ભાડેના મકાનમાં રહેતી વખતે દરેક ચીજ વસ્તુનું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખવું પડે છે, કારણ કે દરેક મકાન માલિક સરખા હોતા નથી. જો કોઈ વસ્તુનું નુકસાન થતું મકાન માલિક જોવે તો ભાડુઆતને બરાબરના ખખડાવી પણ નાખતા હોય છે, અત્યારે એક ભાડે રહેતી મહિલા સાથે અતિશય હચમચાવી દેતી ઘટના બની છે..
આ ઘટના જ્યારે સૌ કોઈ લોકોની સામે આવી ત્યારે મકાનમાલિક પણ મોઢામાં આંગળા નાખી ગયો હતો, આ બનાવ લક્ષ્મી કૃપા સોસાયટીની છે. પ્રતીકવાડાના પાછળના ભાગે આવેલી આ સોસાયટીના મકાન નંબર 45માં જ્યોતિ નામની એક મહિલા ભાડાના મકાનમાં રહે છે..
જ્યોતિના પતિની બીજા રાજ્યમાં નોકરી લાગી જવાને કારણે તેના પતિ છેલ્લા બે મહિનાથી નોકરી માટે બાજુના રાજ્યમાં રહેવા લાગ્યા હતા, જ્યારે જ્યોતિ આ ભાડેના મકાનમાં એકલવાયું જીવન જીવતી હતી. એક દિવસ એકલી રેહતી જ્યોતિની સાથે એવી ઘટના બની ગઈ કે, ઘટના વિશે જાણ્યા બાદ સોસાયટીમાં પણ ફાફળાટ મચી ગયો..
અને મકાન માલિકના પરિવાર વિશે સમગ્ર સોસાયટીમાં વાતો પણ ફેલાઈ ગઈ હતી, સવારના સમયે જ્યોતિ જાગી અને તેના બાથરૂમમાં નાહવા માટે જતી હતી, ત્યારે બાથરૂમનો ફુવારો શરૂ કરતાની સાથે જ ફુવારાનું આગળનું ઢાંકણું ખુલીને નીચે પડી ગયું હતું, એ વખતે તેણે આ ઢાંકણને ઊંચું કરીને ફુવારાની અંદર ફરી પાછું ફીટ કરવા માટે હાથ લંબાવ્યો ત્યારે..
તેણે ફુવારાની અંદર એવી ચીજ વસ્તુ જોઈ લીધી હતી કે, જોતાની સાથે જ નાહ્યા વગર ભાગવું પડ્યું હતું. તેણે આ ફુવારાની અંદર વચ્ચોવચ રહેલા પાણીના પોઇન્ટની પાસે એક છૂપો કેમેરો જોઈ લીધો હતો, આ કેમેરાને જોતાની સાથે જ તેનો પિત્તો હલી ગયો અને તે તાબડતો બાથરૂમની બહાર નીકળી ગઈ હતી..
તે સમજી ચૂકી હતી કે, કોઈ વ્યક્તિ તેના ફુવારાની અંદર કેમેરો ગોઠવીને જ્યોતિ નહાતી હોય તેવો ફૂટેજ ઉતારી રહ્યો છે. આ પાછળ કયો વ્યક્તિ જોડાયો હશે, તેની જાણકારી મેળવીને તેને બરાબરનો મેથીપાક ચખાડવાનું પણ તેને વિચારી નાખ્યું હતું. તે તરત જ તેના ઉપરના માળે રહેતા વિનોદભાઈ નામના મકાન માલિકને જણાવ્યું કે, બાથરૂમના ફુવારાની અંદરથી એક છૂપો કેમેરો મળી આવ્યો છે..
જ્યારે તે સવારે નાહવા માટે અંદર ગઈ ત્યારે આ કેમેરાનું ઢાંકણ ખુલીને નીચે પડી ગયું હતું તેને ફીટ કરવા માટે તે ઘરે ગઈ ત્યારે તેની નજર આ છુપા કેમેરા ઉપર પડી હતી અને તમામ ભાંડો ફૂટી ગયો છે, આ કેમેરો તેના ફુવારાની અંદર કોણે લગાવ્યો છે, અને કોણ તેની સાથે ખરાબ ઈરાદો રાખીને આવી કાળી કરતુતો કરવાની ઈચ્છા ધરાવી રહ્યું છે, તેના વિશે તે જાણકારી મેળવવા માંગે છે..
આ ઉપરાંત જ્યોતિએ વિનોદભાઈને જણાવ્યું કે, મારા મકાનના તાળાની એક્સ્ટ્રા ચાવી માત્ર તમારા જ ઘરે રહે છે, નક્કી આ હરકત તમારા ઘરમાંથી જ કોઈ એક સભ્ય એ કરી છે. જો કોઈ વ્યક્તિ મારી સામે આવીને માફી નહીં માંગે તો હું આ બાબતો પોલીસ સ્ટેશન સુધી લઈ જઈશ અને કાયદેસરની કાર્યવાહી કરાવીને સૌ કોઈ લોકોની સામે આરોપીને કડકમાં કડક સજા પણ થશે..
કારણકે આ મામલો તેની ઈજ્જત સાથે જોડાયેલો છે, વિનોદભાઈએ તરત જ તેના પરિવારના બધા સભ્યોને બોલાવ્યા અને જણાવ્યું કે, આ હરકત પાછળ કોણ વ્યક્તિ જોડાયેલું છે..? પરંતુ કોઈ વ્યક્તિએ તેનું મોઢું ખુલ્યું નહીં અને અંતે જ્યોતિએ પોલીસને બોલાવી અને કહ્યું કે, તેના ઘરની અંદર કોઈ વ્યક્તિએ ખૂબ જ ખરાબ ઈરાદો રાખીને આવી કાળી પ્રવૃત્તિઓ આદરી નાખી છે..
પોલીસે શંકાસ્પદ વ્યક્તિઓના આધારે વિનોદભાઈના પરિવારજનોની પૂછપરછ શરૂ કરી હતી, જેમાં કડક પૂછપરછ દરમ્યાન વિનોદભાઈનો એકનો એક દીકરો 21 વર્ષનો ધર્મેશ સાચું બોલી ગયો કે, આ ઘટના પાછળ તે પોતે જવાબદાર છે. તેણે જ્યારે તેના મકાનમાં ભાડે રહેતી જ્યોતિને જોઈ ત્યારે તેની સાથે ખૂબ જ ખરાબ કામ કરવાની દાનતો ધરાવી નાખી હતી..
એક વખત જ્યારે જોતી તેના મકાનને તાળું મારીને બહારગામ ગઈ હતી, ત્યારે મોકો જોતાની સાથે જ તેના ઘરની એક્સ્ટ્રા ચાવીથી તાળું ખોલીને તે જોતીના ઘરની અંદર ઘૂસી ગયો અને તેના ફુવારાની અંદર આ છૂપો કેમેરો ગોઠવી નાખ્યો હતો, પરંતુ ફુવારાનું ઢાંકણ નીચે પડી જવાને કારણે આ કરતુતો સામે આવી ગઈ અને સૌ કોઈ લોકોની સામે આ ઘટનાનો ભાંડો ફૂટી ગયો હતો..
જ્યારે આ બાબતો સોસાયટીના લોકો સુધી પહોંચી ત્યારે સૌ કોઈ લોકોમાં ફાફડાટનો માહોલ સર્જાઈ ગયો અને તરત જ મકાન માલિકના દીકરા વિશે એલમફેલ વાતો પણ કરવા લાગ્યા હતા. સોસાયટીમાં રહેતા લોકો કહેવા લાગ્યા કે, આવા નરાધમની ખૂબ જ હલકી વિચારધારા ધરાવનારા લોકો ને આપણે સોસાયટીથી દૂર રાખવા જોઈએ..
કારણકે આજે તેણે તેના મકાનમાં ભાડેથી રહેતી મહિલા સાથે આવી પ્રવૃત્તિઓ કરી છે, તો આવતીકાલે આપણા પણ દીકરા કે દીકરી સાથે આવી પ્રવૃતિઓ કરી શકે છે એટલા માટે આ વ્યક્તિથી આપણે દૂર રહેવું જોઈએ. તેમજ આ વ્યક્તિને બરાબરની સજા પણ થવી જોઈએ..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]