એક બાજુ દુઃખની પરિસ્થિતિ હોય અને એમાં પણ જો વધારે દુઃખની ઘડીઓ ત્રાટકી પડે તો આવી પરિસ્થિતિને સહન કરવી ખૂબ જ મુશ્કેલ સાબિત થઈ જતી હોય છે, કહેવાય છે કે જે વ્યક્તિની અંદર દુઃખ સહન કરવાની તાકાત હોય તેને જ ઈશ્વર ફૂટી ફૂટીને દુઃખની ઘડીઓ પણ આપે છે..
અને સમય વીત્યા બાદ ખૂબ જ સારી સુખની કડીઓમાંથી પણ તેમને જીવન જીવવા ની સ્થિતિ બનાવી દેતા હોય છે, અત્યારે એક પરિવાર માથે કઠણાઈ બેસી ગઈ હતી. પરિવારમાં સૌ કોઈ લોકો રાજી ખુશીથી રહેતા હતા. પરંતુ એક દિવસ એવો આવ્યો કે, જે એક જ પરિવારના બે વ્યક્તિનો જીવ ખેંચીને ચાલ્યો ગયો હતો..
આ બનાવ રાતોડી ગામનો છે, આ ગામની અંદર પરેશભાઈ નામના વ્યક્તિ તેમની પત્ની મધુમતીબેન તેમ જ તેમનો એકનો એક દીકરો અભિલાષ અને તેમની એકની એક દીકરી રાધિકાનો સમાવેશ થતો હતો. રાધિકા છેલ્લા બે અઠવાડિયાથી ખૂબ જ બીમાર પડી ગઈ હતી, તે ગામડાના જ ડોક્ટરની દવા લઈને સારવાર કરાવી રહી હતી..
તેની તબિયત બગાડવાને કારણે તે હવે શહેરના ડોક્ટર પાસે દવાખાને જવા જઈ રહી હતી, પરંતુ અડધી રસ્તે જ એવી ઘટના બની ગઈ કે અભિલાષનું ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયું હતું, પરેશભાઈ કોઈ કામકાજથી સવારના સમયે પોતાના ઘરેથી નીકળી ગયા હતા અને ત્યારબાદ રાધિકાની તબિયત ખૂબ જ વધારે બગડી જવાને કારણે અભિલાષ તેને બાઈક ઉપર બેસાડીને શહેરમાં હોસ્પિટલે લઈ જતો હતો..
તે જ્યારે અડધી રસ્તે પહોંચ્યો ત્યારે પાછળથી એક ડમ્પર ચાલકે અભિલાષની બાઇકને ટક્કર મારી દીધી હતી, પરિણામે બાઈકનું કચ્ચરઘાણ બોલી ગયો અને અભિલાષ હવામાં ફંગોળાઈને અંદાજે આઠ ફૂટ જેટલો દૂર નીચે ફટકાયો હતો. માથું નીચે પટકાકાતાની સાથે જ અભિલાષ બેભાન અવસ્થામાં ચાલ્યો ગયો હતો..
જ્યારે રાધિકાનું શરીર આ ડમ્પર નીચે આવી જવાને કારણે તેનું પણ ઘટના સ્થળે મૃત્યુ થયું હતું, આ અકસ્માત થતાની સાથે ડમ્પરચાલક ડમ્પરને ઘટના સ્થળે મૂકીને ત્યાંથી ભાગી ગયો હતો, હાઇવે પરના કેટલાક લોકોએ પોતાના વાહનો સાઇડ ઉપર થોભાવી રાખ્યા અને ત્યારબાદ હાઇવે ઉપર ફટકાયેલા અભિલાશને ઉભો કર્યો હતો..
અને ત્યારબાદ તેને હોસ્પિટલમાં સારવાર માટે પણ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલે પહોંચે એ પહેલાં તો અભિલાષ જીવ ગુમાવી દીધો હતો, તો બીજી બાજુ રાધિકાનું પણ ઘટના સ્થળે જ અકસ્માતમાં મૃત્યુ થઈ જતાની સાથે તેનો પણ જીવ ચાલ્યો ગયો હતો, એક સાથે બે વ્યક્તિઓના જીવ ચાલ્યા જતા જ પરેશભાઈ તેમજ મધુમતીબેન માટે તો દુઃખની આ ઘડી સહન કરવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ હતી..
ચારેકોર રોકકળનો માહોલ સર્જાઈ ગયો હતો, ઘટનાના સમાચાર જ્યારે રાતોડી ગામના દરેક લોકો સુધી પહોંચે ત્યારે ગામમાં પણ ફફડાટનો માહોલ સર્જાઈ ગયો અને સૌ કોઈ લોકોમાં શોકની લાગણી દેખાઈ આવી હતી. અભિલાષના માતા-પિતા વારંવાર કહેવા લાગ્યા કે તેમની દીકરી રાધિકા માટે હવે તેઓ સારો મુરતિયો શોધવા જઈ રહ્યા હતા..
તેમજ અભિલાશ માટે પણ તેઓ સારી વહુ શોધવાના હતા, પરંતુ આ બંને ભાઈ બહેનોને તેઓ પરણાવે એ પહેલા તો બંને વ્યક્તિના મૃત્યુ થઈ ગયા છે. હવે તેઓ તેમના બાળકો વગર જીવન જીવી શકશે નહીં, તેમ કહીને વારંવાર અભિલાષના માતા-પિતા રડી રહ્યા હતા. કહેવાય છે કે, ક્યારે કાળ ત્રાટકી જાય તેનું નક્કી હોતું નથી..
બિચારો અભિલાષ તેની બહેનને સારવાર માટે હોસ્પિટલે લઈ જતો હતો, અને વચ્ચે જ અકસ્માત નડી જતા બંનેનું મૃત્યુ થઈ ગયું છે. ઘટનાના સમાચાર પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચાડવામાં આવ્યા હતા. પોલીસે હાઇવે ઉપરથી ટ્રાફિકના કાફલાને દૂર કરાવ્યો હતો. આ ડમ્પર ચાલક નંબર પ્લેટ ઉપરથી ડમ્પરનો અસલી માલિક કોણ છે. તેમજ આ ડમ્પરને કોણ ચલાવી રહ્યો હતો વગેરેની માહિતી મેળવવી રહી છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]