છેલ્લા કેટલાક દિવસો થી રાજ્યભર માં અનેક વાર વિવિધ પ્રકારના નાના-મોટા ગુનાઓ સામે આવતા હોય છે અને લોકો પણ દિવસની શરૂવાત થતા ની સાથે જ સમાચારપત્રો માં આવતી તમામ વિગતો ની વાંચવા ને સમજવાનો પણ આગ્રહ રાખતા જ હોય છે જેમાંની કેટલીય વિગતો આપણને પણ આપણા સામાજિક જીવનમાં પણ ઉપયોગી થતી હોય છે.
આ સાથે સમગ્ર રાજ્યમાં ચાલતી ઘટનાઓ પર એક નજર નાખવામાં આવે તો રાજ્યભરમાં સ્થિતિમાં અનેક વાર ફેરફારો થતા જોવા મળે છે જેની અસરો રાજ્યભરમાં ચાલતી સ્થિતિ પર માઠી અને ગંભીર અસરો થવા પામતી હોય છે હાલમાં પણ એક આવી જ ઘટના બનવા પામી છે જેની વિસ્તારમાં જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં,
કડક દારૂબંધી હોવા છતાં પણ ગુજરાતમાંથી રોજ-બરોજ અનેક સ્થળો એ થી દારૂ અને બીજા કેટલાય નશાકારક પદાર્થો ઝડપાય જ છે ત્યારે હવે તો એક ચોંકાવનારી ઘટના સામે આવી છે 17 વર્ષની એક સગીરા પણ દારૂની બોટલ સાથે પકડાઈ ગઈ છે. સગીરા ઘરઘાટી તરીકે રહીને 3 માણસો સાથે મળીને દારૂની હેરાફેરી કરતી હોવાની વાત સામે આવી છે.
આ અંગે ઓઢવ પોલીસે પણ ગુનો નોંધીને સગીરાની હાલ તાત્કાલિક ધોરણે અટકાયત કરી છે જ્યારે આની સાથે ના જ બીજા 3 આરોપી હાલ ફરાર છે. આ અંગે વિસ્તાર માં મળતી માહિતી મુજબ ઓઢવ પોલીસે બાતમીને આધારે આદિનાથ નગર મુનિસર્વત સોસાયટી પાસે અલ્ટો કાર અને સગીરાની તપાસ હાથ ધરવા પામી હતી.
આ સમગ્ર ઘટનાની જયારે તપાસ પોલીસ થકી કરવામાં આવી રહી હતી ત્યારે અલ્ટો ગાડીમાંથી તો 32 દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે આ મામલે ત્યાં ઉભેલીની સગીરાની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી ત્યારે તમામ લોકોને જાણવા મળ્યું હતું કે ઘરઘાટી તરીકે રહે છે. અને સાથે રહી ને તેમના કાર્યો કરતા હોવાની વાત પણ સામે આવી છે.
સગીરા જેના ઘરમાં ઘરઘાટી તરીકે રહેતી હતી તે મહિલા ગીતાબા સોલંકી અને તેમની દીકરી જીલ સોલંકીએ તેને દારૂ છૂટક વેચાણ માટે આપીને તેનું ધ્યાન રાખવા માટે પણ કહ્યું હતું. આ સાથે તેનો ભાઈ નિસર્ગ પણ આ કાળા ધંધામાં સાથે જ જોડાયેલો હોવાનું જણાવ્યું હતું.ઓઢવ પોલીસે ગુનો નોંધીને સગીરાની અટકાયત કરી છે જ્યારે બાકીના 3 આરોપી હાલ ફરાર થઈ ગયા છે જેની શોધખોળ ચાલુ છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]