જ્યારે આપણે સાંભળીએ છીએ કે કોઈ વ્યક્તિ સાથે ખૂબ જ માઠો બનાવ બન્યો છે, તે સાંભળીને આપણને ખૂબ જ દુઃખ થતું હોય છે. કારણ કે દરેક માણસો લાગણીશીલ હોય છે. અને કોઈ વ્યક્તિ સાથે ખોટું થતા જોતા જ આપણને પણ દુઃખ અનુભવાતું હોય છે. અત્યારે કંઈક આવો જ દુઃખ અનુભવાનો વારો એક પરિવારજનોનો આવ્યો હતો..
હાલ અમે એક એવી ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છે કે, જેને જાણ્યા બાદ દરેક લોકોએ ડગલેને પગલે ખૂબ જ ચેતીને જીવન જીવવું જોઈએ. આ બનાવ ગંગાપુર વિસ્તાર પાસે આવેલી રામજીકૃપા કોલોનીનો છે. અહીં હેમંતભાઈ નામના વ્યક્તિ તેમની પત્ની જયશ્રીબેનની સાથે રાજી ખુશીથી જીવન જીવે છે..
હેમંતભાઈ વ્યવસાય ચલાવે છે, તેમજ જયશ્રીબેન પણ પોતાના ઘરે જ બાળકોને ટ્યુશન આપીને જીવન ગુજરાન ચલાવવામાં મદદરૂપ થાય છે. એક દિવસ સવારના સમયે જયશ્રીબેન તેમના બાથરૂમમાં નાહવા માટે ગયા હતા અને લાંબો સમય સુધી જયશ્રીબેને બાથરૂમનો દરવાજો ન ખોલતા તેમના પતિ હેમંતભાઈ વારંવાર દરવાજો ખટાવવા લાગ્યા હતા..
અને જયશ્રીબેનને બૂમ મારીને બોલાવતા હતા કે, તું બારણું કેમ ખોલતી નથી. પરંતુ અંદરથી કોઈ પણ પ્રકારનો જવાબ ન મળતા હેમંતભાઈ ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયા અને તેઓએ તરત જ આ દરવાજો તોડી નાખ્યો હતો અને અંદર પ્રવેશતાની સાથે જ તેમણે જોયું તો જયશ્રી બેન બાથરૂમમાં નીચે ઢળી પડ્યા હતા..
અને તેમનું શરીર પણ કાળું થઈ ગયું હતું. આ સાથે જ તેમના બાથરૂમમાં લાગેલા ગીઝરમાંથી કાળા કલરના ધુમાડા નીકળતા હતા અને ગીઝરનું શોર્ટ સર્કિટ થઈ વાયરીંગ બળી ગયું હોય તેવી વાસ આવતી હતી. આ બધા દ્રશ્ય જોઈને હેમંતભાઈ સમજી ચૂક્યા કે, નક્કી તેમની પત્ની જયશ્રીબેનને ગીઝરમાંથી શોક લાગ્યો છે..
અને આ શોકને કારણે જયશ્રીનું શરીર બળીને ખાખ થઈ ગયું છે. આ દ્રશ્ય જોતાની સાથે જ તેઓ ચીખો નાખી બેઠા હતા અને તરત જ તેઓ આસપાસના પડોશીઓને બોલાવ્યા અને જયશ્રીબેન ને દવાખાને લઈ જવા છે. તેવું જણાવ્યું હતું. પડોશીઓ આવી પહોંચી અને તેમની કારની અંદર જયશ્રીબેન ને દવાખાને પણ લઈ જવામાં આવ્યા પરંતુ હોસ્પિટલે પહોંચેએ પહેલા જયશ્રીબેન નું મૃત્યુ થઈ ગયું હોય તેવું લાગતું હતું..
હોસ્પિટલે પણ ડોક્ટરે તપાસ કર્યા બાદ જણાવ્યું કે જયશ્રીબેન નું મૃત્યુ થઈ ગયું છે, અને તેમનું મૃત્યુ શરીરની અંદર રહેલું લોહી બળી જવાને કારણે થયું છે. તેમને ખૂબ જ જોરદાર શોક લાગ્યો હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું. તેઓ સવારના સમયે બાથરૂમમાં નહાવા માટે ગયા હશે અને ગીઝરને અડકતાની સાથે જ શોક લાગી ગયો હશે..
તેના કારણે બિચારા જયશ્રીબેનનું મૃત્યુ થઈ ગયું હતું. સવારના સમયે મોટાભાગે મહિલાઓ પાણી સાથે કામકાજ કરવું પડે છે, ઘરની સાફ-સફાઈથી માંડીને કચરા પોતા વાસણ સહિતની ચીજ વસ્તુઓમાં પાણીની વપરાશ થતી હોય છે. એવામાં ભીના હાથે કોઈપણ ઈલેક્ટ્રીક ચીજ વસ્તુઓને અડકતા પહેલાં સો વખત વિચાર કરવો જોઈએ કારણ કે દિન પ્રતિદિન શોક લાગવાના બનાવો ખૂબ જ વધી રહ્યા છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]