આજકાલના સમયમાં કોઈ વ્યક્તિ ઉપર આપણે વિશ્વાસ મૂકી શકતા નથી, પરંતુ આપણે આ મગજ માનવતા અને ધર્મ સાથે જોડાયેલા હોવાથી ધાર્મિક લાગણીની અંદર ઘણી બધી વાર આપણે વહી જતા હોઈએ છીએ, હંમેશા ડગલેને પગલે ખૂબ જ ધ્યાન રાખીને જીવન જીવવું જોઈએ..
અત્યારે ગામમાં રહેતી એક બુદ્ધિશાળી મહિલાએ એવડો મોટો પરદાફાશ કરી નાખ્યો હતો કે, જેને જાણ્યા બાદ મોટા મોટા અગ્રણી લોકોની પણ આંખો ફાટી ગઈ હતી. આ બનાવો રાયસન પાસે આવેલા નકડીયા ગામની છે, આ ગામની અંદર રંજના નામની મહિલા તેના પતિ અને તેના બંને બાળકો સાથે રહે છે..
તેનો પતિ ખેતીનો વ્યવસાય કરે છે, તેમજ તેના બંને બાળકો શાળાના અભ્યાસએ ગયા હતા, એ વખતે બપોરના સમયે તેના ઘરે ભંડારાના રૂપિયા માંગવા માટે એક સાધુ બાવા આવ્યા હતા. તેણે રંજનાબેનને કહ્યું કે, તેઓને ભંડારો કરવાનો છે. એટલા માટે રૂપિયાની જરૂર છે. તમે તમારી યથાશક્તિ પ્રમાણે જે કંઈ પણ આપશો તે અમને સ્વીકાર છે..
આ ઉપરાંત તમારા ગામના ઘણા બધા લોકોએ અગાઉ પણ દાન કરી દીધું છે, અને હવે તમારા પાસે પણ દાનની અપેક્ષા છે. રંજના બેનને શરૂઆતમાં તો આ સાધુ બાવાને જોઈને ખૂબ જ આશ્ચર્ય લાગ્યું હતું. અને તેઓ વિચારમાં મુકાઈ ગયા કે, આ ઘટનામાં કંઈક કાળું ધોળું લાગી રહ્યું છે. પરંતુ આ સાધુ બાબાએ ભગવો ધારણ કર્યું હોવાથી રંજનાબેન એ કોઈ વિચાર કર્યો નહીં..
અને આ સાધુ મહંતને એક હજાર રૂપિયા આપી દીધા હતા, આ સાધુબાવા દાનની આ રકમ લઈને ત્યાંથી નીકળી ગયા હતા અને આ રકમ તેમણે તેમની પાસે રહેલી જોળીની અંદર મૂકી દીધી હતી. જ્યારે આ જોળી તેણે ખોલી ત્યારે રચનાબેનની નજર આ જોળીની અંદર ગઈ અને તેમાં અમુક અજુગતી ચીજ વસ્તુ દેખાઈ હતી..
એટલા માટે રચનાબેનને વધારે શંકા જવા લાગી તેઓએ આ સાધુ બાવાનો પીછો કરવાનું નક્કી કર્યું અને આ સાધુ બાવાએ ગામના ઘણા બધા ઘરેથી ભંડારા માટેના રૂપિયા ઉઘરાવી લીધા અને ત્યારબાદ તેઓ પગપાળા ચાલતા ચાલતા નીકળી પડ્યા હતા. જ્યારે આ ગામની હદ પૂરી થઈ ગઈ ત્યારબાદ સુમસાન વાડીનો વિસ્તાર શરૂ થઈ ગયો..
ત્યાં સુમસાન વાડીની અંદર આ સાધુબાવાએ એવડો મોટો કાંડ કરી નાખ્યો હતો કે, કાંડને જોતાની સાથે જ મહિલાના ડોળા ફાટી ગયા હતા. આ સુમસાન વાડીની અંદર જતાની સાથે જ સાધુ બાબાએ તેની જોળી બહાર કાઢીને અંદરથી ગેરકાયદેસર દારૂની બોટલો લઈને પીવા લાગ્યા હતા..
અને તેણે તરત જ તેના ભગવા કલરના કપડા પણ કાઢી નાખ્યા અને રંગીન કલરના કપડામાં આવી ગયા હતા. આ જોતા જ રંજનાબેન સમજી ગયા કે, આ કોઈ સાધુ મહાત્મા નથી, પરંતુ આ તો ચોર લૂંટારો છે. જે કપડાં બદલીને ગામના ઘણા બધા લોકોની પાસેથી ભંડારાના નામે ખોટી રીતે પૈસા ઉઘરાવીને જતો રહ્યો છે..
જ્યારે પણ કોઈ માણસ ભગવાનના કપડામાં કોઈ સાધુ મહાત્માને જોવે છે, ત્યારે તેને પગે પડી જતા હોય છે અને તેમના આશીર્વાદ પણ લે છે, કારણ કે આપણે દરેક લોકો ધર્મ આસ્થા અને લાગણી સાથે જોડાયેલા લોકો છીએ. પરંતુ આ ચોર લુટારા લોકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડીને અવનવા કિમયાવો અપનાવીને લોકો પાસેથી રૂપિયા લૂંટવા લાગ્યા છે..
જે બિલકુલ ખોટી બાબત છે, આવા લોકોનો પરદાફાશ થવો ખૂબ જ જરૂરી છે, આ લૂંટારાની અંદર સંસ્કારનો એક પણ છાંટો હતો નહીં, તેણે તેની જોળીની અંદરથી ઉઘરાવેલા રૂપિયા અને પોતાના ખિસ્સામાં મૂકી દીધા અને અંદરથી એક દારૂની બોટલ પણ કાઢી હતી અને તે ગટગટાવ્યા બાદ તે ત્યાં સુમસાન વાડીની અંદર જ સૂઈ ગયો હતો..
આ મહિલાએ તરત જ ગામમાં જઈને સરપંચ સહિતના અન્ય અગ્રણીઓને પણ જણાવ્યું કે, જે સાધુ બાવો આપણા ગામની અંદરથી ભંડારો કરવાના નામે પૈસા ઉઘરાવીને જતો રહ્યો છે. તે સાધુ બાવો કોઈ અસલી સંત મહાત્મા નથી, પરંતુ તે એક નકલી લૂંટારો બનીને આ ગામની અંદર આવી પહોંચ્યો હતો અને આપણને બધાને ચુનો ચોપડીને જતો રહ્યો છે..
આપણે તેને પકડીને બરાબરનો મેથીપાક ચખાડીને તેને સીધો દોર કરી દેવો જોઈએ, તરત જ ગામના ઘણા બધા લોકો આ સુમસાન વાડી પાસે પહોંચી અને આ યુવકની કાળી કરતુતોની પોલ ખોલી નાખી હતી અને તેની પાસે રહેલા રૂપિયા ગામના લોકોને પરત પણ અપાવી દીધા હતા..
આ યુવક કોણ છે, અને ક્યાંથી આવ્યો છે તેની પૂછપરછ તેને જણાવ્યું કે, તે અહીંથી 20 કિલોમીટર દૂર આવેલા સનિયાડા ગામની અંદરથી આવેલો છે. તે અવાર-નવાર જુદા-જુદા ગામોમાં ફરીને ભંડારા માટેના પૈસા ઉઘરાવતો અને તેનો ભગવા કલરનો વેશ ધારણ કરેલો જોઈને સૌ કોઈ લોકો તેને પૈસા પણ આપી દેતા હતા, પરંતુ રંજનાબેન નામની મહિલાને શંકા ગઈ હતી અને તેઓએ આ સાધુ બાવાનો પીછો કર્યો જેમાં તમામ પોલ ખુલ્લી પડી ગઈ છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]