દિવાળીનું વેકેશન પડતાની સાથે શહેરમાં વસીને નોકરી ધંધા કરનાર વ્યક્તિઓ પોતાના વતને રહેતા માતા-પિતાને મળવા માટે પહોંચી જતા હોય છે. વેકેશન પડ્યું નથી કે તેઓ તરત જ પોતાને વતને જવા માટે નીકળી જતા હોય છે. કેટલાક પરિવાર પોતાની કાર લઈને નીકળે છે તો કેટલાક પરિવાર બસમાં પણ મુસાફરી કરે છે..
તો કેટલાક પરિવારજનો બાઈક લઈને અથવા તો ટ્રેનમાં પણ મુસાફરી કરીને પોતાને પોતાને ગામડે જતા હોય છે. દિવાળીના વેકેશનના સમયમાં માત્ર બે થી ત્રણ દિવસની અંદર જ શહેરનો અડધો વિસ્તાર ખાલી થઈ જતો હોય છે. કેટલીક વખત ગામડે જતી વખતે ખૂબ મોટા અકસ્માતના દ્રશ્યો પણ સામે આવતા હોય છે..
ગામડે રહેતા માતા પિતાને ખૂબ જ ચિંતા હોય છે કે, તેમના દીકરા દીકરીઓની સાથે સાથે નાના બાળકો પણ સુખી રીતે પોતાને વતનને પહોંચી જાય પરંતુ અમુક વખતે એટલા બધા માઠા બનાવો સહન કરવા પડે છે કે, જેના વિશે સાંભળીને પણ ભલભલા લોકોના રુવાટા બેઠા થઈ જતા હોય છે.
અત્યારે કંઈક આવો જ એક ગંભીર બનાવ સામે આવ્યો છે. રોહિત કુમાર નામનો વ્યક્તિ પોતાની પત્નીને સાથે લઈને પોતાની વતન પપટા ગામ જવા માટે નીકળ્યો હતો. તે સિદ્ધપુરી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરી જીવન ગુજારતો હતો. પરંતુ જ્યારે દિવાળીનું વેકેશન પડી ગયું ત્યારે તે સવારના 10:00 વાગ્યા આસપાસ પોતાના ઘરેથી બાઈક લઈને પોતાના ગામ પપટા જવા માટે નીકળી ગયો હતો..
બીજી બાજુ તેના માતા-પિતા ગામડે રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે તેમનો દીકરો રોહિત ઘરે પરત આવે અને તેનો ચહેરો જોઈને માતા-પિતા પણ ખુશ થઈ જાય પરંતુ તે જ્યારે અડધી રસ્તે પહોંચ્યો ત્યારે હાઇવે ઉપર પાછળથી આવતા એક ડમ્પરે રોહિત કુમારની બાઇકને ટલો મારી દીધો હતો.
બાઈક 60 થી 70 ની ગતિ એ ચાલતી હોવાને કારણે આ સહેજ અમથો ટલો પણ ખૂબ જ વેગ પકડી લીધો હતો. અને તેમની બાઈક ઢસડાઈ ગઈ હતી. રોહિત કુમારે પોતાના માથામાં હેલ્મેટ તો પહેર્યું હતું પરંતુ હેલ્મેટ નીચેનું હુક બરાબર બંધ ન કર્યું હોવાથી તેમનો હેલ્મેટ નીચે પડકાતાની સાથે જ માથામાંથી સરી ગયો હતો..
અને તેમનું માથું જમીન સાથે અથડાઈ ગયું હતું. પરિણામે રોહિત કુમારનું ઘટના સ્થળે જ માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. જ્યારે આ અકસ્માત બન્યો ત્યારે આસપાસના સૌ કોઈ લોકો પોતાના વાહન થોભાવીને રોહિત કુમારની મદદથી આવી પહોંચ્યા હતા. તાત્કાલિક એમ્બ્યુલન્સને પણ બોલાવવામાં આવી અને તેને સારવાર માટે લઈ જવામાં આવ્યા..
પરંતુ હોસ્પિટલ પહોંચે એ પહેલા જ રોહિત કુમારે જીવ ગુમાવી બેઠો હતો. તો બીજી બાજુ રોહિતની પત્ની પણ ખૂબ જ હોશ ગુમાવી બેઠી હતી. કારણ કે તેની નજર સામે તેના પતિ રોહિતભાઈનું મૃત્યુ થઈ ગયું હતું. જ્યારે આવી ઘટનાઓ સામે આવે છે. ત્યારે ભલભલા લોકો ખૂબ જ ચોંકી જતા હોય છે..
જ્યારે રોહિતકુમારના માતા પિતાને આ સમાચાર સાંભળવામાં આવશે ત્યારે તેઓના પણ છૂટી જશે કારણકે તેઓ છેલ્લા કેટલાક દિવસથી રોહિત કુમારને ફોન કરીને વતાને તેડાવી રહ્યા હતા. પરંતુ વતને આવતી વખતે જ રોહિત કુમારનું મૃત્યુ થઈ જતા હવે માતા-પિતા માટે પણ આ દુઃખની ઘડી સહન કરવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે.
તેના માતા-પિતાને જ્યારે જાણકારી મળી કે રોહિતનું ગામડે આવતી વખતે અકસ્માતમાં મોત થયું છે. ત્યારે તેઓ ત્યાંને ત્યાં જ ઢળી પડ્યા હતા અને કહેવા લાગ્યા કે હે તે તો ભગવાન મારા દીકરાને જ મારી પાસેથી છીનવી લીધો છે. હવે હું તેના વગર નહી જીવી શકું. કહીને રોહિતકુમારની માતાનું હૈયાફાટ રુદન જોવા મળ્યું હતું.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]