રોજ રોજ પ્રેમ સંબંધમાં અવનવા વળાંકો થવાના કિસ્સાઓ આપણે સાંભળતા હોઈએ છીએ. જમાનો વધુ એક કિસ્સો અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કે, જેમાં મકાન માલકિન અને ભાડુઆત યુવક વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. જે એક હત્યામાં પરિવર્તન પામ્યો છે.
હકીકતમાં આ કિસ્સો મહારાષ્ટ્રના પૂણેમાં બન્યો છે. મુળ બિહારનો રહેવાસી ગુલામ શેખ કે જેમની ઉંમર ૩૦ વર્ષની છે. તેઓ પૂણે ખાતે રઘુનાથ સૂર્યવંશી તેમજ તેમની પત્ની સુનીતા સૂર્યવંશીના મકાનમાં ભાડે રહેવા માટે આવ્યો હતો. થોડા જ દિવસોમાં સુનિતા અને ગુલામ વચ્ચે ધીમે ધીમે નજર મળવા લાગી હતી..
અને તેઓ એકબીજાને પ્રેમ કરી બેઠા હતા. મકાન માલકિન અને ભાડુઆત વચ્ચેના આ પ્રેમસંબંધની જાણ અન્ય કોઈ પણ લોકોને ન હતી આ બાબતનો ફાયદો ઉઠાવીને તેઓ ખુબ ઐયાશી કરતા હતા. પરંતુ lockdown નો સમય આવી જતા ગુલામ શેખને ઘર મૂકીને જવું પડ્યું હતું…
આ બાબતને લઈને પ્રેમીકા સુનિતા ખૂબ નારાજ હતી. તે રોજ રોજ ભાડુઆત ગુલામ સાથે મોબાઈલ પર લાંબી લાંબી વાતો કરતી હતી. એક દિવસ આ વાતની ભનક સુનિતાના પતિ રઘુનાથને થતા તેણે સુનીતા ને ઠપકો આપ્યો હતો.. અને તરત જ ગુલામ સાથેના તમામ સંબંધ તોડી નાખવા જણાવ્યું હતું.
પતિની વાત નો આદેશ માનીને સુનિતાએ સાથે વાત કરવાની બંધ કરી દીધી હતી. તેમજ આગામી સમયમાં ક્યારેય પણ તેની સામે પણ નહીં જુએ એવી કસમ ખાધી હતી. પરંતુ સુનીતાનો આ નિર્ણય ભાડુઆત ગુલામ શેખને યોગ્ય લાગ્યો ન હતો. તેથી તે વારંવાર સુનીતાને હેરાનગતિ પહોંચાડતો હતો…
અને તેની સાથે પ્રેમ સંબંધમાં જોડાયેલી રહેવા માટે પ્રેશર આપતો હતો. એક દિવસ ગુલામ શેખ સુનિતા સૂર્યવંશી ના ઘરે આવ્યો હતો. ત્યારબાદ બંને વચ્ચે ખૂબ જ ઉગ્ર બોલાચાલી થઇ હતી. આ બોલાચાલી ઝઘડામાં પરિવર્તન પામી અને ગુલામ શેખે આવેશમાં આવીને ૩૯ વર્ષની સુનિતા સૂર્યવંશીનું ગળું દબાવીને હ.ત્યા કરી નાખી હતી.
આ બાબતની જાણ રઘુનાથ સૂર્યવંશીને થતા તેઓએ તરત જ પોલીસ સ્ટેશનમાં તેમના મકાનમાં ભાડે રહેતો ગુલામ શેખ સામે ફરિયાદ નોંધાવી છે. હકીકતમાં આપણે એવા ઘણા કિસ્સાઓ જોયા છે, જેમાં પ્રેમ જ મોતનું કારણ બનીને બહાર આવે છે. આ કેસો સામે આવ્યા બાદ આસપાસના તમામ વિસ્તારોમાં અરેરાટી મચી ગઇ છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]