Breaking News

ભાઈ-બહેનની બોર્ડની પરીક્ષા દરમિયાન પિતાનું નિધન, દીકરાએ પેપર આપીને આવ્યા બાદ કર્યા અંતિમ સંસ્કાર.. વાંચો..!

દરેક માતા-પિતા તેનાં બાળકોને ડગલેને પગલે સાથ સહકાર આપતા હોય છે. તેમ જ ભવિષ્યની રાહ ચિંધતા હોય છે. તેમનો બાળક શું કરી રહ્યો છે તેની ડગલેને પગલે તેઓને ચિંતા સતાવતી હોય છે. હાલ બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. એવા સમય દરમ્યાન ઘણા બધા વાલીઓને વારંવાર પ્રશ્નો થતા હોય છે કે શું તેમનો બાળક પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકશે કે નહીં..?

આવું જ ટેન્શન પાટણ જિલ્લામાં રહેતા નીતિનભાઈ પ્રજાપતિને હતું કારણ કે તેમનો દીકરો વેદ પ્રજાપતિ ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપી રહ્યો હતો. જ્યારે તેમની દીકરી મહેક પ્રજાપતિ ધોરણ 12 સાયન્સની બોર્ડની પરીક્ષા આપી રહી હતી. એટલા માટે નીતિનભાઈ તેમના બાળકોને પરીક્ષાના સમયમાં પ્રોત્સાહન આપવા અને તેઓની સારસંભાળ રાખવા માટે નોકરી મૂકીને ઘરે પરત ફર્યા હતા..

નીતીનભાઇ પોતે કચ્છ જીલ્લાના મુન્દ્રામાં આવેલા જીન્દાલ કંપનીમાં ફરજ બજાવતા હતા. તેમનો પરિવાર પાટણ શહેરમાં ગાયત્રી મંદિર પાસે અમરદીપ સોસાયટીમાં રહેતો હતો. પરીક્ષા શરૂ થતાની સાથે નીતિનભાઈ પોતાના ઘરે આવી ગયા હતા. તેઓ રોજ તેમની દિકરી અને દીકરાને પરીક્ષા સેન્ટર પર મુકવા જતા હતા. અને તેમને લેવા પણ જતા હતા..

તેમની ઇચ્છા હતી કે તેમનો દીકરો અને દીકરી બંને ભણીગણીને ખૂબ હોશિયાર બને તેમજ ભવિષ્યમાં ડોક્ટર બનીને દેશની સેવા કરે પરંતુ એક દિવસ અચાનક રાત્રીના સમયે નીતિનભાઈને છાતી ના ભાગ પર દુખાવો ઉપડ્યો હતો. જેના કારણે તાત્કાલિક ધોરણે તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા..

પરંતુ સોમવારે વહેલી સવારે સમાચાર મળ્યા હતા કે નીતિનભાઈનું નિધન થયું છે. સવારના સમયમાં પોતાના પિતાના મૃત્યુના સમાચાર મળ્યા હતા અને દસ વાગ્યે બાળકોને પરીક્ષા આપવા માટે જવાનું હતું. છતાં પણ બંને બાળકો હિંમત હાર્યા ન હતા. અને પરીક્ષા આપીને નીતિનભાઈના લાડકવાયા દીકરા વેદે તેમને અંતિમ સંસ્કાર આપ્યા હતા.

તેમના પરિવારજનો પણ બીજા જિલ્લાઓમાં રહેતા હતા. જેથી કરીને પાટણ પહોંચવા માટે અને લાંબી ટૂંકી વાર લાગી જાય તેમ હતું. એટલા માટે નીતિનભાઈનો દીકરો વેદ પરીક્ષા આપવા માટે સેન્ટર પર ગયો હતો અને પરીક્ષા આપ્યા બાદ તેણે તેના પિતાના દેહને અગ્નિ આપી હતી.

હાલ બંને બાળકો ખૂબ જ મહેનત કરી રહ્યા છે. અને તેમના પર આવી પડેલા સંકટથી હિંમત હાર્યા વગર તેના પિતાના ડૉક્ટર બનવાના સપનાને સાકાર કરવા ખૂબ જ મેહનત કરી રહ્યા છે. હકીકતમાં પારિવારિક દુખ આવી પડ્યા બાદ પણ આ દીકરા દીકરીની હિમ્મત તૂટી નથી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *