છાશ વારે દરેક સમાજ માટે ચોંકાવનારા અને દરેક બાબતોમાંથી શિખામણ લઈ શકાય અને પરિવારને અમલમાં મૂકી શકાય એ પ્રકારના અઢળક કિસ્સાઓ સામે આવવા લાગ્યા છે. જેમાંથી અમુક બનાવતો આપણી નજીકના જ વ્યક્તિઓ સાથે બનતા હોય છે. જ્યારે અમુક બનાવવાની જાણ સમાચાર પત્રક અથવા ડિજિટલ માધ્યમથી મળતી હોય છે..
અત્યારે એક કરોડપતિ પરિવારમાં મારે ચકચાર મચી ગયો છે. આ ઘટના લીલીયાપર ગામના કરોડપતિ વ્યક્તિ રમણીકભાઈના પરિવાર સાથે બની છે. રમણીકભાઈને ગામમાં સૌ કોઈ લોકો રમણીક શેઠ કહીને બોલાવતા હતા. તેઓ શહેરમાં ખૂબ આલિશાન બંગલામાં રહીને જીવન ગુજારતા હતા..
પરિવારમાં તેમને ત્રણ દીકરીઓ અને બે દીકરાનો સમાવેશ થતો હતો. રમણીક શેઠ અંદાજે ચારથી પાંચ ફેક્ટરીઓ ધરાવતા આ ઉપરાંત તેમને ખેતીનો પણ ખૂબ જ મોટો વ્યવસાય હતો. તેઓએ તેમની બંને દીકરીના લગ્ન ખૂબ સારી રીતે પૂર્ણ કર્યા હતા. ત્યારે તેમની 21 વર્ષની ત્રીજી અને લાડકી દીકરીના લગ્ન માટે ટૂંક સમયની અંદર જ તૈયારીઓ શરૂ કરવાની હતી..
પરંતુ તેના માટે કોઈ સારો મૂરતીયો શોધે એ પહેલા તો આ દીકરીએ રમણીકભાઈની ઈજ્જતને કાંકરા સમાન કરી નાખી છે. તેઓ જે બંગલામાં રહેતા હતા. એ બંગલાની સામેના વિસ્તારમાં એક દુકાન ભાડે રાખીને પંચર વાળો વ્યક્તિ રોજબરોજ ત્યાંથી પસાર થતા વાહનોના પંચર કામ કરતો હતો..
જ્યારે 21 વર્ષની દીકરી ભૂમિ પોતાની બાલ્કનીમાં ઉભી રહેતી ત્યારે તે અવારનવાર આ પંચરવાળા વ્યક્તિને જોતી હતી. ધીમે ધીમે બંને વચ્ચે આંખો મળતી ગઈ અને બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. ભૂમિએ એક પણ વાર વિચાર ન કર્યો કે તેના પિતાની શું ઈજ્જત છે. અને તેનું આવનારું જીવન કેવું રહેશે..?
તેને આવો કશું જ વિચાર કર્યા વગર પોતાના બંગલા ની સામેના ભાગે લોકોના વાહનમાં પંચર કરનાર વ્યક્તિ દીપક સાથે પ્રેમ લગ્ન કરવા માટે તે ઘરેથી ભાગી ગઈ હતી. ભૂમિએ દિપક ને જણાવ્યું હતું કે, તે તેના પિતાને તેમના પ્રેમ સંબંધની વાતચીત કરશે અને જો તેના પિતા માની જશે તો તેઓ લગ્ન પણ કરી લેશે..
પરંતુ દીપકએ જણાવ્યું કે, તેના પિતા ક્યારેય પણ આ સંબંધને અપનાવશે નહીં એટલા માટે ભાગી જવું જોઈએ. પરંતુ દીકરી પોતાનું ઘર મુકવા માટે તૈયાર હતી નહીં અને દીપક નામનો આ વ્યક્તિ ભૂમિને પોતાની પ્રેમ ભરી વાતોમાં ફોસલાવીને તેને ભગાડીને લઈ ગયો હતો. આ બંને વ્યક્તિએ પોતાના ઘરથી અંદાજે 700 કિલોમીટર દૂર જઈને પ્રેમ લગ્ન કરી લીધા હતા..
અને ત્યારબાદ તેઓએ રમણીક શેઠને ફોન કરીને જણાવ્યું હતું કે, આ બંને વ્યક્તિ એકબીજા સાથે પ્રેમ લગ્ન કરી લીધા છે અને હવે તેઓ પોતાને ઘરે પરત આવી રહ્યા છે. એક બાજુ રમણીક શેઠ અને તેનો પરિવાર ભૂમિને શોધવા માટે જુદા જુદા વિસ્તારમાં નીકળી પડ્યો હતો પરંતુ તેઓને શું ખબર કે તેમની દીકરી પ્રેમ લગ્ન કરવા માટે ઘરેથી ભાગી ગઈ છે..
અને હકીકતમાં તેણે પ્રેમ લગ્ન પણ કરી લીધા હતા. જ્યારે રમણીક સાથે પોતાના કાને આ અવાજ સાંભળ્યો કે તેમની દીકરીએ પ્રેમ લગ્ન કરી લીધા છે ત્યારે તેમના હોશ છૂટી ગયા હતા. તેઓ વિચારવા લાગ્યા કે, તેઓ જે દીકરીને સૌથી વધુ પ્રેમ આપ્યો તેમજ તેની દરેક ઈચ્છાઓ પૂરી કરી તે જ દીકરી આજે તેના માટે આફત રૂપ બની ગઈ છે..
અને રમણીક શેઠે ધંધા રોજગાર કરીને બનાવેલી ઇજ્જત ઉપર પાણી ફેરવી દીધું છે. અત્યારે સૌ કોઈ લોકો કહી રહ્યા છે કે, રમણીક શેઠ ધંધો રોજગાર તો બરાબર ચલાવે છે. પરંતુ તેઓ તેમની દીકરીને સાચવી શક્યા નહીં જેનું દુઃખ સૌ કોઈ લોકોને છે. તો એક બાજુ કેટલાક લોકો હસી મજાક કરીને ચર્ચા વિચારણા કરી રહ્યા છે.
રમણીક શેઠે તેમની દીકરી ભૂમિને મોબાઈલ પર જ કહી દીધું હતું કે, હવે તું ઘરે ન આવે તો ચાલશે કારણ કે હવે અમે લોકો ક્યારેય પણ તારું મોઢું જોવાય ઇચ્છતા નથી. તે પરિવારની વિરુદ્ધ જઈને એવું પગલું ભરી લીધું છે કે, જેની ઠેસ પરિવારના સૌ સભ્યોને પહોંચી છે. જ્યારે જ્યારે આવી ઘટનાઓ સામે આવે છે. ત્યારે દરેક વ્યક્તિ માટે આ એક ખૂબ જ ચોકાવનારો મામલો બની જતો હોય છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]