જ્યારે પણ આપણે કોઈપણ કામકાજ કરતા હોઈએ ત્યારે એ કામકાજને થોભાવી દઈને તરત જ બીજા કામકાજમાં લાગી જવું એ ખૂબ જ ખોટી આદત કહેવાય છે, આવી રીતે કામ કરવાને કારણે બંને કામમાં નુકસાની થતી હોય છે. અત્યારે એક મહિલા ઘરકામનું કરતી કરતી સોસાયટીમાં આવેલી લારીમાં પાણીપુરી ખાવા માટે નીકળી પડી હતી..
અને જ્યારે તે પોતાને ઘરે પરત આવી ત્યારે એવી ઘટના ઘટી ગઈ હતી કે, તેને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો હતો. જો તેણે ઘરકામ પૂર્ણ કર્યા બાદ પોતાના ઘરનો દરવાજો બંધ કરીને ઘરની બહાર ગઈ હોત તો આજે તેને પછતાવાનો વારો આવ્યો ન હોત, પરંતુ એક કામ કરતા કરતા તરત જ પાણીપુરી ખાવાનું બીજું કામ પણ તે કરવા માટે ઘરની બહાર જતી રહી હતી..
જેના કારણે અત્યારે તેને પછતાવાનો વારો આવ્યો છે, આ હચમચાવતો કિસ્સો આનંદપાર્ક વિસ્તારમાં આવેલા બંગલામાંથી સામે આવ્યો છે, આ બંગલાની અંદર સુરેશ ભાઈ નામના નામચીન બિલ્ડર તેના પરિવારની સાથે રહે છે. સુરેશભાઈના પરિવારમાં તેમની પત્ની અનિતાબેન તેમ જ તેમની લાડકવાઈ દીકરી શ્રુતિ અને તેમનો મોટો દીકરો પ્રતીકનો સમાવેશ થતો હતો..
પ્રતિક કોલેજ ગયો હતો, જ્યારે શ્રુતિ ઘરે સૂઈ રહી હતી. આ ઉપરાંત સવારના સમયે સુરેશભાઈ પોતાના કામકાજ માટે ઘરથી બહાર પોતાની કાર લઈને નીકળી ગયા હતા. ત્યારબાદ અનિતા પોતાના ઘરે ઘરકામ કરવામાં વ્યસ્ત હતી એવામાં તેમની શેરીમાંથી એક યુવક પાણીપુરીની લારી લઈને પસાર થતો હતો..
સોસાયટીમાં રહેતી ઘણી બધી મહિલાઓ અનિતાબેનને બૂમ મારીને પાણીપુરી ખાવા માટે પહોંચી ગઈ હતી, અનિતાબેન ને પણ પાણીપુરી ખાવાની તીવ્ર ઈચ્છા જાગી ઉઠતા તેઓ પણ પોતાનું ઘર કામ પડતું મૂકીને ઘરનો દરવાજો ખુલ્લો મૂકીને જ તેઓ પાણીપુરી ખાવા માટે ચાલ્યા ગયા હતા..
ત્યાં મન મૂકીને પાણીપુરી ખાતા ખાતા આસપાસના પડોશીઓ સાથે ફાંકા ફોજદારી કરીને તેઓ જ્યારે પોતાના ઘરે પરત આવ્યા ત્યારે એવી ઘટના ઘટેલી જોઈ કે તેમના મોતિયા મરી ગયા હતા, તેઓએ જોયું તો તેમના ઘરના બેડરૂમની અંદર રહેલી તિજોરીનું તાળું તોડી નાખવામાં આવ્યું હતું અને અંદર મુકેલા ઘરેણા ની સાથે તેમના અન્ય પ્રોપર્ટીના દસ્તાવેજો પણ ગાયબ હતા..
આ સાથે સાથે તેમની દીકરી શ્રુતિ બેડ ઉપર સૂઈ રહી હતી, તેના હાથમાં પહેરેલા સોનાના ઘરેણા અને ગળામાં પહેરેલો ચેન સહિતના તમામ ઘરેણા પણ ગાયબ હતા. આ દ્રશ્ય જોઈને તે હચમચી ઉઠી અને તરત જ તેના પતિ સુરેશભાઈને ફોન કરીને જાણકારી આપી કે તેના ઘરે ખૂબ જ મોટી ચોરી થઈ ગઈ છે..
સોસાયટીમાં આવેલા પાણીપુરી વાળા પાસે તે પાણીપુરી ખાવા માટે ગઈ એટલી જ ઘડીની અંદર તેના ઘરે કોઈ ચોર લુટારો પ્રવેશીને ચોરી કરીને જતો રહ્યો છે, સુરેશભાઈ તાબડતોબ પોતાને ઘરે પહોંચી અને ત્યારબાદ તેઓએ પોલીસને પણ આ વાતની જાણકારી આપતા પોલીસનો કાફલો ઘરના સ્થળે દોડી આવ્યો હતો..
તેઓ સીસીટીવીની મદદથી તપાસ મેળવી રહ્યા છે, તેમના ઘરે ખૂબ જ મોટી ચોરી થઈ હતી. અનિતાબેન માત્ર 20 મિનિટ માટે ઘરની બહાર નીકળ્યા હતા. પરંતુ તેઓ ઘરનો દરવાજો ખુલ્લો છોડી મૂકતાં આ ચોર લુટારાઓ ઘરના દરવાજામાંથી જ પ્રવેશ મેળવી લીધો અને ચોરી કરીને ત્યાંથી જ તેઓ રફુચક્કર થઈ ગયા અને અનિતાબેનની સાથે સાથે તેમના પડોશમાં રહેતા લોકોને પણ ખબર પડી નહીં..
આ ઘટના વિશે જ્યારે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે, આ ચોર લૂંટારો અન્ય કોઈ વ્યક્તિ નહીં પરંતુ પાણીપુરીની લારી લઈને આવેલા યુવકનો જ મિત્ર હતો. હકીકતમાં આ બંને મિત્રો ખૂબ જ ભેજાબાજ રીતે ચોરી કરતા હતા, તેઓ જુદી- જુદી સોસાયટીમાં પાણીપુરીની લારી લઈને જતા અને ત્યાં ખૂબ જ સસ્તા ભાવે લોકોને પાણીપુરી ખવડાવતા હતા..
એટલા માટે મહિલાઓ તેમના તરફ આકર્ષાય અને તરત જ પાણીપુરી ખાવા માટે પહોંચી જાય, એવા સમયનો લાભ ઉઠાવીને જે તે મકાનની અંદર તેનો મિત્ર ઘુસી જતો હતો જ્યારે યુવક અન્ય મહિલાઓને પાણીપુરી ખવડાવવામાં વ્યસ્ત રહેતો ત્યારે બીજો યુવક તે મહિલાઓના ઘરમાં ઘૂસીને ચોરી કરીને જતા રહેતા હતા..
જ્યારે આ મામલો સામે આવ્યો ત્યારે સોસાયટીમાં ખૂબ જ મોટો હડકમ મચી જવા પામ્યો હતો. મોટાભાગની સોસાયટીઓમાં તો કોઈપણ લારીવાળા કે અન્ય કોઈ ફેરવ્યાઓને પણ અંદર પ્રવેશ આપવામાં આવતો નથી. પરંતુ અમુક સોસાયટીની અંદર ખૂબ જ ચોંકાવનારી ઘટનાઓ બની જતા રહીશોના તો કાળજા ફાટી ગયા હતા..
હાલ આવી હચમચાવી દેતા બનાવને પગલે સુરેશભાઈ કાયદેસરની કાર્યવાહી કરવા લાગ્યા હતા. તેમના ઘરેથી ચોરાયેલો અંદાજે પાંચ લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ તેમને પરત આપવામાં આવ્યો હતો, ઉપરાંત ચોર લુટારાઓને ઝડપી પાડવામાં આવ્યા છે. અને તેઓએ પાછળના સમયમાં કયા વ્યક્તિ પાસેથી કેટલું ચોરી કરીને જમા કર્યું છે તેની પણ માહિતી મેળવવી રહી છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]