Breaking News

બજારમાં મગફળી વેચવા જતા ખેડૂતના ટેમ્પાને પાછળથી ટ્રકે ટક્કર મારી દેતા ખેડૂતનું ઘટના સ્થળે જ મોત થયા માતમ છવાયો..!

આજકાલ અકસ્માત ના બનાવો ખૂબ જ વધારો થઈ રહ્યો છે. અકસ્માત એવી બાબત છે કે જેમાં કોઈ વ્યક્તિની વાહન ચલાવતી વખતે નાની એવી ભૂલને કારણે પણ તેનું મૃત્યુ થઈ શકે છે. મધ્યપ્રદેશ રાજ્યના પૃથ્વીપુર વિસ્તારમાં પણ આવો જ એક ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં એક વ્યક્તિના મૃત્યુ સાથે ત્રણ લોકો ઘાયલ થયા છે.

મધ્યપ્રદેશ રાજ્યના પૃથ્વીપુર વિસ્તારમાં આવેલા તતારપુર ગામમાં વિનોદપાલ પોતાના પરિવાર સાથે રહેતો હતો. તે પોતાના પિતા સાથે ગામડે રહીને ખેતી કામ કરતો હતો. તેમજ નજીકના પેટ્રોલ પંપ પર મજૂરી કામ માટે જતો હતો. વિનોદપાલ તેના ત્રણેય ભાઈઓ બહેનોમાં સૌથી મોટો હતો.

તેમજ તેને 7 વર્ષની એક પુત્રી વૈષ્ણવી અને 6 વર્ષની બેટી રાધા હતી. આ ઉપરાંત તેને આર્યાશ નામનો 2 વર્ષનો પુત્ર પણ હતો. વિનોદપાલ ની બહેન રાખી પાલ અને રાજેન્દ્ર પાલના લગ્ન થઈ ચૂક્યા છે. રાજેન્દ્ર પાલ પણ તેમની સાથે ગામડે જ રહેતો હતો અને તેમને ખેતીકામમાં મદદ કરતો હતો.

આ વર્ષે વિનોદપાલ અને તેના પિતા દ્વારા મગફળીનો પાક તૈયાર કરવામાં આવ્યો હતો. મગફળી વેચવા માટે તેઓએ ભોજલ મંડી જવાનો નક્કી કર્યું હતું. ગઈકાલે બપોરે વિનોદપાલ પોતાના જ ગામમાં રહેતા ભગીરથપાલ, બેજનાથ આહીવાર અને જવાહરપુર ગામના શ્યામલાલ કહેવત સાથે પીકઅપ વાનમાં મગફળી વેચવા માટે ભોજન મંડી જઈ રહ્યા હતા.

ઘની કુશવાહ પીકઅપ વાન ચલાવી રહ્યા હતા. જ્યારે તેઓ ભોજલ બ્રીજ પર પહોંચ્યા ત્યારે અચાનક જ પાછળથી એક અજાણ્યા ટ્રક દ્વારા તેમના વાહનને ટક્કર મારવામાં આવી હતી. જેથી પીકઅપ વાન બાજુમાં રહેલા ડિવાઇડર સાથે ધમાકાભેર અથડાણું હતું. આ ઉપરાંત  વાહન મા રહેલી બધી જ મગફળીઓ જમીન પણ વેરાઈ ગઈ હતી.

જેથી ભગીરથ પાલ, વિનોદ પાલે,  વેજનાથ આહીવાર અને ઘની કુશવાહ નીચે પટકાયા હતા. આ દરમિયાન વિનોદ પાલ પરથી ટ્રકનું ટાયર ચાલી જતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. આ ઉપરાંત અન્ય ત્રણે ઘાયલ વ્યક્તિને નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ત્યારબાદ વિનોદપાલ ના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેમના પરિવારજનોને આ અકસ્માત અંગે જાણ કરવામાં આવી હતી. પરિવારમાંથી એક જવાન દીકરાનો મૃત્યુ થવાને કારણે આખો પરિવાર શોક મગ્ન બન્યો છે.હાલ આ બનાવને લઈને ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *