દિવાળીના સમયમાં તહેવારની ઉજવણી માટે સૌ કોઈ લોકો પોતાના ઘરે મોટું મીઠું કરવા માટે જુદા જુદા પ્રકારની મીઠાઈઓ લાવે છે. દિવાળીના તહેવારમાં એક બીજા વ્યક્તિને મીઠાઈ ખવડાવીને તેમના મોઢા મીઠા કરાવવામાં આવતા હોય છે. અને ગત વર્ષ દરમિયાન સંબંધોમાં રહેલી તમામ ખટાશોને ભૂલાવી દઈ સંબંધોને હંમેશા મીઠા કરી નાખવા જોઈએ..
પરંતુ અત્યારે ખાવા પીવાની ચીજ વસ્તુઓને લઈને રાજ્યના આરોગ્ય તંત્રની સાથે સાથે ફૂડ વિભાગની ટીમો પણ ખૂબ જ સક્રિય છે. સહેજ પણ ભેળસેળ વાળી ચીજ વસ્તુઓ દેખાઈ કે તાત્કાલિક ધોરણે તેને પકડી પાડી તમામ જથ્થો નાબૂદ કરી શહેરના નાગરિકોને સ્વાસ્થ્ય અંગે ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે..
દિવાળીના સમયમાં સૌ કોઈ લોકોનું સૌથી પ્રિય મીઠાઈ કાજુકતરી હોય છે. લોકો મન મૂકીને કાજુકતરી ખાય છે. કેટલાક લોકો ઘરની બનાવેલી કાજુકતરી ખાતા હોય છે. તો કેટલાક લોકો બહારની વેચાતી કાજુકતરીઓ લઈને તહેવારની ઉજવણી કરતા હોય છે. પરંતુ આ કાજુકતરી ખાતા પહેલા દરેક નાગરિકોએ ખૂબ જ ચેતવું જોઈએ અને આ કાજુકતરીને કેવી રીતે બનાવવામાં આવે છે..?
તેમજ અંદર કઈ કઈ ચીજ વસ્તુઓની ભેળસેળ કરવામાં આવે છે. તેની ચોક્કસ માહિતી મેળવી લેવી જોઈએ, અત્યારે કોમલ નગર વિસ્તાર પાસે આવેલી એક મીઠાઈની દુકાનમાં જ્યારે તપાસ ચલાવવામાં આવી ત્યારે તપાસ કરનાર અધિકારીઓના મોતિયા મરી ગયા હતા. કારણ કે તેઓએ મીઠાઈની આ દુકાનની પાછળના ભાગે બનાવવામાં આવતી મીઠાઈની કામગીરી જોઈ લીધી હતી..
અહીં ઘણી બધી ગેસની ટાંકીઓ ઉપલબ્ધ હતી. આ ઉપરાંત ખૂબ જ હલકી ગુણવત્તાની ચીજ વસ્તુઓની કાજુકતરી બનાવવામાં આવતી હતી. આ દુકાનની અંદરથી અંદાજે 48 કિલો કાજુ અને અંદાજે 20 થી 25 કિલો જેટલી તૈયાર કાજુકતરી પણ જપ્ત કરવામાં આવી છે. આ સાથે સાથે ગેસ સિલિન્ડર અને ભઠ્ઠા સહિતની કામગીરીઓ પણ બંધ કરાવવામાં આવી..
અને તેને જપ્ત કરી લેવામાં આવી હતી. અહીં કાજુકતરીની અંદર હલકી ગુણવત્તાના કાજુ વાપરતા હોવાની માહિતી સામે આવી હતી. આવી હલકી ગુણવત્તાની ચીજ વસ્તુઓ ખાવાને કારણે શહેરના નાગરિકોની સ્વાસ્થ્ય ખૂબ જ કથળી જતા હોય છે. તહેવારના આ સમયમાં નાગરિકોના સ્વાસ્થ્ય જળવાઈ રહે આ ઉપરાંત ભેળસેળયુક્ત સામાન બજારમાંથી નષ્ટ થઈ જાય..
એટલા માટે ફૂડ વિભાગના અધિકારીઓની સાથે સાથે આરોગ્ય વિભાગની ટીમ પણ ખૂબ જ કાર્યરત છે. થોડા દિવસ પહેલા પણ પેંડા બનાવવામાં વપરાતો મોળો માવો ભેળયુક્ત ઝડપાઈ આવ્યો હતો. ખૂબ જ નામચીન મીઠાઈની દુકાનના માલિકો મોડા માવા ની અંદર મિલાવટ કરી તેના પેંડા બનાવીને વેચતા હતા..
અને આ પેંડા લોકો મન મૂકીને ખરીદતા પણ હતા. જ્યારે હકીકત સામે આવી કે, આ મોળા માવાની અંદર ભેળસેળ કરીને આ પેંડા નો સ્વાદ લાવવામાં આવે છે. ત્યારે ખાનારા સૌ કોઈ લોકો ના મોતિયા મરી ગયા હતા. અને ખૂબ જ મોટો હોબાળો પણ થઈ ગયો હતો. જ્યારે જ્યારે આવી ઘટના સામે આવે છે ત્યારે ત્યારે ખૂબ જ ચકચાર મચી જતો હોય છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]