દિનપ્રતિદિન એવો ચોંકાવનારો બનાવ સામે આવે છે જે એના વિશે જાણતાની સાથે જ લોકો ચર્ચા કરવા લાગે છે કે, આખરે સંબંધોની કિંમત રહી જ નથી. હાલ ભાઈ અને પિતા તેમની ઘરની લાડકવાયી દીકરીના સંબંધને શરમમાં મૂકી દે તેઓએ બનાવ રાજસ્થાન નાગોર જીલ્લા માંથી સામે આવ્યો છે.
આ ગામમાં કુંજબિહારી તેના તેના માતા-પિતા તેમજ તેનો નાનો ભાઈ વિશાલ રહેતા હતા. તેમના ઘરની લાડકવાયી દીકરી રેણુના લગ્ન માટે છોકરો શોધી રહ્યા હતા. પરંતુ રેણુએ પરિવારજનોની વિરુદ્ધ જઈને નવાગામના ઓમપ્રકાશ લાલારામ કુમાવત નામના યુવક સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા..
પરિવારની લાડકવાયી દીકરીએ પ્રેમ લગ્ન કરતા પરિવારના તમામ સભ્યોને ઈજ્જત ગામમાં ઉતરી ગઇ હતી. જેના કારણે કુંજબિહારી અને તેના પિતા બંને ખૂબ જ નારાજ હતા. અને તેઓને તેમની દીકરી પ્રત્યે નફરત પેદા થવા લાગી હતી. કારણ કે તેમની દીકરીને કારણે ગામના અન્ય લોકો તેમને બોલાવતા બંધ થઈ ગયા હતા તેમજ તેમની ઈજ્જત પણ ઉતરી ગઈ હતી.
પરિવારની લાડકવાયી દીકરી હવે નફરતમાં પરિવર્તન પામી ચૂકી હતી. જોતજોતામાંતો કુંજબિહારી અને તેના પિતાએ તેમને મારી નાખવાની ઘટના ઘડી નાખી હતી. અવારનવાર તેઓ રેણુ તેમજ તેમના જમાઈ ઓમપ્રકાશ લાલારામ કુમાવત ને ધમકી આપતા હતા. એક દિવસ લાલારામ અને રેણુ બંને ભજન સંધ્યાના કાર્યક્રમમાં ગયા હતા.
તેઓ ત્યાંથી પરત ફરતા હતા એ દરમિયાન રેણુનો ભાઈ કુંજબિહારી તેના નાના ભાઈ વિશાલ તેમજ તેના મામા સાથે ત્યાં આવી પહોંચ્યો હતો તેઓએ ઓમ પ્રકાશને મોટી ગાડી માંથી ઉતરી જવા માટે જણાવ્યું હતું. તેમજ રેણુંને પણ નીચે ઉતારવાનો પ્રયત્ન કરી રહ્યા હતા પોતાના જીવને જોખમમાં જોતાની સાથે ઓમપ્રકાશે મોટી ગાડીના તમામ દરવાજા લોક કરી દીધા હતા..
તેમજ કાચને પણ ઉપર ચડાવી દીધા હતા. કુંજબિહારી ના મનમાં આટલો બધો ગુસ્સો પેદા થઈ ગયો હતો કે તેઓએ મોટી ગાડી ઉપર એસિડ ફેંકી દીધું હતું અને રેણુ તેમજ તેના પતિ ઓમ પ્રકાશનો જીવ લેવાની કોશિશ કરી હતી. આગળ પણ તેઓ ઘણી બધી ધાક-ધમકી આપી ચૂક્યા છે. અને મારવાના પ્રયત્ન પણ કરી ચૂકયા છે..
પરંતુ એવો વારંવાર બચી જતા હતા. આ મામલાને લઈને ઓમ પ્રકાશ તેમજ કુંજબિહારી સહીતના લોકો સામે પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરાવી હતી .પરંતુ પોલીસે આ ઘરેલુ કંકાસ નો મામલો હોવાનું કહીને ફરિયાદ નોંધી હતી નહીં. એટલા માટે કુંજબિહારી નો આત્મવિશ્વાસ વધારે પડતો વધી ગયો હતો..
અને તે એસિડ લઈને મારી નાખવા માટે ત્યાં આવી પહોંચ્યો હતો. મામલો આગળ વધી જતા હવે પોલીસે ફરિયાદ નોંધી છે. અને તેની સામે જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે. જો ગાડીના કાચ ખુલ્લા હોત તો કદાચ આ એસિડ ઓમ પ્રકાશ તેમજ રેણુંના મોઢા પર પડ્યું હોત અને બંને જવલનશીલ પદાર્થના કારણે મૃત્યુ પામ્યા હોત..
પરંતુ ઓમ પ્રકાશે સૂઝબૂઝ લગાવીને ગાડીને લોક કરી દીધી હતી એટલા માટે તેનો જીવ બચી ગયો છે.. તેઓએ જણાવ્યું છે કે આ પહેલા પણ કુંજબિહારીએ તેની બહેનને અપહરણ કરવાની પણ કોશિશ કરી છે. તેમાં તેના જીજાજી ને પણ મારી નાખવાના પ્રયત્નો કર્યા હતા.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]