમાં શોકનો માહોલ જવાઈ ગયો હતો. ગામમાં ખૂબ જ રોરોકળ થઈ ગઈ હતી. પરિવારમાં મોટી દીકરીએ તેમના આખા પરિવારને ગુમાવી દીધું હતું. અવારનવાર આવી ઘટનાઓ બનતી ખૂબ જ સામે આવી રહી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]