Breaking News

પરણિત ભત્રીજીને કાકા સાથે પ્રેમ થઈ જતા પતિને સાફ કરવા રચ્યું એવું કાવતરું કે જાણીને ભલભલા લોકોના છૂટી ગયા પરસેવા, જાણો..!

ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં હત્યાનો એક બનાવ સામે આવ્યો છે. જેમાં એક 30 વર્ષીય ઓમપ્રકાશ નામના યુવકની કુહાડીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. અમદાવાદ પોલીસને આ હત્યાની જાણ થતા તેણે તરત જ ઘટનાની તપાસ હાથ ધરી છે. ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં ઓમપ્રકાશ અને તેનો પરિવાર રહેતા હતા.

ઓમપ્રકાશએ ગયા વર્ષે જ રેશ્તા નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. લગ્નના થોડા સમય બાદ રેશ્તાએ કરોલી જિલ્લાના બાલખેડા ગામના મૂળ રહેવાસી ધરમવીર સાથે પ્રેમ સંબંધ શરૂ કર્યો હતો. જ્યારે ઓમપ્રકાશને આ બાબતની જાણ થઈ ત્યારે તેણે રેશ્તાને ઘણી સમજાવી હતી. પરંતુ તે માનવા માટે તૈયાર ન હતી…

ધરમવીર અને રેસ્તાના આ પ્રેમ સંબંધ વચ્ચે ઓમ પ્રકાશ અડચણરૂપ સાબિત થતો હતો. જેથી ધરમવીરએ ઓમ પ્રકાશને મારવા માટેનું કાવતરું રચ્યું હતું. ગઈકાલે રેશ્તા અને ઓમપ્રકાશના લગ્નની વર્ષગાંઠ હતી. તે દિવસે ઓમપ્રકાશના પિતા રામજીલાલ પોતાના મિત્રના ઘરે ગયા હતા. તે દરમિયાન રેશ્તાએ ઓમપ્રકાશ અને તેની માતા માટે જમવાનું બનાવ્યું હતું.

તેમાં દવા ભેળવી દીધી હતી. જેથી ભોજન કર્યા બાદ ઓમ પ્રકાશ અને તેની માતા બંને બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ રેશ્તાએ ધરમવીરની મદદથી ઓમ પ્રકાશને કુહાડીના ઘા માર્યા હતા. જેને કારણે તેનું મૃત્યુ થઈ ગયું હતું. ઓમપ્રકાશના પાડોશીને જ્યારે આ બાબતની જાણ થતા તરત જ પોલીસને ફોન કર્યો હતો.

જેથી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસને ઓમપ્રકાશના ઘરેથી એક દવાનું ખાલી પેકેટ, કુહાડી અને ધરમવીરની બાઈક મળી આવી હતી. આ ઉપરાંત પોલીસને ખાટલા પર થી ઓમપ્રકાશની લાશ મળી આવી હતી. તેમજ તેની માતા બેભાન અવસ્થામાં જમીન પર પડી હતી. તેમને તરત જ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ઓમપ્રકાશના પિતા રામજીલાલ ને તેની વહુ રેશ્તા પર શંકા જતા તેમણે રેશ્તા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રેશ્તાની કડક પૂછપરછ કરતા તેણે સ્વીકાર્યું કે તેણે પોતાના પ્રેમીની મદદથી ઓમપ્રકાશ ની હત્યા કરી હતી. ધરમવીર અને રેશ્તા દૂરના સંબંધમાં કાકા અને ભત્રીજી છે.

તેઓ ઘણા સમયથી પ્રેમ સંબંધમાં જોડાયેલા હતા પરંતુ ઓમ પ્રકાશ તેમની વચ્ચે અડચણરૂપ હોવાને કારણે તેમણે ઓમ પ્રકાશની હત્યા કરવાનું નક્કી કર્યું હતુ. પોલીસે કરોલી જિલ્લાના ના નાદૌટી વિસ્તારના બાલખેડા ગામમાં રહેતા જગરામ ગુજ્જરના પુત્ર ધરમવીરની ધરપકડ કરી હતી તેમજ તેને પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે ધરમવીર અમદાવાદ શહેરમાં પાનની દુકાનમાં કામ કરે છે ધરમવીર ના લગ્ન થોડા વર્ષો પહેલા જ થયા હતા તેને એક પુત્રી છે તેમજ તેની પત્ની હાલમાં ગર્ભવતી છે. આમ છતાં ધરમવીર રેશ્તા સાથે પ્રેમ સંબંધ માં જોડાયો હતો. તેમજ પોતાની પ્રેમિકા માટે ઓમપ્રકાશની હત્યા કરી હતી. પોલીસ રેશ્તા અને ધરમવીરને ઓમપ્રકાશની હત્યાના ગુના માટે કોર્ટમાં હાજર કરવાની રાહ જોઈ રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *