Breaking News

ભારે આગાહીને પગલે પવન ફુંકાવાનો શરુ, આ વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી મળતા જ ખેડૂતો પરેશાન..!

ગુજરાતના હવામાન વિભાગે બે દિવસ પૂરતી આગાહી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદની સાથે સાથે ખૂબ જ તેજ ગતિથી પવન ફૂંકાવાની પણ શક્યતાઓ રહેલી છે. આ સાથે સાથે માવઠાઓ તેમજ વાદળિયું વાતાવરણ રહેશે તેમ જણાવ્યું હતું..

હકીકતમાં અફઘાનિસ્તાન પાસે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. આ સ્થિતિની અસર અરબ સાગર સુધી જોવા મળી છે. એટલે કે ગુજરાતના મોટાભાગના શહેરોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. તેમજ ગરમીની અંદર અચાનક ઘટાડો નોંધાયો છે.

ગઈકાલે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં તેજ પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી. તેમજ ખૂબ ખૂબ જ જગ્યાએ વરસાદી ઝાપટાં વરસ્યા હતા. તો બીજી બાજુ દક્ષિણ ગુજરાત અને ચરોતર વિસ્તારમાં વાતાવરણમાં એકાએક પલટો નોંધાયો હતો. અને વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર શરૂ થતાની સાથે જ અમદાવાદમાં 16 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શરૂ થઈ ગયું હતું. તેમજ સાયન્સ સીટી વિસ્તારમાં વરસાદી ઝાપટું વરસ્યું હતું. આગામી ૨૪ કલાકની અંદર અંદર ગુજરાતના દરેક શહેરોમાં વાદળછાયું વાતાવરણની સાથે વરસાદી છાંટા વરસવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે..

તેમજ વાદળછાયા વાતાવરણને પગલે ગરમીનું પ્રમાણ પણ ત્રણ ડિગ્રી થી પાંચ ડિગ્રી સુધી ઘટી જશે. હાલ મોટાભાગના રાજ્યોમાં ગરમીનું પ્રમાણ ઘટી રહ્યું છે. ભારતના હવામાન વિભાગે ચોમાસાની આગાહી કરતા જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં ચોમાસું સારું રહેશે પરંતુ પશ્ચિમ ભારત બાજુ ના રાજ્યો એટલેકે રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ચોમાસું એકંદરે મધ્યમ રહેશે..

એટલે કે પાછલાં વર્ષોની સરખામણીમાં આ વર્ષે વરસાદ ઓછો નોંધાતા છે ચોમાસુ શરૂ થતાની સાથે જ થોડો ઘણો વરસાદ નોંધાયા બાદ મેઘરાજાએ લાંબો વિરામ લેશે અને ત્યારબાદ વરસાદનો બીજો તબક્કો શરૂ થશે. વરસાદનો મોટાભાગનો આધાર ઉનાળાની ઋતુ પર રહેલો હોય છે. તેમજ કયા સમય દરમિયાન કેટલો તડકો પડે છે. તેના ઉપર રહેલો હોય છે. ચોમાસાનો સંપૂર્ણ આધાર ચૈત્ર માસના તડકા સાથે સંકળાયેલો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *