Breaking News

બિચારા માં-બાપ પગે પડીને રડતા રહ્યા અને નકામી દીકરી તેના પ્રેમી સાથે ભાગવા લાગતા દ્રશ્ય જોઈને તમે પણ હલબલી જશો, સમાજ માટે ચોંકાવતો કિસ્સો..!

ઘણા બધા દીકરા કે દીકરીઓને અત્યારના સમયમાં તેમના માતા પિતા વિશે કશો જ વિચાર કર્યા વગર તેઓ પોતાની રીતે એવડું મોટું પગલું ભરી લેતા હોય છે, જેના કારણે તેમના માતા-પિતાનું જીવન જીવવું પણ ખૂબ જ મુશ્કેલ બની જાય છે. ઘણા બધા દીકરા દીકરીઓ જુવાનીના જોશમાં એવું પગલું લઈ લે છે..

જેના વિશે તેમના માતા પિતાએ ક્યારેય વિચાર્યું પણ ન હોય, બિચારા મા-બાપે તેમના દીકરા દીકરીને ભણાવી ગણાવીને પાલનપોષણ કરીને મોટા ઘરે છે, પરંતુ સમજણ શક્તિનો થોડો ઘણો અભાવ રહેતા જુવાન ઉંમરના દીકરા દીકરીઓ તેમના માતા પિતાને દુઃખ પહોચાડવામાં કોઈ પણ કસર બાકી મુકતા ન હોય તેવા કિસ્સાઓ રોજબરોજ સામે આવી રહ્યા છે..

અત્યારે એક એવો હચમચાવી દેતો કિસ્સો સામે આવ્યો છે, જેણે સમાજના લોકોને ચોંકાવી દીધા છે. જો આ બાબત ઉપર કોઈ કડક વલણ રાખવામાં નહીં આવે તો આવનારા દિવસો ખૂબ જ ભયંકર સાબિત થશે તેવું અત્યારથી જ અનુમાન લગાવાઇ રહ્યું છે, આ ઘટના ચલેડા ગામમાંથી સામે આવી છે..

આ ગામડામાં વનરાજભાઈ નામના ખેડૂત તેમના પરિવાર સાથે જીવન ગુજારે છે, પરિવારમાં તેમની પત્ની મંજુલાબેન તેમનો મોટો દીકરો રાજેશ તેમજ 21 વર્ષની દીકરી શીતલનો સમાવેશ થતો હતો. તેમની 21 વર્ષની આ દીકરીને તેઓએ ભણાવી ગણાવીને પાલનપોષણ કરીને મોટી કરી હતી..

પરંતુ એ જ દીકરી અત્યારે તેના માતા પિતા માથે ખૂબ જ મોટી મુશ્કેલીઓ નાખી દીધી હતી, જ્યારે આ દીકરીનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો ત્યારબાદ વનરાજભાઈ તેમની દીકરી માટે વેવિશાળ શોધવાનું શરૂ કર્યું હતું, તેઓ સારો ભણેલ ગણેલ મુરતિયો શોધતા હતા. જેની સાથે તેઓ તેમની દીકરીના લગ્ન કરાવીને તેમની દીકરીને સાસરે વળાવી શકે..

સમગ્ર પરિવારને ખૂબ જ હોશ હતી કે, તેઓ શીતલના લગ્નમાં મન મૂકીને આનંદ લેશે પરંતુ આ આનંદનો લાભ કોઈપણ વ્યક્તિ લઈ શક્યા નહીં, કારણકે શીતલે તેના પરિવારને જણાવ્યું કે, તે અન્ય કોઈ યુવકને પ્રેમ કરી રહી છે અને એ યુવકની સાથે જ તે લગ્ન જીવન ગુજારવા માંગે છે..

પરિવારના દરેક સભ્યોએ શીતલને ખૂબ જ સમજાવી હતી, પરંતુ શીતલે જણાવ્યુ કે, જુઓ તેના લગ્નજીવન શક્ય નહીં થાય તો બીજે દિવસે તે ઝેર પીઈને આપઘાત કરીને જીવન ટૂંકાવી દેશે, પરંતુ અન્ય કોઈ વ્યક્તિની સાથે પરણશે નહીં જ્યારે તેને મોઢામાંથી આ શબ્દો કાઢ્યા ત્યારે વનરાજભાઈ તેમજ મંજુલાબેન તો ખૂબ જ ચોંકી ઉઠ્યા હતા કે, આવનારા દિવસોની અંદર તેમની દીકરી કદાચ જીવ આપી દેશે…

તો તેઓનું મોઢું ફાટેલુંને ફાટેલું જ રહી જશે, એટલા માટે તેઓ તેના પ્રેમી સાથે તેને પરણાવવા માટે રાજી થઈ ગયા હતા. એક બાજુ તેમને ખૂબ જ ચિંતા સતાવતી હતી, કારણ કે તેમની દીકરી હજુ અણસમજુ મનની હતી, તે કોઈપણ નિર્ણય પોતાની જાતે લઈ શકે તેટલી સમજશક્તિ ન ધરાવતી હતી..

છતાં પણ તે પોતાની વાત ઉપર અડગ રહી હતી જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, તે કયા વ્યક્તિને પ્રેમ કરી રહી છે. ત્યારે તેને જણાવ્યું કે તેમના જ ગામમાં રહેતા અજય નામના યુવકને તે પ્રેમ કરે છે. અજય ઉપર સરકારી કેસો ચાલતા હતા, આ ઉપરાંત તે દારૂ જેવી નશીલા પદાર્થોની હેરાફેરી કરવામાં પણ ઘણી બધી વાર ઝડપાઈ ગયો છે..

અને હવે તો તે પોતાના ઘરે જ દારૂની ભઠ્ઠી ચલાવીને દેશી દારૂનું વેચાણ કરતો હતો. આવા કાળા કારનામાં સાથે જોડાયેલા યુવકને શીતલ પ્રેમ કરી બેઠી હતી. વનરાજભાઈ અને મંજુલાબેન પોતાના દીકરીના ભવિષ્યને લઈને ખૂબ જ ચિંતા પરંતુ બીજી બાજુ તેમની દીકરી અંગત કરીને જીવન ટૂંકાવી દેવાની ધાક ધમકીઓ આપવા લાગી હતી..

એટલા માટે વારંવાર વનરાજભાઈને પીછે હટ કરવી પડતી હતી, સાંજના સમયે અજય નામનો આ યુવક શીતલને લેવા માટે તેના ઘર પાસે આવી પહોંચ્યો હતો અને તે રાજી ખુશીથી લગ્ન કરવા માંગતો હતો. પરંતુ વનરાજભાઈ આ લગ્ન કોઈ પણ કાળે શક્ય નહીં થાય તેવું જણાવી દીધું હતું..

એટલા માટે અજય કેટલાક માથાભારે લોકોને સાથે લઈને શીતલને તેના ઘરેથી લેવા માટે આવ્યો હતો, એ વખતે બિચારાના ગરીબ માતા-પિતા શીતલના પગમાં પડીને રડતા રહ્યા કે, તું ખૂબ જ ખોટો નિર્ણય લઇ રહી છો. તારા ભવિષ્યના સમયમાં તારે પછતાવું પડશે તું મહેરબાની કરીને અમારી વાત માની લે..

અને આ યુવકનો સાથ સહકાર છોડી દે, પરંતુ શીતલ પોતાની વાત ઉપર ખૂબ જ અડગ રહી હતી તેને તેના માતા પિતાને તેના પગમાં પડીને રડતા હાલતમાં જોયા છતાં પણ તેનું દિલ નરમ થયું નહીં અને તે અજયની સાથે ભાગી ગઈ હતી. બિચારા માતા-પિતા અને ઇજ્જતના ટુકડા થઈ જવા પામ્યા હતા..

એક બાજુ તેમને તેમની દીકરીની ચિંતા સતાવતી હતી, આ દ્રશ્ય ગામના લોકોએ પોતાની નજર સામે જોયું હતું આ દ્રશ્ય જોઈને તેઓ પણ ખૂબ જ હલબલી ગયા હતા. આવનારા સમયમાં આવો બનાવો કોઈ પણ વ્યક્તિ સાથે ન બને એટલા માટે નાનપણથી જ બાળકોને સારા સંસ્કાર આપવા ખૂબ જ જરૂરી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *