ન કરવાના કારનામાઓ જે વ્યક્તિ કરી બેસે છે, તેને ભવિષ્યમાં એકની દિવસ જરૂર પછતાવાનો વારો આવે છે. થોડા સમય માટે તેમનું ખોટું કરેલું કામ બચી શકે છે, પરંતુ લાંબો સમય સુધી એ કારનામુ છુપાયેલું રહેતું નથી અને એક ને એક દિવસ જરૂર સૌ કોઈ લોકો સામે જગ જાહેર થતું હોય છે..
જ્યારે તેમની કરતુતો ખુલ્લી પડે ત્યારે સમાજમાં મોઢું નીચું કરીને ચાલવાનો વારો પણ આવી જતો હોય છે. અત્યારે કંઈક આ પ્રકારની જે ઘટના ગીતાંજલિ સોસાયટીમાંથી બની જવા પામી છે. આ સોસાયટીમાં મકાન નંબર 45માં વિરજીભાઈ નામના વ્યક્તિ રહે છે, તેઓએ તેમના ઘરનો નીચેનો માળ ચંદ્રેશભાઈ નામના વ્યક્તિને ભાડે રહેવા માટે આપ્યો હતો..
અત્યારે વિરજીભાઈના લાડકા દીકરા ગીરીશે ન કરવાના કારનામા કરી નાખ્યા છે, અને તેણે ભાડુઆત સાથે એવી હરકતો કરી છે કે, તેને જાણ્યા બાદ સમગ્ર સોસાયટીમાં સૌ કોઈ લોકો ફફડી ઉઠ્યા છે. તો આ ઘટના આટલી બધી હોશ ઉડાવતી બની ગઈ છે કે, જેના વિશે ચારેકોર ચર્ચા વિચારણા થઈ રહી છે..
ચંદ્રેશભાઇ સવારના સમયે પોતાની નોકરીએ જવા માટે નીકળી ગયા હતા. ત્યારબાદ મકાન માલિક વિરજીભાઈનો દીકરો ગીરીશ નીચેના માળે રહેતા ભાડુતના બાથરૂમની બારી પાસે તેનો મોબાઇલ ફોન ગોઠવી લેતો હતો અને ત્યારબાદ જ્યારે ભાડુત ચંદ્રેશભાઇની દીકરી તેમજ ચંદ્રેશભાઇની પત્ની બાથરૂમમાં આવે ત્યારે ખૂબ જ ખરાબ રીતે તેના ફોટો અને વિડીયો ઉતારી લેતો હતો..
ત્યારબાદ તેણે ધીમે ધીમે ચંદ્રેશભાઇની દીકરીને ધાક ધમકી આપવાનું પણ શરૂ કરી દીધું હતું કે, જો તેના કહ્યા પ્રમાણે તે નહીં કરે તો આ ફોટો અને વિડીયો તે વાયરલ કરી દેશે અને સમાજમાં તેને બદનામ કરી દેશે. આવી ધમકીઓ આપીને મકાન માલિકના દીકરા ગીરીશ ચંદ્રેશભાઇની દીકરી સાથે ખૂબ જ ખરાબ કારનામાં પણ કરી નાખ્યા હતા..
બિચારી આ દીકરી મજબુર હતી અને તેણે બદનામી ન થાય એટલા માટે આ તમામ ઘટના સહન કરી હતી, પરંતુ એક દિવસ તેણે તેની માતાને આ ઘટનાની જાણકારી આપી દીધી હતી. માતાએ અન્ય કોઈ વ્યક્તિને કહેવાને બદલે મકાનમાલિકના નરાધમ દીકરા ગીરીશને રંગે હાથે પકડવા માટે કાવતરું ઘડી નાખ્યું હતું..
તેણે તેની દીકરીને જણાવ્યું કે, તારે બાથરૂમની અંદર પ્રવેશ કરવાનો છે, એ વખતે હું બાથરૂમની બારી પાસેના પાછળના ભાગેથી ગિરીશને રંગે હાથે પકડી લઈશ, એ મુજબ તેઓએ ગિરીશને રંગે હાથે પકડી પાડી અને સોસાયટીના સૌ કોઈ લોકોની સામે જગ જાહેર કરી દીધો હતો કે, વીરજી ભાઈનો દીકરો ગિરીશ તેમની સાથે ન કરવાના કારનામા કરી બેસ્યો છે..
આવા નરાધમ લોકોના મકાનમાં રહેવા કરતાં મકાન ખાલી કરી નાખવું જોઈએ, આ ઉપરાંત અન્ય કોઈ વ્યક્તિને પણ આ નરાધમના મકાનની અંદર રહેવા દેવા જોઈએ નહીં, આ ઘટનાને લઈને જ્યારે ચંદ્રેશભાઇ સુધી વાત પહોંચી ત્યારે તેઓએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી હતી કે, ગિરીશ નામના અને નરાધમ યુવકે તેમના પરિવાર સાથે ન કરવાના કારણો કરી નાખ્યા છે..
પોલીસે તાત્કાલિક ધોરણે તપાસ બેસાડી હતી. જેમાં મકાનમાલિક ગીરીશના મોબાઇલ ફોનને જપ્ત કરવામાં આવ્યો છે, અને તેની અંદર રહેલા તમામ પુરાવો ઉપરથી કેસ દાખલ કરવામાં આવ્યો અને હાલ તેને પૂછપરછ કરવામાં આવી રહી છે. આ નરાધમને કડકમાં કડક સજા થવી જોઈએ જેથી કરીને અન્ય નરાધમમાં પણ ભય બેસે અને આવા કારનામા કરતા પહેલા લોકો સો વખત વિચાર કરે..
આ ઘટનાને લઈને ગીતાંજલી પાર્ક સોસાયટીની અંદર સૌ કોઈ લોકો ફફડી ઊઠ્યા છે. સોસાયટીના પ્રમુખ તેમજ રહીશો પણ માંગણી કરવા લાગ્યા છે કે, આ લોકોને મકાન વહેંચાવી દઈને સોસાયટીમાંથી બહાર ધક્કો મારીને કાઢી મૂકવા જોઈએ, કારણકે આવા લોકો સોસાયટીના અન્ય લોકો માટે ખૂબ જ મોટું દૂષણ સાબિત થઈ શકે છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]