Breaking News

ભાણીયા-ભાણકીના લગ્ન વખતે મામેરું કરવા મુકેલા રૂપિયા લઈને જમાઈ ઉઠી ગયો, ચાલુ લગ્નએ જ થયો એવો હોબાળો કે અંતે તો વાત….

દરેક સમાજ અને રાજ્ય મુજબ લગ્નના રીતે જુદા-જુદા હોય છે. ગુજરાતમાં લગ્નની પ્રથાઓ મુજબ જ્યારે પણ ભાણીયા કે ભાણકીના પ્રથમ લગ્ન હોય ત્યારે મોસાળ પક્ષના લોકો તરફથી મામેરુ મૂકવામાં આવે છે. અને આ મામેરામાં યથાશક્તિ મુજબ રૂપિયા તેમજ સોના ચાંદીના ઘરેણા પણ આપવામાં આવે છે..

અત્યારે એક લગ્ન પ્રસંગની અંદર એવી ઘટના બની જવા પામે છે કે, લગ્નને અંતે હસતા મોઢે વિદાય લેવાને બદલે અંદરો અંદર જ બોલવા વ્યવહાર પણ બંધ થઈ ગયો હતો. આ ઘટના વીજાનગર પાસે આવેલી મનસુખ કોલોની ની છે. કોલોનીમાં રહેતા આશુતોષભાઈના ઘરે લગ્ન પ્રસંગ આવી પહોંચ્યો હતો..

તેમના દીકરા હરીશ અને તેમની દીકરી માનસીના લગ્ન લેવાયા હતા. આ બંનેના લગ્ન હોવાને કારણે સૌ કોઈ લોકો ખૂબ જ ખુશાલ હતા. હરેશ અને માનસીના મામા અંદાજે પાંચ લાખ રૂપિયાનું મામેરુ લઈને આ લગ્ન પ્રસંગમાં આવવાના હતા. જેમાં અઢી લાખ રૂપિયા રોકડા અને અઢી લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીનાનો સમાવેશ થતો હતો..

અત્યારના સમયમાં લગ્ન વખતે એવી ચઢીયામણીઓ ચાલે છે કે, જો આ વ્યક્તિ પાંચ લાખ રૂપિયાનું મામેરુ કરી શકે છે. તો હું છ લાખ રૂપિયાનું મામેરુ કરીને સમાજમાં માન-સન્માન વધારી દઈશ અને વટ પાડી દઈશ, પરંતુ આવી ચઢીયામણીએ ન ચડતા પહેલા પોતાની આર્થિક સ્થિતિનો વિચાર કરી લેવો જોઈએ..

લગ્ન પ્રસંગની અંદર જ્યારે મામેરાની વિધિઓની શરૂઆત થઈ ગઈ, ત્યારે સૌ કોઈ મામેરિયા હોય ત્યાં આવી પહોંચ્યા હતા. પરંતુ મામેરાની અંદર મુકવા માટે લાવવામાં આવેલા અઢી લાખ રૂપિયાનો થેલો અચાનક જ ગાયબ થઈ ગયો હતો. એટલા માટે સૌ કોઈ લોકો ખૂબ જ દુઃખી હતા અને આસપાસના મકાનો તેમજ લોકોને પૂછપરછ કરવા લાગ્યા હતા કે શું કોઈએ આ થેલાને જોયો છે કે નહીં..?

ત્યારે અચાનક જ મોસાળ પક્ષના નાના જમાઈનો ફોન આવ્યો હતો કે, આ પૈસાની રકમ તેવો લઈને રફુ ચક્કર થઈ ગયા છે. તેમને છેલ્લા કેટલાક સમયથી ધંધામાં ખૂબ જ વધારે માત્રામાં ખોટ જતી હતી એટલા માટે તેઓએ પૈસા આજે લીધા હતા. પરંતુ આ પૈસા ચૂકવી શકે નહીં એટલા માટે મામેરાની આ રકમના પૈસા તેઓને સાચવવા આપ્યા હતા..

અને આ રૂપિયા લઈને તેઓ અહીં લગ્નમાં હાજર થવાને બદલે ઉઠામણુ કરી લીધું છે. જ્યારે આ સમાચાર લગ્નમાં રહેલા લોકોને મળ્યા ત્યારે લગ્નની ખુશી લોકોના મોઢા ઉપરથી નીકળી ગઈ હતી અને સૌ કોઈ લોકોમાં દુઃખની લાગણી જોવા મળી હતી કે, આખરે આ વ્યક્તિએ શા માટે અમારા લગ્ન પ્રસંગમાં આવી દુઃખદ ઘટના બનાવી દીધી છે..

મોસાળ પક્ષના લોકો કે જે મામેરુ લઈને લગ્ન પ્રસંગમાં આવ્યા હતા. તેઓને અહીં નીચે જોવાનો વારો આવ્યો હતો અને ચાલુ લગ્ન એ જ ભારે હોબાળો મચી ગયો હતો. લગ્ન પ્રસંગની અંદર દરેક વિધિઓ સુખ-શાંતિ અને વિધ્ન વગર વીતી જાય તેવી સૌ કોઈ વડીલો ભગવાનને પ્રાર્થના કરતા હોય છે..

પરંતુ જ્યારે ઘરમાં લગ્ન પ્રસંગ આવે પહોંચ્યું હોય ત્યારે અશુભ ઘટના બનવાના વેગ પણ ખૂબ જ વધારે માત્રામાં હોય છે. જે અત્યારે આશુતોષભાઈના પરિવારજનોને નડી રહ્યા છે. ત્યાં લગ્ન મંડપમાં રહેલા અન્ય મહેમાનો પણ વાતચીત કરવા લાગ્યા હતા કે, આ તો કેવા માંમેરીયા છે કે જે મામેરામાં મુકવા માટેની રકમ પણ સાચવી શકતા નથી..

આવા લોકોએ લગ્ન પ્રસંગની વિધિને કલંક લગાડી દીધો છે. તો કોઈ લોકો કહી રહ્યા છે કે માણસ માત્રથી ભૂલ થઈ શકે છે. આ વિધિ ને અહીં જ મોકુફ રાખીને લગ્ન પ્રસંગને આગળ ધપાવું જોઈએ, શા માટે આ એક વસ્તુને લઈને આખા લગ્ન પ્રસંગનો હોબાળો મચાવી રહ્યા છો કહીને માથાકૂટ શરુ થઈ ગઈ હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *