દિવસેને દિવસે એવા અદભુત કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે જે જોતા જ દરેક લોકોના મોઢા ફાટી જાય છે. હાલમાં લગ્નની સીઝન હોવાથી દરેક લોકોના ઘરે ખુશીનો માહોલ હોય છે પરંતુ હાલમાં બનતા દર્દનાક કિસ્સાઓને કારણે આ ખુશીનો માહોલ ક્યારે દુઃખમાં ફેરવાઈ જાય તે કહી શકાતું નથી. હાલમાં એવી એક ઘટના સામે આવી છે.
જે જોઈને દરેક લોકો રડી પડ્યા હતા. આ ઘટના ગોરખપુરમાં કેન્ટ વિસ્તારના આદર્શ નગર સિંઘડિયામાં રહેતા પરિવારના યુવક સાથે બની હતી. પરિવારમાં માતા રીટા દેવી તેમના મોટા દીકરા અને એક દીકરી સાથે રહેતા હતા. રીટાદેવીના પતિ મનજીત નિષાદનું ઘણા વર્ષો પહેલા અવસાન થઈ ગયું હતું. રીટાદેવીને 3 દીકરા અને 1 દીકરી છે.
જેમાં મોટા દીકરાનું નામ સુરજ નિષાદ છે અને બીજા નંબરના દીકરાનું નામ અવનીશ નિષાદ હતું. તેમની ઉંમર 27 વર્ષની હતી અને સૌથી નાના દીકરાનું નામ અરવિંદ છે. તેમને એક દીકરી પણ છે. ત્રણેય ભાઈઓ તેમની માતા સાથે ખૂબ હળી મળીને રહેતા હતા. અવનીશ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે શહેરથી બહાર રહેતો હતો.
અવનીશ શહેરથી બહાર રહીને પેન્ટ પોલીસનું કામ કરતો હતો. પોતાની માતાની આર્થિક મદદ કરીને પોતાના કમાયેલા પૈસા આપતો હતો પરંતુ થોડા દિવસો પહેલા તેના કાકાના દીકરા ગોવિંદના લગ્ન હોવાને કારણે તે લગ્નમાં હાજરી આપવા માટે પોતાના ઘરે પરત આવ્યો હતો. અવનીશ તેમના કાકાના દીકરાના લગ્ન હોવાને કારણે ખૂબ જ ખુશ હતો.
અને તે પોતાની માતા તેમજ તેમના ભાઈ બહેનને મળીને પણ ખુશ જોવા મળ્યો હતો. કાકાના દીકરાના લગ્ન હોવાને કારણે તેમના લગ્નમાં તિલકનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. સવારના સમયે પરિવારમાં દરેક વિધિઓ ચાલી રહી હતી. આ દરમિયાન અવનીશ લગ્નમાં દરેક કાર્યક્રમને માણી રહ્યો હતો. ત્યારબાદ બપોરનો સમય થતા તિલકની વિધિ પૂરી કરવામાં આવી હતી.
કાર્યક્રમ પણ પૂરો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અવનીશ તેમના કાકાના દીકરાના લગ્નમાંથી બહાર નીકળી ગયો હતો અને તેમના પરિવારના લોકોએ અવનીશને ઘણા સમયથી ન જોતા દરેક જગ્યાએ શોધ્યો હતો. આખો કાર્યક્રમ પૂરો થઈ ગયો હતો. છતાં પણ અવનિશ ઘરે જોવા મળ્યો ન હતો અને કોઈપણ જગ્યાએથી તેની કોઈ જાણ મળી રહી ન હતી.
જેના કારણે પરિવારના સભ્યો ખૂબ જ ડરી ગયા હતા અને અવનિશને શોધવા લાગ્યા હતા. આ દરમિયાન અવનીશને શોધતા પરિવારના લોકોને એવું મળ્યું હતું કે, એ જોઈને તેઓ ત્યાંને ત્યાં જ ઢળી પડ્યા હતા. ગામના લોકોએ અવનીશને શોધવાનું ચાલુ કર્યું હતું. તે સમયે ગામમાં રહેલા એક ખંડેર મકાન પાસે તપાસ કરતા એક યુવકનું મૃતદેહ જોવા મળ્યો હતો.
અને આ યુવકને જોતા જ પરિવારના લોકો રડવા લાગ્યા હતા. મૃતદેહ અવનીશનો હોવાને કારણે પરિવારના લોકો ખૂબ જ રડી રહ્યા હતા અને તરત જ આ વાતની જાણ કેન્ટ પોલીસને કરવામાં આવી હતી. જેના કારણે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ તપાસની હાથ ધરી હતી. કેન્ટ પોલીસને અવનીશના મૃતદેહ પાસેથી ઇન્જેક્શનના ખાલી નમુના પણ મળ્યા હતા.
ઇન્જેક્શન દવાના હોવાનું જણાય રહ્યું હતું. ત્યારબાદ પોલીસે માતા રીટા દેવીની પુરછપરછ કરતા રીટાદેવીએ જણાવ્યું હતું કે, થોડા દિવસો પહેલા તેમના દીકરાનું કેટલાક લોકો સાથે મોટો વિવાદ થયો હતો અને બોલાચાલીમાં કોઈએ બદલો લોધો હોય તેવું લાગી રહ્યું હતું. જેના કારણે આ ઘટના બની હોવાની પોલીસને શંકા હતી. ઘરમાં લગ્નનો માહોલ દુઃખમાં ફેરવાઈ ગયો હતો..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]