Breaking News

હાઈવે ઉપર બસ પલટી મારી જતા મુસાફરોના જીવ પડીકે બંધાયા અને અંતે એક જ સાથે 15 મુસાફરોના ભોગ લેવાતા મચી ગઈ અફરાતફરી..!

જ્યારે જ્યારે હાઇવે ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે ત્યારે દુખદ સમાચાર સામે આવતા હોય છે. કારણ કે માર્ગ અકસ્માતમાં મૃત્યુ થવાની સંભાવના ખૂબ જ વધારે હોય છે. એમાં પણ જો અકસ્માત ખૂબ ગંભીર બન્યો હોય તો જે તે પરિવારજનોને ખૂબ મોટી મુશ્કેલી ભોગવવાનો વારો આવતો હોય છે..

હાલ ખાંભા થી ખૂબ જ ખરાબ સમાચાર મળી રહ્યા છે. કે સાવરકુંડલા તરફથી ગારીયાધાર બાજુ આવતી એક મીની બસ હાઈવે ઉપર પલટી મારી ગઈ છે. ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાની સાથે જ મહિ યોજનાના ટાંકા પાસે આ બસ પલટી મારી ગઇ હતી. બસની અંદર ઘણા બધા મુસાફરો સવાર હતા..

જેમાંથી ૧૫ મુસાફરોનો ભોગ લેવાયો છે. બસ જ્યારે પલટી મારી ગઈ ત્યારે સૌ કોઈ લોકો હચમચી ગયા હતા. અને જોર જોરથી ચીસ અને બૂમાબૂમ કરવા લાગ્યા હતા. હાઈવેની એક બાજુ પથ્થરિયાળ વિસ્તાર હતો તો બીજી બાજુ થોડી ઘણી ઊંડી ખાઈ હતી. આ બસ પથ્થરિયાળ વિસ્તારમાં પલટી મારી હતી એટલા માટે બસની અંદર સવાર મુસાફરોમાંથી 15 જેટલા મુસાફરોને ખૂબ જ ગંભીર ઈજાઓ પહોંચી છે..

જો આ બસ બીજી તરફ પલટી મારી હોત તો આજે ખૂબ ખરાબ સમાચાર સાંભળવા પડેત. આ અકસ્માત સર્જાતાની સાથે જ હાઇવે ઉપર ચક્કાજામ થઈ ગયો હતો. આસપાસના વાહનચાલકો તાત્કાલિક ધોરણે બસમાંથી ઈજાગ્રસ્ત લોકોને બહાર કાઢવામાં મદદ કરવા પહોંચી ગયા હતા..

આ સાથે સાથે જાગૃત યુવાનને તાત્કાલીક ધોરણે 108ને પણ જાણ કરી દેતાં તેઓ ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં મદદરૂપ બન્યા હતા. આ બાદ જ્યારે પલટી મારી ગઈ ત્યારે થોડા સમય માટે હાઈવે ઉપર ખૂબ મોટો ચક્કાજામ થઈ ગયો હતો. જેના પગલે પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી..

ગારીયાધાર ઉના માર્ગની મીનીબસ છેલ્લા ઘણા સમયથી આ રસ્તા પર ચાલતી હતી. થોડા સમય પહેલાં પણ આ બસનો અકસ્માત ખડાધાર અને અમૃતવેલ રેલવે ફાટક પાસે થયો હતો. અને વધુ એકવાર આ મીની બસ પલટી મારી જતા સનસનાટી મચી ગઇ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *