Breaking News

બંને બાળકોને દુકાને વસ્તુ લેવા મોકલીને ઠંડા કલેજે પતિએ પત્નીનું દુપ્પટાથી ગળું દાબી દીધું, અને પછી તો થયું એવું કે જાણીને ચોંકી જશો..!

નાના મોટા ઝઘડાને કારણે લોકો ગુસ્સામાં આવીને હ.ત્યા જેવું ગંભીર પગલું ઉઠાવી લેતા હોય છે. હ.ત્યાનો આવો જ એક બનાવો મધ્યપ્રદેશ રાજ્યના ઝાંસી જિલ્લામાં સામે આવ્યો છે. જ્યાં એક પતિએ બેરહેમીથી પોતાની જ પત્નીની હ.ત્યા કરી છે. હ.ત્યા બાદ તેની પત્નીના મૃત દેહને ઘરમાં બંધ કરીને પોતે જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

હત્યાનો આ બનાવ સૌ કોઈ ને આશ્ચર્યચકિત કરી દે તેવો છે. મધ્યપ્રદેશ રાજ્યના ઝાંસી જિલ્લાના સૈયદ નગરમાં રહેતી નેહા આહિરવાર એ શિવપુરીના ચંદવાડા ગામના મૂળ રહેવાસી સુરજ સાથે 10 વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કર્યા હતા. તેઓ વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. જેથી નેહા પોતાના પિયર જતી રહી હતી.

પરંતુ થોડા વર્ષ પહેલાં સુરજએ પોતાનું નવું ઘર બનાવ્યું હતું. ત્યારબાદ નેહા પોતાના પતિ સાથે રહેવા લાગી હતી. પરંતુ સૂરજ ને દારૂ પીવાની કુટેવ હતી. જેના કારણે તે વારંવાર દારૂ પીયને પોતાની પત્ની નેહાને મારતો હતો. તેમજ પોતાની તમામ મહેનતની કમાણી દારૂ પાછળ વેડફી નાખતો હતો.

જે નેહાને બિલકુલ પણ પસંદ ન હતું. આ બાબતને લઈને નેહા સુરજ ને વારંવાર મેણા મારતી હતી. જેને કારણે સુરજ નેહા પર ગુસ્સો કરતો હતો. હાલમાં સુરજ એ ઘર બનાવવા માટે કોન્ટ્રાક્ટ લીધો હતો. તે પોતાના જ ઘર પાસે આવેલા હનુમાન મંદિર પાસે એક ઘર બનાવી રહ્યો હતો. પરંતુ જેમાં તેને કોઈપણ જાતનો ફાયદો ન થતો ન હતો.

જેથી છેલ્લા એક મહિનાથી સૂરજ અને નેહા વચ્ચે વિવાદ ચાલતો હતો. સૂરજ વારંવાર ગુસ્સે થઈને નેહાને માર મારતો હતો. તેમજ ઘરની બહાર નીકળવાની મંજૂરી ન આપતો હતો. આ ઉપરાંત સુરજ નેહા પાસેથી પૈસા પણ માંગી રહ્યો હતો. પરંતુ નેહા પાસે પૈસા ન હોવાને કારણે તેને સૂરજને પૈસા આપવાની ના પાડી દીધી હતી.

સુરજને આ બાબત જરાઈ પણ પસંદ ન આવી હતી. તેથી તેણે પોતાના બંને બાળકોને દુકાને કોઈ વસ્તુ લેવા માટે મોકલ્યા હતા અને તે દરમિયાન ઘરમાં જ પોતાની પત્નીનું દોરડા વડે ગળું દબાવીને હ.ત્યા કરી નાખી હતી. ત્યારબાદ તેણે મૃત દેહને ત્યાં જ રાખીને ઘરે તાળું મારી દીધું હતું. આ ઉપરાંત તે પોતાના બંને બાળકોને લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

ત્યાં તેણે પોતાના જ વિરૂધ ફરિયાદ નોંધાવી હતી. તેમજ પોલીસને ઘરની ચાવી આપતા જાણ કરી હતી કે મેં મારી પત્નીની હ.ત્યા કરી છે. સૂરજની આ વાત સાંભળીને તમામ પોલીસકર્મીઓ પણ ચોકી ગયા હતા. જ્યારે તેમણે આ સૂરજના ઘરની તપાસ કરી ત્યારે તેમને નેહાનું મૃતદેહ જમીન પર પડેલો મળ્યો હતો.

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો તેમ જ નેહાના પરિવારને આ બાબતની જાણ કરી હતી. નેહાના પિતા રેલવેમાં નોકરી કરે છે તેમણે કહ્યું હતું કે સૂરજને આજીવન જીવન કેદ થવી જોઈએ. આ ઉપરાંત નેહા ના ભાઈએ સુરજને તેના આ કામને બદલ કડક સજા આપવા માટે જણાવ્યું હતું. સુરજના આ કૃત્યના કારણે બે બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે. તેમજ નેહાના પિતા પોતાની દીકરીના મૃત્યુના કારણે ખૂબ જ દુઃખી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *