Breaking News

બાળકે કહ્યું, ‘મારા પપ્પા મને, મોટા ભાઈને અને મમ્મીને અંધારી રૂમમાં પૂરીને ચપુથી ધમકાવતા હતા’, હોશ ઉડાવે તેવો કિસ્સો આવ્યો સામે.. વાંચો..!

આજકાલની રોજિંદી જિંદગીમાં પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડાઓ થવાના બનાવ સામે આવતા હોય છે. નાના મોટા ઝઘડાઓ અંતે મોટા ઝઘડા માં પરિવર્તન પામીને હત્યા સુધી પહોંચી શકે છે. આ બધા કારણો અને અંતે પસ્તાવાનો વારો આવે છે. હાલ અમદાવાદના એક વિસ્તારમાંથી અત્યંત ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે..

હકીકતમાં એક મહિલાએ ઘણા વર્ષો પહેલા એક યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. ત્યારબાદ તે બંનેનું જીવન ખૂબ સારી રીતે ચાલતું હતું. હાલ તેઓને બે નાના બાળકો પણ છે. પરંતુ જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેમ આ મહિલાને તેના પતિ ખૂબ જ હેરાન ગતિ પહોંચાડતો જતો હતો..

દિવસેને દિવસે નાની-નાની વાતો ઉપર તેનો પતિ તેના ઉપર ખૂબ ગુસ્સો કરતો હતો. અને ક્યારેક તો મારામારી પર પણ ઊતરી આવતો હતો. આ મહિલાના દાદાનું અવસાન થયું હતું. એટલા માટે મહિલા દાદા ની અંતિમ વિધિમાં તેના પિયર જવા માંગતી હતી. પરંતુ તેના પતિએ તેને ચોખ્ખી ના પાડી દીધી હતી કે,

તારે પિયર જવાનું નથી. કોઈપણ વ્યક્તિના નજીકના વ્યક્તિનું મૃત્યુ થાય તો તેની અંતિમ ક્રિયામાં ગમે તેવો સારો સંબંધ હોય કે પછી ગમે તેવા દુશ્મન હોય તે જરૂર હાજર થાય છે. પરંતુ આ મહિલાને તેના પતિએ ચોખ્ખી ના પાડી દેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડામાં પતિ ખૂબ ગરમ થઇ ગયો હતો.

અને તેણે આ મહિલા તેમજ તેના બંને બાળકોને એક રૂમમાં બંધ કરી દીધા હતા. ત્યાર બાદ રૂમમાં લાઈટ પણ બંધ કરીને જોર જોરથી બુમ બરાડા કરવા લાગ્યો હતો એ પછી મહિલાએ તેના પતિ અને સમજાવવાની કોશિશ કરી હતી. પરંતુ તેનો પતિ કોઈ પણ વાતને સમજવા રાજી ન હતો..

અને તેણે પોતાના ખિસ્સામાંથી ચપ્પુ કાઢી અને તે મહીલાને ધમકી આપવા લાગ્યો હતો કે તારે પિયર જવું જ હોય તો પિયર નહી તું નહીં… પરંતુ તારી લાજ જશે. આજે તો હું તને મારી જ રાખી. એક બાજુ નાના બાળકો આ પ્રકારનું વર્તન પોતાની નજર સામે જોઈ રહ્યા હતા તેમજ કાનોથી સાંભળી રહ્યા હતા..

આવી બાબતો નાની ઉંમરમાં જોવાને કારણે ભવિષ્યમાં ખૂબ ખરાબ અસર થઈ શકે છે. છતાં પણ તેનો પતિ આ મહિલાને ધમકાવતો હતો. અંતે મહિલાએ 181 નંબર પર કોલ કરીને મહિલા અભીયમની ટીમને જાણ કરી હતી. એટલા માટે અભ્યાસની ટીમ મહિલાના ઘરે આવી પહોંચી હતી..

પોલીસ કર્મીઓએ ઘરનો દરવાજો ખોલવાની ઘણી માથાકૂટ કરી હતી. પરંતુ તેનો પતિ દરવાજો ખોલવા માટે તૈયાર ન હતો. ત્યારબાદ પોલીસ કર્મીઓએ તેની બાલ્કનીમાં જઈને જોયું તો રૂમમાં ખૂબ જ અંધારું હતું. અને તેનો પતિ ચપુ લઈને બેઠો હતો. તેમજ તેના બંને બાળકો ખૂબ જ ગભરાઈ ગયા હતા…

પોલીસે મહિલાના પતિને ધીમે ધીમે ફોન આવ્યો હતો અને ત્યારબાદ તેના હાથમાંથી છરી છીનવી લીધી હતી અને બંને બાળકો તેમજ મહિલાને છોડાવ્યા હતા. મહિલા હાલ તેના પતિ ઉપર ફરિયાદ નોંધાવી છે. પોલીસ પણ આ મામલે તપાસ કરી રહી છે. મહિલા અભયમ ટીમે આ નાના બાળકોની પૂછતાછ કરી હતી…

તો બાળકોએ જણાવ્યું હતું કે મારા પપ્પા મને અને મારા મોટા ભાઈને તેમજ મારી મમ્મીને પણ એક અંધારી રૂમમાં પૂરી દીધા હતા. અને ચપ્પુ લઇને જોરજોરથી મારી મમ્મીને ધમકાવવા લાગ્યા હતા. નાના બાળકના આ શબ્દ સાંભળતાની સાથે જ કોઈ લોકો ચોંકી ઉઠ્યા હતા અને વિચારવા લાગ્યા કે આ બાળક ઉપર શું વીતી હશે…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *