અકસ્માત સર્જાયા બાદ થોડાક સમય માટે તો માહોલ ખુબ જ ગામગીન બની જતો હોઈ છે. ભરૂચમાં ગઈ કાલે એક અકસ્માત સર્જાયો હતો જે બાદ લોકો ખુબ રોષે ભરાયા હતા. રોષે ભરાયા બાદ લોકોને શાંત પાડવા એ સૌથી મુશ્કેલ બાબત છે. હકીકતમાં આ અકસ્માત બાદ લોકોએ આપો ખોઈ બેસીને નુકસાનની હદ વટાવી દીધી હતી..
ભરૂચમાં રેહતો રુસ્તમ આદમ પોતે એક બસ ચાલક હતો. તે વર્ષોથી બસ ડ્રાઈવર તરીકે કામ કરે છે. તે રાત્રે રુસ્તમ આદમ બસની ડ્યુટી પૂરી કરીને પોતાના ઘરે પરત ફરતો હતો એ સમયે સાઈડમાં તેણે બસ ઉભી રાખીને ઘરે ખાવા માટે જઈ રહ્યા હતા. જેવો તેઓએ દરવાજો ખોલ્યો કે તરત જ પાછળથી પુર ઝડપે આવતી બસે તેને કચડી નાખ્યો હતો..
આ દ્રશ્ય જે લોકોએ જોયુ તે લોકોએ જણાવ્યું હતુ કે આ દ્રશ્ય ખુબ જ ભયાનક હતું. ક્યારેય આ પ્રકારનો ભયંકર અકસ્માત જોયો નથી. ત્યાર બાદ આસપાસ ના સ્થાનિક લોકો તરત જ ત્યાં દોડી આવ્યા હતા. પાછળથી આવેલી બસના ચાલકે અડફેટમાં જતાં ગંભીર ઈજા થતા મોત થયું હતું.
દહેજમા બિરલા કોપર નામની કંપનીની આવેલી છે. કંપનીની ખાનગી બસ મોડી રાતે પોતાના રાત્રી સમયના અધિકારીઓને લઈને દહેજ જવા માટે નીકળી હતી. પરતું બસ બસ શેરપુરા ગામ પાસે પહોંચી ત્યારે તેની સાથે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ભરૂચના સ્થાનિક રૂસ્તમ આદમ માચવાલા નામના વ્યક્તિનું કરુણ મોત થયું છે…
બસની અડફેટે મોત થતા જ સ્થાનિક લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો, લોકો ખુબ રોષે ભરાયા હતા અને ખાનગી બસના ડ્રાઈવર તેમજ સ્થાનિક લોકો વચ્ચે ભારે બોલાચાલી પણ થઈ ગઈ હતી. સ્થાનિક લોકો વિફરી પડતા તેઓએ બસને તોડફોડ કરીને આગ ચાંપી દીધી હતી.
અકસ્માતને પગલે હજારેક લોકોનુ ટોળુ એકઠુ થઈ ગયુ હતું. એક અકસ્માતને પગલે એ જ કંપનીની બીજી બસને પણ ટોળાએ અટકાવી હતી. ગુસ્સામાં આવેલા ટોળાએ કંપનીની બંને બસોને આગ ચાંપી હતી. જેને પગલે ભરૂચ પોલીસ અને ફાયર વિભાગની ટીમ દોડતી થઈ હતી. પોલીસે આવીને ટોળાને વિખેર્યુ હતું.
તો ફાયર વિભાગની ટીમે બંને બસોની આગમા પાણીનો મારો ચલાવ્યો હતો. ભરૂચની શેરપુરા ચોકડી પર અકસ્માત બાદ માહોલ તંગ બન્યો હતો. મોડી રાત્રે અકસ્માત બાદ ટોળાએ બે બસોમાં આંગ ચંપી કરી હતી. જેને પગલે મધરાતે ભરૂચ પોલીસનો કાફલો દોડતો થયો હતો. ઘટનાના પગલે ભરૂચ, દહેજ માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો હતો.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]