Breaking News

ભારે વરસાદ ખાબકતા માર્કેટયાર્ડમાં તરતી થઈ મગફળી, લાખો કરોડોનું નુકસાન થતા મગફળી માલિક ખેડૂત માથે મોટી આફત.. વાંચો..!

રાજ્યમાં મેઘરાજાના આગમન પહેલા પ્રિમોન્સૂન એક્ટિવિટી કરવામાં આવતી હોય છે, જુદાજુદા શહેરોમાં નગરપાલિકાઓ તેમજ મહાનગરપાલિકાઓમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરુપે કામગીરી શરૂ કરી દેતા હોય છે, આ સાથે સાથે હવામાન વિભાગ પણ આગાહી આપીને વરસાદ આવવાની રજૂઆત કરી દેતા હોય છે.

આગાહી આપતાની સાથે જ મોટાભાગના ખેડૂતો ખુલ્લામાં પડેલા અનાજ તેમજ અન્ય પાકોને સાવચેતીના ભાગરૂપે કોઈ સુરક્ષિત જગ્યા પર ખસેડી દેતા હોય છે. આ સાથે સાથે માર્કેટિંગ યાર્ડમાં પણ ખુલ્લામાં પડેલા અનાજ કઠોળ તેમજ અન્ય પાકોને ગોડાઉન માં ટ્રાન્સફર કરવાની કામગીરી શરૂ થઈ જતી હોય છે..

પરંતુ જામનગરના જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં બેદરકારીના કારણે ધોધમાર વરસાદમાં મગફળીની નદીઓ વહેતી જોવા મળી હતી. બે અઠવાડિયા પહેલા હવામાન વિભાગે વરસાદની આગાહી આપી દીધી હતી. છતાં પણ જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલા પાકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા નહી.

જેના કારણે એકાએક વરસાદ તૂટી પડતાં માર્કેટ યાર્ડમાં રહેલા તમામ પાકનો જથ્થો પલળી ગયો હતો. મગફળીના માલિક ખેડૂતો તેમજ વેપારીઓ પણ ખૂબ જ દુઃખની લાગણીમાં ચાલ્યા ગયા છે. કારણકે વરસાદ એકાએક વરસવા લાગ્યો હતો. જેના કારણે તેઓને સલામત જગ્યાએ આ પાકને ખસેડવા માટે સહેજ પણ સમય મળ્યો ન હતો..

અને તેના કારણે તેમને તમામ પાક પલળીને બગડી ગયો છે. ખેડૂતો અને વેપારીઓને આ પાક પલળી જવાને કારણે લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. જ્યારે જામજોધપુર શહેરમાં વરસાદની શરૂઆત થઈ ત્યારે માર્કેટયાર્ડમાં દોડધામ મચી ગઇ હતી. દરેક લોકો પોતાના ખુલ્લા પડેલા ચીજ વસ્તુ સામાન્ય સલામત સ્થળે ખસેડવા માટે મથામણ કરવા લાગ્યા હતા.

તેમજ મજૂરોને પણ કામ ધંધે લગાડી દીધા હતા. પરંતુ વરસાદ એટલો બધો ગતિથી આવતો હતો કે મોટી સંખ્યામાં રહેલા મગફળીના ઢગલાને ખસેડવા મુશ્કેલ જ નહીં પરંતુ નામુમકીન બની ગયો હતો. અને જોતજોતામાં તો મગફળીના તમામ પાક બળી ગયો હતો. હવામાન વિભાગ આગાહી આપે ત્યારે માર્કેટિંગ યાર્ડ દ્વારા પણ ખેડૂતોને માર્કેટીંગ યાર્ડની અંદર કોઈપણ વેચવા માટે પ્રતિબંધ મૂકવામાં આવતો હોય છે..

તેમ જ ખુલ્લામાં પડેલા પાકને સલામત સ્થળે ખસેડવાની સૂચના આપી દેવામાં આવતી હોય છે. પરંતુ જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં બેદરકારીના કારણે હાલ ખૂબ મોટું નુકસાન થયું છે. ધોધમાર વરસાદને કારણે 400 ગુણી મગફળી પાણીની અંદર તરતી નજરે ચઢી હતી આ તમામ મગફળીને એકઠી કરવા માટે ખેડૂતો તેમજ મજૂરો મથામણ કરી રહ્યા હતા. પરંતુ આ તમામ પાક સમગ્ર રીતે પલળી ગયો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *