અત્યારના સમયમાં એવા કિસ્સાઓ બની રહ્યા છે જે જાણીને પણ લોકોના રૂવાટા ઉભા થઈ જાય છે. માર્ગ અકસ્માતના કિસ્સાઓ આજકાલ ખુબ વધી રહ્યા છે. લોકો પોતાનું વાહન બેફામ રીતે ચલાવીને લોકોના જીવને જોખમમાં મૂકી દે છે. સરકારના ટ્રાફિકના નિયમોનું પાલન ન કરીને ખરાબ ડ્રાઇવિંગ કરવાને લીધે આવા કિસ્સાઓ બની રહ્યા છે.
આવી જ એક કરુણ ઘટના હાલમાં સામે આવી હતી. આ જોઈને દરેક લોકોના હૃદય ધ્રુજી ગયા હતા. આ ઘટના અલવરના કાઠુમારના વિસ્તારમાં બની હતી. એક યુવક તેમના પરિવાર માટે ખરીદી કરવા માટે બજાર ગયો અને આ યુવકનું નામ ઓમ પ્રકાશ મીના હતું. ઓમ પ્રકાશ તેમના પરિવાર સાથે માથરેડા ગામમાં રહેતો હતો.
પરંતુ તે થોડા સમયથી જયપુરમાં એક કંપનીમાં નોકરી કરતો અને જયપુરમાં સારી એવી નોકરી કરીને તેમના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ઓમ પ્રકાશની ઉંમર 28 વર્ષની હતી. ઓમ પ્રકાશને પરિવારમાં માતા-પિતા, ત્રણ બહેનો અને બે ભાઈઓ છે. ઓમ પ્રકાશ ભાઈ-બહેનમાં સૌથી મોટો હતો. ઓમ પ્રકાશના પિતા ખેતી કરે છે.
અને તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે. ઓમ પ્રકાશ જયપુરમાં સારી એવી નોકરી કરીને સારો એવો પગાર મેળવતો પરંતુ તે થોડા દિવસ પહેલા જ તેમના ગામમાં પરિવારના લોકોને મળવા માટે આવ્યો હતો. પરિવારની સાથે રાજી ખુશીથી રહેતો અને પરિવારમાં ખૂબ જ ખુશીનો માહોલ હતો. એક દિવસ તેણે પરિવાર માટે બજારમાં ખરીદી કરવા માટે નીકળ્યો હતો.
ઓમપ્રકાશ ગામમાંથી થોડો સામાન્ય લેવા માટે લક્ષ્મણ ગઢ બજારમાં પહોંચ્યો હતો. પરિવારના દરેક લોકો માટે અલગ અલગ વસ્તુઓ લઈને તે બજારમાંથી પોતાના ઘરે પરત આવી રહ્યો હતો. તે સમયે બરોડાકણ પાસે સામેની તરફથી આવી રહેલું વાહન તેની સાથે અથડાયું હતું. આ ઘટના બનતા ઓમ પ્રકાશ જમીન પર ઢળી પડ્યો હતો.
વાહન અથડાતા જ તે ફગળાયો જેના કારણે આસપાસના બજારના લોકો ભેગા થઈ ગયા અને તરત જ ઓમ પ્રકાશને બચાવવા માટે એમ્બ્યુલન્સ ને ફોન કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસને પણ આ ઘટનાની જાણ કરાઈ હતી. ઓમ પ્રકાશની હોસ્પિટલ લઈ જાય તે પહેલા તેમનું ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયું હતું.
જેના કારણે પરિવારના લોકોને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી, પરિવારને ઓમ પ્રકાશના મૃત્યુની જાણ થતા જ તેઓ આઘાતમાં આવી ગયા હતા, ત્યારબાદ પોલીસને પરિવારના લોકોએ વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. વાહન ચાલકની પોલીસ તપાસ કરી રહી હતી. અને આસપાસના વિસ્તારના ફોટા જ સીસીટીવી કેમેરા જોવામાં આવી રહ્યા હતા.
જેથી વાહન અને વાહન ચાલકને તપાસ કરી શકાય. આજકાલ આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે. જે વ્યક્તિ પોતાના ઘરેથી તેમના કામ માટે બહાર નીકળે છે અને તેની સાથે ક્યારે આવી ઘટનાઓ બની જાય તે કહી શકાતું નથી. પરિવારમાં એક વ્યક્તિનું મૃત્યુ થતા પરિવારમાં વેરવિખેર થઇ જાય છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]