આજના સમાજમાં ઘણા બધા લોકો આધુનિક રીતે પોતાની વિચારસરણીને સુધારી રહ્યા છે પરંતુ હજુ પણ ઘણા લોકો જૂની અંધશ્રદ્ધાઓ અને પરંપરાઓને માનીને નીચી વિચારસરણીમાં જીવી રહ્યા છે. હાલમાં એવી એક ઘટના સામે આવી હતી કે, જેમાં ભક્તો અંધશ્રદ્ધામાં આવીને અને ખોટી અફવાઓમાં દોરાઈ ગયા હતા.
આ ઘટના કાંકરખેડાના જવાહર પૂરી વિસ્તારમાં આવેલા કાલી માતાના મંદિરમાં બની હતી. આ ગામમાં રહેતા લોકો દરરોજ મંદિરે ભગવાનની પૂજા અને ભજન કરવા માટે જતા હતા. દરરોજની જેમ મહિલાઓ કાલી માતાના મંદિરે ગઈ હતી. તે સમયે મહિલાઓએ મંદિરમાં પૂજા કરી અને મંદિરમાં મૂકવામાં આવેલા લાડુ ગોપાલની પણ પૂજા કરી હતી.
પૂજા કરીને લાડુ ગોપાલને પ્રસાદમાં મીઠાઈ અને દૂધ ધરાવવામાં આવ્યું હતું. તે સમયે એક મહિલાએ એક ચમચી દૂધ લઈને લાડુ ગોપાલને પીવડાવવા ચમચીને આગળ લઇ ગયા હતા અને ચમચી લાડુ ગોપાલ પાસે રાખતા જ ચમચીમાંથી દૂર ધીમે ધીમે ગાયબ થઈ ગયું હતું. આ જોતાં જ ગામની બેઠેલી બીજી મહિલાઓ ચોકી ગઈ હતી.
અને જે મહિલાએ લાડુ ગોપાલને દૂધ પાયું હતું. તે મહિલા પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. ત્યારબાદ આ વાતની જાણ ધીમે ધીમે ગામમાં થવા લાગી હતી. જેના કારણે ગામના લોકો તરત જ મંદિરે આવવા લાગ્યા હતા અને સૌ કોઈ દૂધ લઈને મંદિરે આવ્યા હતા. ભગવાનને દૂધ પીવડાવવા માટે મંદિરમાં લાંબી લાઈનો થઈ ગઈ હતી.
દરેક લોકો ભગવાનને દૂધ પીતા જોવા માગતા હતા. આ ઘટના સત્ય બની હતી. દરેક લોકોને આ વાત આશ્ચર્યજનક લાગી રહી હતી પરંતુ આવી ચમત્કારી ઘટના કાલી માતાના મંદિરમાં બની હતી. દરેક વખતે મહિલાઓ લાડુ ગોપાલને પૂજા કરીને દૂધ ધરાવતી હતી પરંતુ આ દિવસે લાડુ ગોપાલે દૂધ પીધું હતું.
જેના કારણે ગામના લોકોને લાગી રહ્યુ હતું કે તેમના ગામમાં સાક્ષાત ભગવાનનો વાસ થયેલો છે. આવી ઘટનાઓ ક્યારેય બનતી જોવા મળે છે. જેના કારણે ભક્તો ખૂબ જ રાજી થઈ ગયા હતા. ભગવાનના દર્શનને કારણે ભક્તોમાં આનંદ આવી ગયો હતો અને દરેક લોકો શ્રદ્ધાથી ભગવાનના દર્શન કરી રહ્યા હતા.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]