અત્યારે ગુજરાતમાં ચારેકોર જળબમ્બાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્ય જોવા મળ્યા છે કારણ કે સાર્વત્રિક વરસાદ ખૂબ જ સારો થયો છે, અમુક જગ્યાએ તો વરસાદ વિનાશ કરી સાબિત થયો છે. જાહેર જગ્યાઓમાં તેમજ શાળાઓમાં પણ વધારે માત્રામાં પાણી ભરાઈ જવાને કારણે એક મહિલા તેના દીકરાને લેવા માટે શાળાએ જતી હતી..
એ વખતે અડધે રસ્તે એવું જોઈ લીધું હતું કે, પોતાની ગાડી સાઈડ પર મૂકીને બૂમો નાખવી પડી હતી. આ ઉપરાંત રાહદારીઓ પણ રાતાચોળ થઈ ગયા હતા, આ ઘટના ભાનપર ગામમાંથી સામે આવી છે, આ ગામમાં રહેતી રમીલા નામની મહિલા તેના બાળકને બાજુના ગામમાં આવેલી એક હાઈસ્કૂલની અંદર અભ્યાસ માટે લેવા મૂકવા જતી હતી..
તેના બાળકને સવારના સમયે તે શાળાએ મૂકીને પોતાના ઘરે પરત આવી હતી, પરંતુ બપોરના સમય ખૂબ જ વધારે વરસાદ વરસી જવાને કારણે શાળામાં પાણી ભરાઈ ગયું હતું. એટલા માટે બાળકોને રજા આપી દેવામાં આવી હતી. આ સમાચાર રમીલાબેન સુધી પહોંચે ત્યારે રમીલા તેના બાળકને લેવા માટે બાજુના ગામમાં પોતાની લઈને નીકળી પડી હતી..
પરંતુ અડધી રસ્તે જ રમીલા એવું જ રહેશે જોઈ લીધું કે, તેના હોશ છૂટી ગયા હતા, રમિલા પોતાનું મોપેડ લઈને તેના બાળકને લેવા માટે જતી હતી, ત્યારે રસ્તામાં આવેલા રામજીભાઈ ના ખેતર પાસે વૃક્ષની ડાળીઓનું જથ્થો પડેલો નજરે ચડ્યો હતો. ખૂબ જ વરસાદ વધારે હોવાને કારણે રમીલાને લાગ્યું કે, અહીં કોઈ વૃક્ષ ધરાશાય થયું હશે..
પરંતુ આ વૃક્ષની ડાળીઓનો ઢગલો સતત હલન ચલન કરતો હોય તેવું લાગતું હતું, આ દ્રશ્ય ખૂબ જ અજુગતું લાગ્યું એટલા માટે રમીલા પોતાની મોપેડને રસ્તાની બાજુ પર છુપાવી દઈને આ વિચિત્ર ચીજ વસ્તુ જોવાની કોશિશ કરી હતી અને તેણે જ્યારે આ ડાળીઓને હટાવીને અંદર જોયું તો અંદર એક વ્યક્તિને ખૂબ જ ઢોરમાર મારીને તેના ઉપર વૃક્ષની ડાળીઓ મૂકી દેવામાં આવી હતી..
આ વૃક્ષની ડાળીઓમાં કાંટા પણ હોવાને કારણે ઘણા બધા કાંટા વ્યક્તિને ચોંટી ગયા હતા, જ્યારે આ ડાળીઓને હટાવીને રમીલાએ જોયું તો નીચે રહેલો આ વ્યક્તિ માત્ર ટૂંક જ સમયની અંદર મૃત્યુ પામશે તેવું લાગી રહ્યું હતું કારણ કે, તેનું શરીર લોહીથી લથબથ હતું અને તેના મોટાભાગના અવયવો ફાટીને બહાર આવી ગયા હતા..
આ દ્રશ્ય જોઈને તેને ખૂબ જ ડર લાગી ગયો હતો અને તરત જ રોડ ઉપર જઈને જોરજોરથી બૂમો પાડવા લાગી હતી અને રસ્તા પરથી પસાર થતાં રાહદારીઓને આ ખેતર પાસે બોલાવીને મદદ કરવા માટે જણાવ્યું હતું, તેની બુમો સાંભળીને કેટલાક લોકો રામજીભાઈના ખેતર પાસે આવી પહોંચ્યા અને જોયું તો વૃક્ષોની નીચે એક વ્યક્તિ ખૂબ જ ગંભીર હાલતમાં ઘવાયેલો પડ્યો હતો..
આ વ્યક્તિને ત્યાંથી તરત જ બહાર કાઢવામાં આવ્યો અને ત્યારબાદ મોપેડ ઉપર બેસાડીને તેને હોસ્પિટલે પણ લઈ જવામાં આવ્યો હતો, સાથે નસીબે તાત્કાલિક ધોરણે હોસ્પિટલે પહોંચી જતા તેની સારવાર પણ શરૂ કરી દેવામાં આવી અને અત્યારે તે ખતરામાંથી બહાર આવી ગયો છે. આ વ્યક્તિએ રમીલાનો ખુબ ખુબ આભાર માન્યો હતો..
આ ઘટના આટલી બધી ચોંકાવનારી હતી કે, શરૂઆતમાં તો રાહદારીઓ પણ રાતાચોળ થઈ ગયા હતા કે, આ વ્યક્તિને આવી રીતે દર્દનાક માર કોણે માર્યો હશે, આ વ્યક્તિ જ્યારે બિલકુલ સ્વસ્થ થઈ ગયો ત્યારબાદ તેને પોલીસ સ્ટેશનને જઈને ફરિયાદ નોંધાવી હતી કે, રામજીભાઈ તેના ખેતરની અંદર પૈસા આપવા માટે મને બોલાવ્યો હતો..
હકીકતમાં આ યુવકે રામજીભાઈ પાસેથી થોડા સમય પહેલા કેટલાક રૂપિયા ઉછીના લીધા હતા, પરંતુ એ રૂપિયા કોઈ કારણસર તેની પાસેથી વેડફાઈ જવાને કારણે હવે ત્યાં રૂપિયા આપી શકે તેટલો સમર્થ ન હોવાને કારણે રામજીભાઈ અને શરૂઆતમાં તો ધાક ધમકીઓ આપી હતી અને ત્યારબાદ પોતાના જ ખેતરમાં બોલાવીને યુવકને ઢોર માર મારીને મોતને ઘાટ ઉતારી દેવાની પ્લાનિંગ કાઢી નાખી હતી..
રામજીભાઈને જણાવ્યું હતું કે, તે માત્ર દસ દિવસની અંદર જ તેમના બધા પૈસા પરત આપી દેશે, પરંતુ રામજીભાઈ તેની એક પણ વાત સાંભળી નહીં અને તેમના ખેતરમાં રહેલા મજૂરોએ પણ આ યુવકને ઢોર મારવાનું શરૂ કરી દઈને ત્યાં જ તેને આવી હાલતમાં પડતો મૂકીને સૌ કોઈ લોકો ત્યાંથી ભાગી ગયા હતા..
પરંતુ રમીલાબેનની સુઝ બુજને કારણે અંતે આ યુવકનો જીવ બચી ગયો છે, શરૂઆતમાં રમીલાના પણ હોશ છૂટી ગયા હતા, પરંતુ તેને સૂઝ બુઝથી કામ લીધું અને અન્ય વ્યક્તિઓને મદદ માટે બોલાવ્યા હતા ત્યારબાદ આ યુવકને બચાવવામાં આવ્યો હતો, આ ઘટના પૂર્ણ થયા બાદ રમીલા પોતાના બાળકને શાળાએ લેવા માટે નીકળી હતી. હકીકતમાં રમીલાબેનની આ સાહસિકતાને સૌ કોઈ લોકો સલામ કરી રહ્યા છે. આવી ઘણી બધી ઘટના દિન પ્રતિદિન સામે આવવા લાગી છે, જે તંત્ર માટે ખૂબ જ વિચિત્ર સાબિત થતી હોય છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]