સમાજમાં હવે સૌ કોઈ લોકોને શરમમાં મૂકી દે તેવા કિસ્સા છાશવારે સામે આવતા હોય છે. અત્યારના જુવાન ઉંમરના યુવક યુવતીઓ એક પણ વાર તેમના માતા-પિતાનો વિચાર કર્યા વગર એવું પગલું ભરી લે છે કે, જેના કારણે તેના માતા પિતા તેમજ પરિવાર અને સમાજની ઈજ્જત આબરૂ જતી રહે છે..
આવા ઘણા બધા કિસ્સાઓ પાછળના સમયમાં સામે આવી ગયા છે અને અત્યારે ભલભલા સંબંધોને લજવી નાખે તેવો એક કિસ્સો સામે આવી જતા પરિવારજનોને મોઢું નીચે કરીને સંતાઈ જવાનો સમય આવી ગયો હતો. આ ઘટના ધર્મનંદન પાર્ક વિલાની છે. આ વીલામાં આવેલા 31 નંબરના બંગલાની અંદર નરેશ કુમાર નામના વ્યક્તિ તેના પરિવાર સાથે રહે છે..
નરેશકુમારનો એકનો એક દીકરો વિદેશ ભણવા માટે ગયો હતો. નરેશકુમારનો દીકરો જતીન જ્યારે વિદેશથી ભણીને પરત આવ્યો ત્યારે તે તેના મામાના ઘરે થોડા સમય માટે રહેવા ગયો હતો. તેને પહેલેથી જ તેની મામી સાથે ખૂબ જ હસી મજાક ભર્યા સંબંધો રાખવાની ટેવ હતી. તે હંમેશા તેની મામી સાથે ખૂબ જ લાડ પ્રેમથી વર્તન કરતો હતો..
પરંતુ આ વાતની થોડી ઘણી પણ કોઈ વ્યક્તિને શંકા રહી નહીં અને જતીન તેની સગી મામીને એટલી બધી નજીક આવી ગયો કે તેને પ્રેમ કરવા લાગ્યો હતો. તો બીજી બાજુ તેની રૂપાળી અને દેખાવડી મામી પણ પરિવારજનોનો ખ્યાલ રાખ્યા વગર તેના ભાણીયા અને પ્રેમ કરી બેઠી હતી. મામી ભાણિયાનો આ પ્રેમ સંબંધ અંદાજે બે વર્ષ સુધી ચાલ્યો..
અને એક દિવસ તેઓએ વિચાર્યું કે, તેમનો આ પ્રેમ સંબંધ સમાજના લોકો ક્યારેય પણ અપનાવશે નહીં. એટલા માટે તેઓ ઘર મૂકીને ભાગી ગયા હતા સાંજના સમયે ભોજન લીધા બાદ બંને વ્યક્તિએ પોતપોતાના સામાન થેલામાં પેક કરી નાખ્યા હતા અને રાતના સમયે બંને એક કાર લઈને ભાગી ચૂક્યા છે..
જ્યારે બીજા દિવસે ખબર પડી કે, જતીન ઘરેથી કપડા સહિતની તમામ ચીજ વસ્તુ લઈને ગાયબ થઈ ગયો છે. ત્યારે તેઓએ ઘટનાની જાણકારી પરિવારજનો સુધી પહોંચાડી હતી. જ્યારે જતીકના મામાના ઘરે ખબર પડી ત્યારે તેમના મામાએ પણ જણાવ્યું કે, તેની પત્ની કપિલા પણ સામાન પેક કરીને ક્યાંક ગાયબ થઈ ગઈ છે..
તેના પિયરમાં પણ પૂછપરછ કરવામાં આવી પરંતુ કપિલાનો ક્યાંયથી પતો મળી આવ્યો નથી. આ બંને વ્યક્તિને પરિવારજનોએ ભેગા મળીને શોધવાની કોશિશ કરી હતી. જ્યારે સાંજના સમયે જતીને તેના પિતાને ફોન કરીને જણાવ્યું કે, તે તેની મામીને પરણવા માંગે છે. એટલા માટે તે તેને ભગાડીને લઈ ગયો છે..
જ્યારે આ ઘટના ધીમે ધીમે સૌ કોઈ લોકો સુધી પહોંચી ગઈ ત્યારે પરિવારજનો કહેવા લાગ્યા કે, જતીને એવું પગલું ઉઠાવી નાખ્યું છે કે, જેના કારણે તેમનું ખૂબ જ અપમાન થયું છે. અને આ અપમાન હવે સહન થઈ શકતું નથી એટલા માટે આપણે પણ જીવ ગુમાવી દેવો છે. જતીનના પિતાએ આ શબ્દો બોલતાની સાથે જ પરિવારજનોએ તેને રોક્યા હતા…
અને જણાવ્યું કે આવનારા સમયની અંદર આપણી સાથે શું થઈ જાય તેનું નક્કી હોતું નથી. પરંતુ આપણે આપણી રીતે જિંદગી જીવી લેવી જોઈએ. જ્યારે આ ઘટના સામે આવી ત્યારે માથે હાથ દઈને પરિવારજનોને રડવાનો વારો આવ્યો હતો. બીજી બાજુ આ પ્રેમી પંખીડાનું કોઈ પણ પતો મળ્યો હતો નહીં..
હજુ પણ તેની શોધખોળ ચાલી રહી છે. શોધ ખોળના આ સમયની વચ્ચે જતીન ના પિતાએ હકીકતમાં ઝેરી દવાના ઘૂંટડા પીઈને આપઘાત કરી લીધો હતો. કારણ કે તે આ અપમાનને સહન કરી શક્યા નહીં, જ્યારે આ ઘટના સૌ કોઈ લોકોની સામે જાહેર થઈ ગઈ ત્યારે સૌ કોઈ લોકો કહેવા લાગ્યા હતા કે, નરેશ કુમારે તેના દીકરાને વિદેશ ભણવા માટે તો મોકલ્યો…
પરંતુ તેઓ સારા સંસ્કારનું વાવેતર કરી શકે નહીં, પરિણામે તેના જ પરિવારની સગી મામીને તે ભગાડીને લઈ ગયો હતો. જે ખૂબ જ અપમાનજનક બાબત છે. બસ આજ બાબતને સહન કરી ન શકતા જતીન ના પિતાએ પણ આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]