દેશના સૌ કોઈ લોકો ધર્મ આસ્થામાં ખૂબ જ માને છે. દરેક લોકો જુદી-જુદી ભક્તિ અને શ્રદ્ધા સાથે સંકળાયેલા છે. પરંતુ અત્યારે કેટલાક લોકો પૈસા કમાવાને લાલચથી લોકોની ધર્મ આસ્થા અને લાગણીથી છેતરપિંડી કરીને ખૂબ જ ખોટા કામો કરી રહ્યા છે. આ લોકોથી હંમેશા ચેતીને રહેવું જોઈએ..
પાછળના સમયમાં આવા ઘણા બધા બનાવો સામે આવી ગયા છે કે, જેને લઇ સમાજમાં જાગૃતતા ફેલાવવામાં આવી હોય છે. પરંતુ અત્યારે વધુ એક બનાવો સામે આવ્યો છે. જ્યારે કોઈ ધાર્મિક કાર્યક્રમ કે પ્રસંગ કરવાનો હોય અને એના માટે જો ફાળો ઉઘરાવવાનો હોય તો ક્યારેય કોઈ વ્યક્તિ ના કહેતું નથી..
ભલે તે માત્ર દિવસના 100 થી 200 રૂપિયા કમાતો હોય, પરંતુ ધાર્મિક કામોમાં હંમેશા તે પોતાના થી થતી તમામ સેવા સગવડો આપી દેતા હોય છે. પરંતુ આ બાબતનો ફાયદો કેટલાક છેતરપિંડીગરના લોકો ઉઠાવી રહ્યા છે. અત્યારે બે વ્યક્તિ બાવાનું સ્વરૂપ ધારણ કરીને ગામના સૌ કોઈ લોકો માટે ભંડારો કરવા માટે ફાળો ઉઘરાવતા હતા.
લોકોના ઘરે જઈને કહેતા કે, ગામની નજીક જ ભંડારો કરવાનો છે. એટલા માટે ફાળો જોઈએ છે. ગામના લોકો આ બંને વ્યક્તિને અસલી બાવા સમજીને તેમને ભંડારા માટેના ફાળા આપવા લાગ્યા હતા. અને અંતે તેઓ સરપંચ પાસે પહોચ્યા અને સરપંચ પાસે ખૂબ જ વધારે માત્રામાં ફાળાની માંગણી કરી હતી..
સરપંચે કહ્યું કે, તમે આ ભંડારો કઈ જગ્યાએ કરવાના છો.? અને શા માટે કરો છો.? વગેરે જેવા સવાલો પૂછીને અંતે તેમને ફાળો આપી દીધો હતો. પરંતુ સરપંચને કંઈક મનોમન એવી શંકા જવા લાગે કે, આ બંને વ્યક્તિ જૂઠું બોલી રહ્યા છે. એટલા માટે સરપંચ આ બંને વ્યક્તિનો પીછો કર્યો હતો પીછો કરતી વખતે સરપંચ આ બંને વ્યક્તિની સાચી હકીકત જાણી લીધી હતી..
અને હકીકત જાણતાની સાથે જ તેના હોશ ઉડી ગયા હતા. તે જ્યારે આ બંને વ્યક્તિનો પીછો કરતો હતો. ત્યારે તેઓ ચાલતા ચાલતા આગળ જતા હતા અને સરપંચ તેમની પાછળ છુપાવીને આવતો હતો. આ બંને વ્યક્તિએ ખુલ્લી જગ્યાએ પહોંચ્યા અને ત્યાં પોતાના ખિસ્સામાંથી નશાકારક ચીજ વસ્તુઓ કાઢી અને ત્યારબાદ નશો કરવા લાગ્યા હતા.
આટલું જ નહીં તેઓએ આ પૈસા ભંડારામાં વાપરવાને બદલે નશાની ચીજ વસ્તુઓ ખરીદવામાં વાપરી નાખ્યા હતા. આ જોતા જ સરપંચ સમજી ગયા કે, આ બંને વ્યક્તિ નકલી બાવા બનીને ગામમાં ઘૂસી આવ્યા છે. અને ગામના લોકો પાસેથી ભંડારો કરવાના નામે ફાળો ઉઘરાવીને ખૂબ જ કાળા કાનનામાઓ કરી રહ્યા છે..
આ હકીકત સામે આવતા જ સરપંચ તાત્કાલિક તેમની પાછળ દોડી અને આ બંને વ્યક્તિને પકડી પાડ્યા હતા. ત્યારબાદ તેમની અસલી હકીકત સામે આવી ગઈ હતી. આ બંને વ્યક્તિ બેરોજગાર હતા અને છેલ્લા કેટલાક સમયથી કોઈ પણ કામ ધંધો ન મળતા તેઓએ લોકોની ધાર્મિક લાગણી સાથે છેતરપિંડી કરવાનો વિચારી નાખ્યો હતો.
અને ફાળો ઉઘરાવી તેઓ પોતાની મોજ મજા કરતા હતા. આ બંને વ્યક્તિ બાવાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેથી કરી સૌ કોઈ લોકો તેના પર વિશ્વાસ કરે અને જે તે ચીજ વસ્તુઓનો ફાળો તરત જ આપી દે આ લોકોની કાળી કરતુતો સામે આવતા સરપંચે બંનેને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા..
ત્યાં બંને સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પણ આ બંને વ્યક્તિની ઘરે પૂછતાછ શરૂ કરી છે. આ ઉપરાંત તેઓએ આગળના સમયમાં કયા કયા વ્યક્તિ પાસેથી કેટલા રૂપિયા લીધા છે, આ તમામ બાબતોની માહિતી મેળવાય રહી છે. અને નાગરિકોને તેમના રૂપિયા પરત આપવામાં આવી રહ્યા છે.
આવા લોકોની કાળી કરતુતોથી બચીને રહેવું જોઈએ, હંમેશા જેમ તેમ પૈસા કે ધર્માદો આપી દેવો જોઈએ નહીં. તેમની પાછળની સત્ય હકીકત જાણ્યા બાદ જ લોકોને પૈસા આપવા જોઈએ, જ્યારે આ બનાવ સામે આવ્યો ત્યારે ગામમાં ફાફડાટ મચી ગયો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]