Breaking News

ભૂપેન્દ્ર સરકારના નવા મંત્રીમંડળ ની શપથવિધિ પૂર્ણ, “કહી ખુશી કહી ગમ” જાણો સંપૂર્ણ એહવાલ…

ગુજરાત રાજ્યના નવા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ના નવા મંત્રીમંડળ માટે આજે રાજભવન ગાંધીનગર ખાતે શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો જે અંતર્ગત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત એ તમામ મંત્રીઓને પદ અને ગોપનીયતા ના શપથ લેવડાવ્યા હતા રાજ્યના નવા મંત્રીમંડળમાં કુલ ૨૪ મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા છે.

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા બાદ થી જ રાજ્યના નવા મંત્રીમંડળમાં ખૂબ ચર્ચાઓ અને અટકળો મીડિયા તેમજ તમામ વચ્ચે શરૂ થઈ ગઈ હતી ગઈકાલે રાજભવન ખાતે મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ યોજવાની તડામાર તૈયારીઓ ચાલી રહી હતી પરંતુ આ સમીકરણો બદલાયા બાદ અંતિમ ક્ષણે કાર્યક્રમ મોફુક રાખીને આજે સમારોહ યોજવામાં આવ્યો હતો,

ભાજપની નો રિપીટ થિયરી મંત્રીમંડળમાં તમામ નવા ચહેરાઓ ઉમેરવામાં આવ્યા ભાજપે ઇતિહાસમાં સૌપ્રથમ વખત નો રિપીટ થિયરી અપનાવીને તમામ નવા ચહેરાઓને સ્થાન આપ્યું છે જેમાં રૂપાણી સરકારના એકેય મંત્રીને નવી સરકારમાં સ્થાન આપવામાં આવ્યું નથી તેમજ જેઓ અગાઉ મંત્રી રહી ચૂક્યા હોય તેમને પણ સ્થાન આપ્યું નથી તેમને સ્થાને યુવા ચહેરાઓ તેમજ મહિલાઓને પણ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે.

પસંદ કરાયેલ નવા મંત્રીઓ માટે સાંજે 4:30 વાગ્યે કેબિનેટ બેઠકમાં ખાતાઓની ફાળવણી થશે નવનિયુક્ત મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળનું કદ કુલ-25 રાખવામાં આવ્યું છે જેમાં વાત કરવામાં આવે તો દસ કેબિનેટ કક્ષાના મંત્રી અને પાંચ સ્વતંત્ર આ ઉપરાંત ૯ રાજયકક્ષાના મંત્રી તરીકે રાખવામાં આવ્યા છે મંત્રીમંડળની રચના આજે જ 4:30 વાગ્યે તમામ નવા મંત્રીમંડળની પ્રથમ બેઠક યોજાશે,

તમામ મંત્રીઓ બેઠકમાં મળશે જેમાં મંત્રીઓની ખાતા અને તેમની ફાળવણી કરવા બાબતે વિસ્તારમાં ચર્ચા થશે ત્યારબાદ ખાતાની ફાળવણી કરવામાં આવશે શપથ ગ્રહણ સમારોહ ની વાત કરવામાં આવે તો પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ભાજપના રાષ્ટ્રીય અગ્રણીઓ અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ રાષ્ટ્રીય અગ્રણી સંતોષ,

ગુજરાત વિધાનસભાના સ્પીકર ડોક્ટર નીમાબેન આચાર્ય તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારી મુખ્ય સજીવો અગ્ર સચિવ ઓ અન્ય ધારાસભ્યો ભાજપ પાર્ટીના અગ્રણીઓ અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા, નવા મંત્રીમંડળની ફાળવણી સમયે ધારાસભ્યોને મંત્રીપદ સોંપાશે તેઓ ફોન કરવામાં આવ્યા હતા જેમાં કનુ દેસાઈ કિરીટ રાણા સંઘવી ઋષિકેશ પટેલ પ્રદીપ પરમાર આવા ઘણા બધા ધારાસભ્યોને ફોન કરવામાં આવ્યા હતા

નારાજ મુખ્યમંત્રીઓને બનાવવાનું કામ વિજય રૂપાણી ને ખાસ સોંપવામાં આવ્યું હતું જેમાં ભાજપની નો રિપીટ થિયરી ને કારણે ૩૦ જેટલા મંત્રીઓ નારાજ થયા હતા જેમાં કુવરજી બાવળીયા જેવા મોટા નામોનો સમાવેશ પણ કરવામાં આવે છે આહિર સમાજના પ્રતિનિધિ એવા વાસણભાઇ આહિર તથા જવાહરભાઈ ચાવડા ને પણ નવા મંત્રીમંડળમાં સ્થાન ન મળવાની ચર્ચાને કારણે આહિર સમાજમાં પણ નારાજગી દેખાય.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *